રાજકોટના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીનો પર્દાફાશ, SOGની ટીમે 127 કિલોના છોડ સાથે ખેડૂતની કરી ધરપકડ


  • Published By :
  • Published Date : 2024-01-03 14:43:11

ગુજરાતમાં નશાકારક પદાર્થોનું સેવન ચિંતાજનક રીતે વધી રહ્યું છે, રાજકોટમાં ગાંજાનો મોટો જથ્થો મળી આવતા હાહાકાર મચી ગયો છે. રાજકોટ જિલ્લાના વિંછીયા તાલુકાના નાના માત્રા ગામમાં ગાંજાની ખેતીની પર્દાફાશ થયો છે. રાજકોટ ગ્રામ્ય SOGની ટીમે છાપો મારીને  127 કિલો ગાંજાના છોડ સાથે વિનુ ગ્રાંભરડા નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે પકડાયેલા આ ગાંજાના જથ્થાની બજાર કિંમત  12 લાખ 70 હજાર રૂપિયા જેટલી થાય છે. 


બાતમીના આધારે કાર્યવાહી


વિછીંયાના નાનામાત્રા ગામની સીમના ખેતરમાં દરોડો પાડી રાજકોટ  ગ્રામ્ય SOGની ટીમે બાતમીના આધારે રેડ પાડીને ગાંજાના 36 છોડનું વાવેતર ઝડપી પાડ્યું હતું. આ રૂ.12.70 લાખના ગાંજાના 127 કિલો જથ્થા સાથે ખેડૂત વિનુ ઉર્ફે વિનો મશરૂભાઇ ગ્રાંભડીયા (ઉ.વ.39, રહે. નાના માત્રા તા.વિછીંયા)ને ઝડપી ગુનો દાખલ કરાયો હતો. ગ્રામ્ય SOGના જણાવ્યા મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવએ નાર્કોટીકસ પદાર્થ વેચનાર તથા નાર્કોટીકસ માદક પદાર્થનું ઉત્પાદન કરતા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપી હતી, જેથી રાજકોટ જિલ્લા પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડએ નાર્કોટીક્સ અંગે વધુમાં વધુ કેસો કરવા તથા નાર્કોટીકસના વ્યસનથી યુવાધનને અટકાવવા માટે સુચના આપી હતી, જે અનુસંધાને રાજકોટ રૂરલ એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ બી.સી. મિયાત્રા તેમની ટીમ સાથે વિંછીયા પંથકમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ જયવિરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, અરવિદભાઇ દાફડાને સંયુક્ત રીતે ખાનગી બાતમી મળી હતી કે, આરોપી વિનુ ઉર્ફે વિનાએ પોતાની નાનામાત્રા ગામની ઉગમણી સીમમાં આવેલ વાડીમાં ગાંજાના છોડનું વાવેતર કર્યું છે. હકીકતના આધારે સર્કલ પીઆઈ એચ.એન. રાઠોડ સાથે એસઓજીની ટીમે રેઇડ કરતા આરોપી વિનુ ગ્રાંભરડા વાડીએ હાજર મળી આવ્યો હતો. 


વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ 


પોલીસના જણાવ્યા પ્રમાણે ગાંજાનો છોડ જે અન્ય છોડની નજીક વાવો તે અન્ય છોડ જેટલી હાઈટ ગાંજાના છોડની થાય છે. વીનુએ પોતાની વાડીમાં કપાસ, મરચી અને તુવેરના વાવેતર વચ્ચે ગાંજાના છોડ વાવ્યા હતા. ગાંજો છૂટો છવાયો વાવ્યો હોવાથી એસઓજીની ટીમે 10 વિઘા જમીનનો ખૂણે ખૂણો જોઈ 36 છોડ કબ્જે કર્યા હતા. એક એક છોડને શોધવામાં પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.