Khalistani આતંકવાદીની હત્યાને લઈ Canadaના વડાપ્રધાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, જવાબી કાર્યવાહીમાં ભારતે લીધા આ પગલા, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-19 12:31:45

ભારત અને કેનેડાના સંબંધો આમ તો મિત્ર જેવા હતા પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાની વાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કરી હતી. કેનેડાના સંસદ ભવનમાં કેનેડાના પીએમએ જણાવ્યું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. 

કેનેડાના પીએમ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતે લીધું આ પગલું 

જી-20માં કેનેડાના વડાપ્રધાન ભારતના મહેમાન બન્યા હતા. ભારત સરકાર અને હરદીપ સિંહની હત્યા વચ્ચે કનેક્શન હોવાની વાત વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. આ દાવો સામે આવતા ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ભારતે પણ કેનેડાના હાઈકમિશનરને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે. 

 

બંને દેશોના સંબંધો વચ્ચે આવી તિરાડ!

મહત્વનું છે કે આ વર્ષે 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરૂદ્વારાની બહાર કરવામાં આવી હતી. સંસદ ભવનમાં ટ્રુડોએ કહ્યું કે અમારા દેશની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા પાછળ વિદેશી સરકારનું હોવું અસ્વીકાર્ય છે. અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. પોતાના સંબોધનમાં ટ્રુડોએ એ પણ ઉમેર્યું કે જ્યારે જી-20 સંમેલન માટે જ્યારે તે ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મુદ્દો વડાપ્રધાન મોદી સમક્ષ પણ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધમાં ગરમાવો આવી શકે છે.    



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.