Khalistani આતંકવાદીની હત્યાને લઈ Canadaના વડાપ્રધાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, જવાબી કાર્યવાહીમાં ભારતે લીધા આ પગલા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-19 12:31:45

ભારત અને કેનેડાના સંબંધો આમ તો મિત્ર જેવા હતા પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાની વાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કરી હતી. કેનેડાના સંસદ ભવનમાં કેનેડાના પીએમએ જણાવ્યું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. 

કેનેડાના પીએમ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતે લીધું આ પગલું 

જી-20માં કેનેડાના વડાપ્રધાન ભારતના મહેમાન બન્યા હતા. ભારત સરકાર અને હરદીપ સિંહની હત્યા વચ્ચે કનેક્શન હોવાની વાત વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. આ દાવો સામે આવતા ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ભારતે પણ કેનેડાના હાઈકમિશનરને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે. 

 

બંને દેશોના સંબંધો વચ્ચે આવી તિરાડ!

મહત્વનું છે કે આ વર્ષે 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરૂદ્વારાની બહાર કરવામાં આવી હતી. સંસદ ભવનમાં ટ્રુડોએ કહ્યું કે અમારા દેશની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા પાછળ વિદેશી સરકારનું હોવું અસ્વીકાર્ય છે. અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. પોતાના સંબોધનમાં ટ્રુડોએ એ પણ ઉમેર્યું કે જ્યારે જી-20 સંમેલન માટે જ્યારે તે ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મુદ્દો વડાપ્રધાન મોદી સમક્ષ પણ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધમાં ગરમાવો આવી શકે છે.    



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .