Khalistani આતંકવાદીની હત્યાને લઈ Canadaના વડાપ્રધાને ભારત પર લગાવ્યા ગંભીર આરોપ, જવાબી કાર્યવાહીમાં ભારતે લીધા આ પગલા, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-19 12:31:45

ભારત અને કેનેડાના સંબંધો આમ તો મિત્ર જેવા હતા પરંતુ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટુડો દ્વારા આપવામાં આવેલા નિવેદનને લઈ રાજનીતિ ગરમાઈ રહી છે. ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાની વાત કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કરી હતી. કેનેડાના સંસદ ભવનમાં કેનેડાના પીએમએ જણાવ્યું કે શીખ સમુદાયના નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યા ભારતે કરાવી છે. 

કેનેડાના પીએમ દ્વારા આપવામાં આવેલા નિવેદન પર ભારતે લીધું આ પગલું 

જી-20માં કેનેડાના વડાપ્રધાન ભારતના મહેમાન બન્યા હતા. ભારત સરકાર અને હરદીપ સિંહની હત્યા વચ્ચે કનેક્શન હોવાની વાત વડાપ્રધાન દ્વારા કહેવામાં આવતા રાજનીતિ ગરમાઈ છે. આ દાવો સામે આવતા ભારતીય વિદેશ મંત્રાલયે જવાબ આપ્યો છે. કેનેડા સરકારે ભારતના ડિપ્લોમેટને કેનેડામાંથી કાઢી મૂક્યા તો ભારતે પણ આ મામલે કડક કાર્યવાહી કરી છે. ભારતે પણ કેનેડાના હાઈકમિશનરને પણ દેશમાંથી કાઢી મૂક્યા છે. 

 

બંને દેશોના સંબંધો વચ્ચે આવી તિરાડ!

મહત્વનું છે કે આ વર્ષે 18 જૂનના રોજ હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરૂદ્વારાની બહાર કરવામાં આવી હતી. સંસદ ભવનમાં ટ્રુડોએ કહ્યું કે અમારા દેશની જમીન પર કેનેડિયન નાગરિકની હત્યા પાછળ વિદેશી સરકારનું હોવું અસ્વીકાર્ય છે. અને આ અમારી સંપ્રભુતાનું ઉલ્લંઘન છે. પોતાના સંબોધનમાં ટ્રુડોએ એ પણ ઉમેર્યું કે જ્યારે જી-20 સંમેલન માટે જ્યારે તે ભારત આવ્યા હતા ત્યારે તેમણે આ મુદ્દો વડાપ્રધાન મોદી સમક્ષ પણ ઉઠાવ્યો હતો. મહત્વનું છે કે નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધમાં ગરમાવો આવી શકે છે.    



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.