જ્ઞાન સહાયક ભરતીનો વિરોધ કરવા એકઠા થયેલા ઉમેદવારોની થઈ અટકાયત, ઉમેદવારોના સમર્થનમાં આવેલા Yuvrajsinh Jadejaની પણ કરાઈ અટકાયત


  • Published By :
  • Published Date : 2023-08-21 14:31:32

TET-TATના ઉમેદવારોની કૂચ ત્રિમંદીરથી સચિવાલય પગપાળા પહોંચવાની હતી પરંતુ દર વખતની જેમ આ વખતે પણ પોતાના ગંતવ્ય સ્થાન પર પહોંચે તે પહેલા જ પહેલા અટકાયત થવાની શરૂઆત થઈ ગઈ છે. મહત્વનું છે કે આજે જ યુવરાજસિંહે ઉમેદવારોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. યુવરાજસિંહની પણ પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે.  

ઉમેદવારોની કરવામાં આવી અટકાયત

ગુજરાતમાં શિક્ષણની પરિસ્થિતિ સતત કથળી રહી છે. શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી. છેલ્લા ઘણા સમયથી ઉમેદવારો માગ કરી રહ્યા છે કે  સરકાર દ્વારા કાયમી ભરતી કરવામાં આવે. કરાર આધારિત ભરતીનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. અનેક વખત સરકારને આ મામલે રજૂઆત કરવા માટે પણ ગયા હતા પરંતુ તે રજૂઆત કરે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા. થોડા સમય પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં પોતાની રજૂઆત કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને પોલીસે રોકી દીધા હતા. ત્યારે આજે ઉમેદવારો પગપાળા કરી ત્રિમંદિરથી સચિવાલય પહોંચવાના હતા, પરંતુ દર વખતની જેમ આ વખતે પણ સચિવાલય ઉમેદવારો પહોંચે તે પહેલા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. 

ઉમેદવારોને મળ્યું યુવરાજસિંહનું સમર્થન  

ત્યારે કાયમી શિક્ષક બનવા ઈચ્છુક લોકોની વ્હારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આવ્યા છે. જ્ઞાનસહાયક પ્રોજેક્ટ નાબુદ કરવામાં આવે તેવી તેમણે માગ કરી છે. યુવરાજસિંહ જાડેજાએ કહ્યું કે જે ઉમેદવારો કાયમી શિક્ષક બનવા માંગે છે, જે જ્ઞાનસહાયક પ્રોજેક્ટનો વિરોધ કરે છે, તેમને પણ પોતાની વાત, પોતાની વ્યથાને રજૂ કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવે, જે વિદ્યાર્થીઓ છે જે કાયમી શિક્ષકો બનવા માગે છે તેમના સમર્થનમાં હું પણ છું.   


પોલીસની બેવડી નીતિ પર પણ ઉઠે અનેક સવાલ 

મહત્વનું છે કે અમે અનેક વખત એ મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે પોલીસને માત્ર ટેટ-ટાટના ઉમેદવારો જ મળે છે. તેમની વિરૂદ્ધ જ્યારે કાર્યવાહી કરવાની વાત આવે છે ત્યારે તેમને પોતાની ફરજ એકાએક યાદ આવી જાય. વિરોધ કરવા જઈ રહેલા વિદ્યાર્થીઓને તરત પકડી લેવામાં આવે છે પરંતુ પોલીસ ત્યારે મૌન રહે છે જ્યારે બુટલેગર વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત કરવામાં આવે. ઘણી વખત પોલીસને ખબર હોય છે કે દારૂ ક્યાં મળે છે, કોણ દારૂ વેચે છે પરંતુ ત્યાં કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે પોલીસ નિષ્ક્રીય થઈ જતી હોય છે. અને જ્યારે ટેટ-ટાટના ઉમેદવારો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની વાત આવે ત્યારે ત્વરિત પગલા લેવામાં આવે છે. પોલીસની આવી બેવડી નીતિ પર પણ અનેક સવાલ ઉભા થાય છે.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.