વિધાનસભા ચૂંટણી 2017માં 33 ઉમેદવારો ત્રણ હજારથી પણ ઓછા મતથી જીતી આબરૂ બચાવી


  • Published By :
  • Published Date : 2022-11-13 13:31:14

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો ચૂંટણીનું પ્રચાર અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે.  ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મતદારોને રીઝવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. રાજ્યના બે મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસને ત્રીજી પાર્ટી AAPથી કેટલો ફાયદો કે નુકસાન થશે તે જાણવું પણ રસપ્રદ રહેશે. ત્રિપાંખિયા જંગના કારણે હાર-જીતનું અંતર બહું જ ઘટી જાય તેવી શક્યતા છે. આમ આદમી પાર્ટીની ચૂંટણી ગેરન્ટીએ મધ્યમ વર્ગને આકર્ષ્યો છે. તેથી મધ્યમવર્ગ આપ તરફ આકર્ષાય તે સ્વાભાવિક છે. જો કે આ શહેરી મધ્યમવર્ગ ભાજપની કોર વોટ બેંક છે. તેથી આપના કારણે ભાજપને ફાયદો થાય છે કે નુંકસાન તે જોવું રહ્યું!,  તે જ રીતે કોંગ્રેસના વફાદાર મતદારો દલિતો, મુસ્લીમો અને આદિવાસીઓ છે કોંગ્રેસ આદિવાસી વિસ્તારો અને સૌરાષ્ટ્રમાં મજબુત છે. તે ઉપરાંત રાજ્યના ગ્રામીણ મતદારો પણ કોંગ્રેસના પરંપરાગત મતદારો છે. 


2017માં 33 ઉમેદવારો 3 હજાર મતના માર્જીનથી જીત્યા


આ સમગ્ર સ્થિતીમાં વિધાનસભાની ચૂંટણી 2017 પર એક નજર કરવા જેવી છે. તેના આધારે રાજ્યમાં 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના કેટલા ધારાસભ્યા ખુબ જ ઓછા માર્જીનથી જીત્યા હતા તેની માહિતી મળે છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના 33 ઉમેદવારો એવા હતા કે જે માત્ર 3 હજારથી પણ ઓછા મતથી જીતી શક્યા હતા.


કયા દિગ્ગજો માંડમાંડ જીતી શક્યા હતા?


રાજ્યના કેટલા અગ્રણી નેતાઓ એવા છે જે તેમની પાર્ટીમાં ઉચાં પર પર હોવા છતાં પણ ખુબ જ ઓછા માર્જીનથી જીતી શક્યા હતા. જેમ કે ધોળકામાંથી ભાજપના ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (327 મત) ,બાપુનગરમાંથી કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલ (3067), કોંગેસમાંથી મોરબીથી બ્રિજેશ મેરજા (3419), પોરબંદર સીટ પરથી ભાજપના બાબુ બોખિરીયા (1855), બોટાદથી ભાજપના ઉમેદવાર સૌરભ પટેલ (906), ગોધરાથી ભાજપના ઉમેદવાર સી કે રાઉલજી (258), છોટાઉદેપુરથી કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા (1093) મતોથી જીતી તેમની આબરૂ બચાવી હતી.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.