ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મળતા હાહાકાર, પોલીસ અને FSLની ટીમ યુનિ.કેમ્પસ પહોંચી


  • Published By :
  • Published Date : 2023-08-07 18:33:39

વિદ્યાનું ધામ ગણાતી રાજ્યની યુનિવર્સિટીઓમાં નશાનું વાવેતર થઈ રહ્યું છે. રાજકોટની મારવાડી યુનિવર્સિટી બાદ હવે ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં પણ ગાંજાના છોડ મળતા હાહાકાર મચી ગયો છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ ગાંજાના છોડ પકડ્યા છે. યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે યુનિવર્સિટીમાંથી પકડાયેલા આ છોડ ગાંજાને જ છે તે તો ટેસ્ટિંગ બાદ જ જાણી શકાશે.


પોલીસ અને FSLની ટીમ પહોંચી   


કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI અને કોંગ્રેસના કાર્યકરોએ તપાસ કરતા ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલના કેમ્પસમાં D બ્લોકની બાજુમાં ગાંજાના છોડ મળ્યા છે. અહીં બે અલગ અલગ છોડ મળ્યા છે, જેમાં એક 6.5 ફૂટનો છોડ છે, જ્યારે અન્ય એક 5.5 ફૂટનો છોડ છે. આ ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળ પર દોડી પહોંચી હતી. પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. તો બીજી તરફ FSLની ટીમ પણ સ્થળ પર પહોંચી ગઈ છે અને તપાસ હાથ ધરી છે.


FSL રિપોર્ટ બાદ કાર્યવાહી


ગુજરાત યુનિવર્સિટીમાં ગાંજાના છોડ મુદ્દે પીઆઇ વી.જે. જાડેજાએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટી બ્લોક વોર્ડને પોલીસ સ્ટેશનમાં ગાંજા અંગેની જાણ કરી હતી. ટીમ સાથે પહોંચતા પ્રાથમિક તબક્કે શંકાસ્પદ છોડ જોવા મળ્યો હતો. એફએસએલ ટીમ આવ્યા બાદ પંચનામું કરશે. હોસ્ટેલમાં પણ જરૂર પડશે તો તપાસ પણ કરીશું.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.