વિધાનસભા ચૂંટણી 2017માં 33 ઉમેદવારો ત્રણ હજારથી પણ ઓછા મતથી જીતી આબરૂ બચાવી


  • Published By :
  • Published Date : 2022-11-13 13:31:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણીનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને ત્રીજી પાર્ટી AAPથી કેટલો ફાયદો કે નુકસાન થશે તે જાણવું પણ રસપ્રદ રહેશે. ત્રિપાંખિયા જંગના કારણે હાર-જીતનું અંતર બહું જ ઘટી જાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી ગેરન્ટીએ મધ્યમ વર્ગને આકર્ષ્યો છે. તેથી મધ્યમવર્ગ આપ તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. જો કે આ શહેરી મધ્યમવર્ગ ભાજપની કોર વોટ બેંક છે. તેથી આપના કારણે ભાજપને ફાયદો થાય છે કે નુંકસાન તે જોવું રહ્યું!,  તે જ રીતે કોંગ્રેસના વફાદાર મતદારો દલિતો, મુસ્લીમો અને આદિવાસીઓ છે કોંગ્રેસ આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં મજબુત છે. તે ઉપરાંત રાજ્યના ગ્રામીણ મતદારો પણ કોંગ્રેસના પરંપરાગત મતદારો છે. 


2017માં 33 ઉમેદવારો 3 હજાર મતના માર્જીનથી જીત્યા


આ સમગ્ર સ્થિતીમાં વિધાનસભાની ચૂંટણી 2017 પર એક નજર કરવા જેવી છે. તેના આધારે રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યા ખુબ જ ઓછા માર્જીનથી જીત્યા હતા તેની માહિતી મળે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 33 ઉમેદવારો એવા હતા કે જે માત્ર 3 હજારથી પણ ઓછા મતથી જીતી શક્યા હતા.


કયા દિગ્ગજો માંડમાંડ જીતી શક્યા હતા?


રાજ્યના કેટલા અગ્રણી નેતાઓ એવા છે જે તેમની પાર્ટીમાં ઉચાં પર પર હોવા છતાં પણ ખુબ જ ઓછા માર્જીનથી જીતી શક્યા હતા. જેમ કે ધોળકામાંથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (327 મત) ,બાપુનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ (3067), કોંગેસમાંથી મોરબીથી બ્રિજેશ મેરજા (3419), પોરબંદર સીટ પરથી ભાજપના બાબુ બોખિરીયા (1855), બોટાદથી ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ (906), ગોધરાથી ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી (258), છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા (1093) મતોથી જીતી તેમની આબરૂ બચાવી હતી.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"