ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળતા હાહાકાર, પોલીસ અને FSLની ટીમ યુનિ.કેમ્પસ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-07 18:33:39

વિદ્યાનું ધામ ગણાતી રાજ્યની યુનિવર્સિટીઓમાં નશાનું વાવેતર થઈ રહ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પણ ગાંજાના છોડ મળતા હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે યુનિવર્સિટીમાંથી પકડાયેલા આ છોડ ગાંજાને જ છે તે તો ટેસ્ટિંગ બાદ જ જાણી શકાશે.


પોલીસ અને FSLની ટીમ પહોંચી   


કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ તપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના છોડ મળ્યા છે. અહીં બે અલગ અલગ છોડ મળ્યા છે, જેમાં એક 6.5 ફૂટનો છોડ છે, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.


FSL રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મુદ્દે પીઆઇ વી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી બ્લોક વોર્ડને પોલીસ સ્ટેશનમાં ગાંજા અંગેની જાણ કરી હતી. ટીમ સાથે પહોંચતા પ્રાથમિક તબક્કે શંકાસ્પદ છોડ જોવા મળ્યો હતો. એફએસએલ ટીમ આવ્યા બાદ પંચનામું કરશે. હોસ્ટેલમાં પણ જરૂર પડશે તો તપાસ પણ કરીશું.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે