રાજકોટના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, SOGની ટીમે 127 કિલોના છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-03 14:43:11

ગુજરાતમાં નશાકારક પદાર્થોનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, રાજકોટમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીની પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે છાપો મારીને  127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત  12 લાખ 70 હજાર રૂપિયા જેટલી થાય છે. 


બાતમીના આધારે કાર્યવાહી


વિછીંયાના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી રાજકોટ  ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ગાંજાના 36 છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ રૂ.12.70 લાખના ગાંજાના 127 કિલો જથ્થા સાથે ખેડૂત વિનુ ઉર્ફે વિનો મશરૂભાઇ ગ્રાંભડીયા (ઉ.વ.39, રહે. નાના માત્રા તા.વિછીંયા)ને ઝડપી ગુનો દાખલ કરાયો હતો. ગ્રામ્ય SOGના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના આપી હતી, જે અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે વિંછીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિદભાઇ દાફડાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, આરોપી વિનુ ઉર્ફે વિનાએ પોતાની નાનામાત્રા ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. હકીકતના આધારે સર્કલ પીઆઈ એચ.એન. રાઠોડ સાથે એસઓજીની ટીમે રેઇડ કરતા આરોપી વિનુ ગ્રાંભરડા વાડીએ હાજર મળી આવ્યો હતો. 


વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ 


પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંજાનો છોડ જે અન્ય છોડની નજીક વાવો તે અન્ય છોડ જેટલી હાઈટ ગાંજાના છોડની થાય છે. વીનુએ પોતાની વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યા હતા. ગાંજો છૂટો છવાયો વાવ્યો હોવાથી એસઓજીની ટીમે 10 વિઘા જમીનનો ખૂણે ખૂણો જોઈ 36 છોડ કબ્જે કર્યા હતા. એક એક છોડને શોધવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે