રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ રદ, વિદેશી ફંડિંગના આરોપો પર કાર્યવાહી


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-23 10:34:23

કેન્દ્ર સરકારે કાયદાના કથિત ઉલ્લંઘન બદલ ગાંધી પરિવાર સાથે સંકળાયેલ એનજીઓ રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ (એફસીઆરએ) લાઇસન્સ રદ કર્યું છે. આ કાર્યવાહી 2020 માં ગૃહ મંત્રાલય દ્વારા રચાયેલી આંતર-મંત્રાલય સમિતિ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ પછી કરવામાં આવી છે.

Rajiv Gandhi Foundation: राजीव गांधी फाउंडेशन का लाइसेंस रद, विदेशी फंडिंग  के आरोप में हुई कार्रवाई - Union Home Ministry cancellation registration of Rajiv  Gandhi Foundation and Charitable Trust


તપાસ બાદ ગૃહ મંત્રાલયે કાર્યવાહી કરી હતી

એક અધિકારીએ જણાવ્યું કે  રાજીવ ગાંધી ફાઉન્ડેશનનું FCRA લાયસન્સ તેની સામે તપાસ હાથ ધરાયા બાદ રદ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનના પ્રમુખ સોનિયા ગાંધી છે. આ સિવાય રાજીવ ગાંધી ફાઉન્ડેશનના અન્ય ટ્રસ્ટીઓમાં પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ, કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા સામેલ છે.

On Rajiv Gandhi's 30th death anniversary, rare pictures of India's youngest  PM

1991 માં સ્થાપના કરી હતી

તમને જણાવી દઈએ કે રાજીવ ગાંધી ફાઉન્ડેશનની સ્થાપના ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના વારસાને આગળ વધારવા માટે કરવામાં આવી હતી. જુલાઈ 1991માં સોનિયા ગાંધીના નેતૃત્વમાં બેઠક યોજાઈ હતી અને ફાઉન્ડેશન માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. 1991 માં સ્થપાયેલ, રાજીવ ગાંધી ફાઉન્ડેશને 1991 થી 2009 દરમિયાન આરોગ્ય, વિજ્ઞાન અને ટેકનોલોજી, મહિલાઓ અને બાળકો, વિકલાંગ સહાય વગેરે સહિતના ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કામ કર્યું છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનની વેબસાઈટ અનુસાર સંસ્થાએ શિક્ષણ ક્ષેત્રે પણ કામ કર્યું છે.


તપાસ માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરવામાં આવી હતી

નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટને ચીન તરફથી મળેલા ભંડોળના મામલાની તપાસ કરવા માટે આંતર-મંત્રાલય સમિતિની રચના કરી હતી. મંત્રાલયે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA), ઈન્કમ ટેક્સ એક્ટ, ફોરેન કોન્ટ્રીબ્યુશન રેગ્યુલેટરી એક્ટ (FCRA) વગેરેની વિવિધ કાયદાકીય જોગવાઈઓના ઉલ્લંઘનની તપાસ માટે આ સમિતિની રચના કરી હતી.



ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ૨૬મી તારીખે મતદાન યોજાવાનું છે ત્યારે , પંચમહાલમાં કોંગ્રેસને ખુબ મોટો ઝટકો લાગ્યો છે. પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ચેતનસિંહ પરમારએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તેમણે ભાજપનો ખેસ ધારણ કર્યો છે. આમ હવે , પંચમહાલ જિલ્લામાં કોંગ્રેસમાં કાર્યકરો નિરાશ થઇ ગયા છે.

નવરચિત વાવ થરાદ જિલ્લામાં મામલતદાર કચેરીએ જયારે ઉમેદવારોના ફોર્મની સ્ક્રૂટિની ચાલી રહી છે ત્યારે મામલતદાર કચેરીએ કોંગ્રેસના કાર્યકરોએ નારેબાજી કરી છે. આ બાબતે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત દ્વારા પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો છે કે , "પોલીસ અમારા ઉમેદવારોને ડરાવવાનું અને ધમકાવવાનું કામ કરી રહી છે. ગુલાબસિંહ રાજપૂતના આ દાવાથી વાવ થરાદ જિલ્લામાં રાજકારણ ગરમાઈ ગયું છે.