મંદી અને મોંઘવારી ભૂલી જાઓ, દેશમાં 8 લાખ કારના ઓર્ડર પેન્ડિગ, એક વર્ષ રાહ જોવી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-04 19:21:33

દેશની અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા, વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં વધારો હોવા છતાં, મોટી સંખ્યામાં કારના નવા બુકિંગ થઈ રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીઓ ખાસ કરીને એસયુવીના બેકલોકને ક્લીયર કરવામાં અસમર્થ છે. મહિન્દ્રાની Scorpio-N, Tata's Nexon, Maruti's Brezza, Hyundai's Creta અને Mercedes GLS માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડશે.


કઈ કંપનીના ઓર્ડર પેન્ડિંગ


દેશની સૌથી મોટી  કંપની મારૂતિ સુઝુકી પાસે સૌથી મોટો ઓર્ડર પેન્ડિંગ છે. કંપની પાસે 3.9 લાખ કારોનો બેકલોગ છે. તે જ પ્રકારે મહિન્દ્રાની થાર (Thar), XUV700, અને સ્કોર્પિયો-એન માટે મોટું બુકિંગ થયું છે. મર્સિડિઝ-બેન્ઝની પણ આ જ સ્થિતી થઈ છે. મર્સિડીઝ બેન્ઝના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ)ના જણાવ્યા પ્રમાણે કંપની પાસે 7 હજાર કારોનો ઓર્ડર છે અને વેઈટિંગ લીસ્ટ 3-9 મહિનાનું છે. જો કે આ કંપનીઓ ગ્રાહકોને કારની ડિલીવરી ન કરી શક્તા હવે ગ્રાહકોની ધીરજ ખુટી ગઈ છે અને ઓર્ડરો કેન્સલ કરાવી  રહ્યા છે.


શા માટે કારની ડિલીવરીમાં વિલંબ?


કોરોના સંકટ બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાઈ ચેઈન ખોરવાઈ ગઈ છે. દુનિયામાં સેમીકન્ડક્ટર ચિપની અછત છે. ઓટોમોબાઈલ કંપનીઓ સેમીકંડક્ટરની ભયાનક તંગીનો સામનો કરી રહી છે. તે ઉપરાંત કંપનીઓને વાહનોને ઉપકરણોની પણ અછત છે. હાલ ભારતમાં લગભગ 8 લાખ એસયુવીના ઓર્ડર પેન્ડિગ છે.



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.