મંદી અને મોંઘવારી ભૂલી જાઓ, દેશમાં 8 લાખ કારના ઓર્ડર પેન્ડિગ, એક વર્ષ રાહ જોવી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-04 19:21:33

દેશની અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા, વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં વધારો હોવા છતાં, મોટી સંખ્યામાં કારના નવા બુકિંગ થઈ રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીઓ ખાસ કરીને એસયુવીના બેકલોકને ક્લીયર કરવામાં અસમર્થ છે. મહિન્દ્રાની Scorpio-N, Tata's Nexon, Maruti's Brezza, Hyundai's Creta અને Mercedes GLS માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડશે.


કઈ કંપનીના ઓર્ડર પેન્ડિંગ


દેશની સૌથી મોટી  કંપની મારૂતિ સુઝુકી પાસે સૌથી મોટો ઓર્ડર પેન્ડિંગ છે. કંપની પાસે 3.9 લાખ કારોનો બેકલોગ છે. તે જ પ્રકારે મહિન્દ્રાની થાર (Thar), XUV700, અને સ્કોર્પિયો-એન માટે મોટું બુકિંગ થયું છે. મર્સિડિઝ-બેન્ઝની પણ આ જ સ્થિતી થઈ છે. મર્સિડીઝ બેન્ઝના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ)ના જણાવ્યા પ્રમાણે કંપની પાસે 7 હજાર કારોનો ઓર્ડર છે અને વેઈટિંગ લીસ્ટ 3-9 મહિનાનું છે. જો કે આ કંપનીઓ ગ્રાહકોને કારની ડિલીવરી ન કરી શક્તા હવે ગ્રાહકોની ધીરજ ખુટી ગઈ છે અને ઓર્ડરો કેન્સલ કરાવી  રહ્યા છે.


શા માટે કારની ડિલીવરીમાં વિલંબ?


કોરોના સંકટ બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાઈ ચેઈન ખોરવાઈ ગઈ છે. દુનિયામાં સેમીકન્ડક્ટર ચિપની અછત છે. ઓટોમોબાઈલ કંપનીઓ સેમીકંડક્ટરની ભયાનક તંગીનો સામનો કરી રહી છે. તે ઉપરાંત કંપનીઓને વાહનોને ઉપકરણોની પણ અછત છે. હાલ ભારતમાં લગભગ 8 લાખ એસયુવીના ઓર્ડર પેન્ડિગ છે.



અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.