વિધાનસભા ચૂંટણી 2017માં 33 ઉમેદવારો ત્રણ હજારથી પણ ઓછા મતથી જીતી આબરૂ બચાવી


  • Published By :
  • Published Date : 2022-11-13 13:31:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણીનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને ત્રીજી પાર્ટી AAPથી કેટલો ફાયદો કે નુકસાન થશે તે જાણવું પણ રસપ્રદ રહેશે. ત્રિપાંખિયા જંગના કારણે હાર-જીતનું અંતર બહું જ ઘટી જાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી ગેરન્ટીએ મધ્યમ વર્ગને આકર્ષ્યો છે. તેથી મધ્યમવર્ગ આપ તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. જો કે આ શહેરી મધ્યમવર્ગ ભાજપની કોર વોટ બેંક છે. તેથી આપના કારણે ભાજપને ફાયદો થાય છે કે નુંકસાન તે જોવું રહ્યું!,  તે જ રીતે કોંગ્રેસના વફાદાર મતદારો દલિતો, મુસ્લીમો અને આદિવાસીઓ છે કોંગ્રેસ આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં મજબુત છે. તે ઉપરાંત રાજ્યના ગ્રામીણ મતદારો પણ કોંગ્રેસના પરંપરાગત મતદારો છે. 


2017માં 33 ઉમેદવારો 3 હજાર મતના માર્જીનથી જીત્યા


આ સમગ્ર સ્થિતીમાં વિધાનસભાની ચૂંટણી 2017 પર એક નજર કરવા જેવી છે. તેના આધારે રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યા ખુબ જ ઓછા માર્જીનથી જીત્યા હતા તેની માહિતી મળે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 33 ઉમેદવારો એવા હતા કે જે માત્ર 3 હજારથી પણ ઓછા મતથી જીતી શક્યા હતા.


કયા દિગ્ગજો માંડમાંડ જીતી શક્યા હતા?


રાજ્યના કેટલા અગ્રણી નેતાઓ એવા છે જે તેમની પાર્ટીમાં ઉચાં પર પર હોવા છતાં પણ ખુબ જ ઓછા માર્જીનથી જીતી શક્યા હતા. જેમ કે ધોળકામાંથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (327 મત) ,બાપુનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ (3067), કોંગેસમાંથી મોરબીથી બ્રિજેશ મેરજા (3419), પોરબંદર સીટ પરથી ભાજપના બાબુ બોખિરીયા (1855), બોટાદથી ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ (906), ગોધરાથી ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી (258), છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા (1093) મતોથી જીતી તેમની આબરૂ બચાવી હતી.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.