ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળતા હાહાકાર, પોલીસ અને FSLની ટીમ યુનિ.કેમ્પસ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-07 18:33:39

વિદ્યાનું ધામ ગણાતી રાજ્યની યુનિવર્સિટીઓમાં નશાનું વાવેતર થઈ રહ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પણ ગાંજાના છોડ મળતા હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે યુનિવર્સિટીમાંથી પકડાયેલા આ છોડ ગાંજાને જ છે તે તો ટેસ્ટિંગ બાદ જ જાણી શકાશે.


પોલીસ અને FSLની ટીમ પહોંચી   


કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ તપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના છોડ મળ્યા છે. અહીં બે અલગ અલગ છોડ મળ્યા છે, જેમાં એક 6.5 ફૂટનો છોડ છે, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.


FSL રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મુદ્દે પીઆઇ વી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી બ્લોક વોર્ડને પોલીસ સ્ટેશનમાં ગાંજા અંગેની જાણ કરી હતી. ટીમ સાથે પહોંચતા પ્રાથમિક તબક્કે શંકાસ્પદ છોડ જોવા મળ્યો હતો. એફએસએલ ટીમ આવ્યા બાદ પંચનામું કરશે. હોસ્ટેલમાં પણ જરૂર પડશે તો તપાસ પણ કરીશું.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.