રાજકોટના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, SOGની ટીમે 127 કિલોના છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-03 14:43:11

ગુજરાતમાં નશાકારક પદાર્થોનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, રાજકોટમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીની પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે છાપો મારીને  127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત  12 લાખ 70 હજાર રૂપિયા જેટલી થાય છે. 


બાતમીના આધારે કાર્યવાહી


વિછીંયાના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી રાજકોટ  ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ગાંજાના 36 છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ રૂ.12.70 લાખના ગાંજાના 127 કિલો જથ્થા સાથે ખેડૂત વિનુ ઉર્ફે વિનો મશરૂભાઇ ગ્રાંભડીયા (ઉ.વ.39, રહે. નાના માત્રા તા.વિછીંયા)ને ઝડપી ગુનો દાખલ કરાયો હતો. ગ્રામ્ય SOGના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના આપી હતી, જે અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે વિંછીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિદભાઇ દાફડાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, આરોપી વિનુ ઉર્ફે વિનાએ પોતાની નાનામાત્રા ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. હકીકતના આધારે સર્કલ પીઆઈ એચ.એન. રાઠોડ સાથે એસઓજીની ટીમે રેઇડ કરતા આરોપી વિનુ ગ્રાંભરડા વાડીએ હાજર મળી આવ્યો હતો. 


વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ 


પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંજાનો છોડ જે અન્ય છોડની નજીક વાવો તે અન્ય છોડ જેટલી હાઈટ ગાંજાના છોડની થાય છે. વીનુએ પોતાની વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યા હતા. ગાંજો છૂટો છવાયો વાવ્યો હોવાથી એસઓજીની ટીમે 10 વિઘા જમીનનો ખૂણે ખૂણો જોઈ 36 છોડ કબ્જે કર્યા હતા. એક એક છોડને શોધવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.