Khalistani આતંકવાદીની હત્યાને લઈ Canadaના વડાપ્રધાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, જવાબી કાર્યવાહીમાં ભારતે લીધા આ પગલા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-19 12:31:45

ભારત અને કેનેડાના સંબંધો આમ તો મિત્ર જેવા હતા પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાની વાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કરી હતી. કેનેડાના સંસદ ભવનમાં કેનેડાના પીએમએ જણાવ્યું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. 

કેનેડાના પીએમ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતે લીધું આ પગલું 

જી-20માં કેનેડાના વડાપ્રધાન ભારતના મહેમાન બન્યા હતા. ભારત સરકાર અને હરદીપ સિંહની હત્યા વચ્ચે કનેક્શન હોવાની વાત વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. આ દાવો સામે આવતા ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ભારતે પણ કેનેડાના હાઈકમિશનરને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે. 

 

બંને દેશોના સંબંધો વચ્ચે આવી તિરાડ!

મહત્વનું છે કે આ વર્ષે 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરૂદ્વારાની બહાર કરવામાં આવી હતી. સંસદ ભવનમાં ટ્રુડોએ કહ્યું કે અમારા દેશની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા પાછળ વિદેશી સરકારનું હોવું અસ્વીકાર્ય છે. અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. પોતાના સંબોધનમાં ટ્રુડોએ એ પણ ઉમેર્યું કે જ્યારે જી-20 સંમેલન માટે જ્યારે તે ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મુદ્દો વડાપ્રધાન મોદી સમક્ષ પણ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધમાં ગરમાવો આવી શકે છે.    



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.