મંદી અને મોંઘવારી ભૂલી જાઓ, દેશમાં 8 લાખ કારના ઓર્ડર પેન્ડિગ, એક વર્ષ રાહ જોવી પડશે


  • Published By :
  • Published Date : 2022-11-04 19:21:33

દેશની અર્થવ્યવસ્થાની અનિશ્ચિતતા, વધતી મોંઘવારી અને વ્યાજ દરોમાં વધારો હોવા છતાં, મોટી સંખ્યામાં કારના નવા બુકિંગ થઈ રહ્યા છે. ઓટો મોબાઈલ કંપનીઓ ખાસ કરીને એસયુવીના બેકલોકને ક્લીયર કરવામાં અસમર્થ છે. મહિન્દ્રાની Scorpio-N, Tata's Nexon, Maruti's Brezza, Hyundai's Creta અને Mercedes GLS માટે ગ્રાહકોને લાંબો સમય રાહ જોવી પડશે.


કઈ કંપનીના ઓર્ડર પેન્ડિંગ


દેશની સૌથી મોટી  કંપની મારૂતિ સુઝુકી પાસે સૌથી મોટો ઓર્ડર પેન્ડિંગ છે. કંપની પાસે 3.9 લાખ કારોનો બેકલોગ છે. તે જ પ્રકારે મહિન્દ્રાની થાર (Thar), XUV700, અને સ્કોર્પિયો-એન માટે મોટું બુકિંગ થયું છે. મર્સિડિઝ-બેન્ઝની પણ આ જ સ્થિતી થઈ છે. મર્સિડીઝ બેન્ઝના વાઈસ પ્રેસિડેન્ટ (સેલ્સ એન્ડ માર્કેટિંગ)ના જણાવ્યા પ્રમાણે કંપની પાસે 7 હજાર કારોનો ઓર્ડર છે અને વેઈટિંગ લીસ્ટ 3-9 મહિનાનું છે. જો કે આ કંપનીઓ ગ્રાહકોને કારની ડિલીવરી ન કરી શક્તા હવે ગ્રાહકોની ધીરજ ખુટી ગઈ છે અને ઓર્ડરો કેન્સલ કરાવી  રહ્યા છે.


શા માટે કારની ડિલીવરીમાં વિલંબ?


કોરોના સંકટ બાદ સમગ્ર વિશ્વમાં સપ્લાઈ ચેઈન ખોરવાઈ ગઈ છે. દુનિયામાં સેમીકન્ડક્ટર ચિપની અછત છે. ઓટોમોબાઈલ કંપનીઓ સેમીકંડક્ટરની ભયાનક તંગીનો સામનો કરી રહી છે. તે ઉપરાંત કંપનીઓને વાહનોને ઉપકરણોની પણ અછત છે. હાલ ભારતમાં લગભગ 8 લાખ એસયુવીના ઓર્ડર પેન્ડિગ છે.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.