રાજકોટના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, SOGની ટીમે 127 કિલોના છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-03 14:43:11

ગુજરાતમાં નશાકારક પદાર્થોનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, રાજકોટમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીની પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે છાપો મારીને  127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત  12 લાખ 70 હજાર રૂપિયા જેટલી થાય છે. 


બાતમીના આધારે કાર્યવાહી


વિછીંયાના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી રાજકોટ  ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ગાંજાના 36 છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ રૂ.12.70 લાખના ગાંજાના 127 કિલો જથ્થા સાથે ખેડૂત વિનુ ઉર્ફે વિનો મશરૂભાઇ ગ્રાંભડીયા (ઉ.વ.39, રહે. નાના માત્રા તા.વિછીંયા)ને ઝડપી ગુનો દાખલ કરાયો હતો. ગ્રામ્ય SOGના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના આપી હતી, જે અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે વિંછીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિદભાઇ દાફડાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, આરોપી વિનુ ઉર્ફે વિનાએ પોતાની નાનામાત્રા ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. હકીકતના આધારે સર્કલ પીઆઈ એચ.એન. રાઠોડ સાથે એસઓજીની ટીમે રેઇડ કરતા આરોપી વિનુ ગ્રાંભરડા વાડીએ હાજર મળી આવ્યો હતો. 


વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ 


પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંજાનો છોડ જે અન્ય છોડની નજીક વાવો તે અન્ય છોડ જેટલી હાઈટ ગાંજાના છોડની થાય છે. વીનુએ પોતાની વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યા હતા. ગાંજો છૂટો છવાયો વાવ્યો હોવાથી એસઓજીની ટીમે 10 વિઘા જમીનનો ખૂણે ખૂણો જોઈ 36 છોડ કબ્જે કર્યા હતા. એક એક છોડને શોધવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.