વિધાનસભા ચૂંટણી 2017માં 33 ઉમેદવારો ત્રણ હજારથી પણ ઓછા મતથી જીતી આબરૂ બચાવી


  • Published By :
  • Published Date : 2022-11-13 13:31:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણીનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને ત્રીજી પાર્ટી AAPથી કેટલો ફાયદો કે નુકસાન થશે તે જાણવું પણ રસપ્રદ રહેશે. ત્રિપાંખિયા જંગના કારણે હાર-જીતનું અંતર બહું જ ઘટી જાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી ગેરન્ટીએ મધ્યમ વર્ગને આકર્ષ્યો છે. તેથી મધ્યમવર્ગ આપ તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. જો કે આ શહેરી મધ્યમવર્ગ ભાજપની કોર વોટ બેંક છે. તેથી આપના કારણે ભાજપને ફાયદો થાય છે કે નુંકસાન તે જોવું રહ્યું!,  તે જ રીતે કોંગ્રેસના વફાદાર મતદારો દલિતો, મુસ્લીમો અને આદિવાસીઓ છે કોંગ્રેસ આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં મજબુત છે. તે ઉપરાંત રાજ્યના ગ્રામીણ મતદારો પણ કોંગ્રેસના પરંપરાગત મતદારો છે. 


2017માં 33 ઉમેદવારો 3 હજાર મતના માર્જીનથી જીત્યા


આ સમગ્ર સ્થિતીમાં વિધાનસભાની ચૂંટણી 2017 પર એક નજર કરવા જેવી છે. તેના આધારે રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યા ખુબ જ ઓછા માર્જીનથી જીત્યા હતા તેની માહિતી મળે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 33 ઉમેદવારો એવા હતા કે જે માત્ર 3 હજારથી પણ ઓછા મતથી જીતી શક્યા હતા.


કયા દિગ્ગજો માંડમાંડ જીતી શક્યા હતા?


રાજ્યના કેટલા અગ્રણી નેતાઓ એવા છે જે તેમની પાર્ટીમાં ઉચાં પર પર હોવા છતાં પણ ખુબ જ ઓછા માર્જીનથી જીતી શક્યા હતા. જેમ કે ધોળકામાંથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (327 મત) ,બાપુનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ (3067), કોંગેસમાંથી મોરબીથી બ્રિજેશ મેરજા (3419), પોરબંદર સીટ પરથી ભાજપના બાબુ બોખિરીયા (1855), બોટાદથી ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ (906), ગોધરાથી ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી (258), છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા (1093) મતોથી જીતી તેમની આબરૂ બચાવી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.