ભારતમાં ઓક્ટોબરમાં કારનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 3-વ્હીલરના વેચાણમાં 42%નો ઉછાળો


  • Published By :
  • Published Date : 2023-11-10 22:31:43

દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, 10 નવેમ્બરના રોજ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ ઓક્ટોબર 2023માં ઓટો ઉદ્યોગના સેલ્સના આંકડા જાહેર કર્યા છે. SIAMના આંકડા અનુસાર, ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પેસેન્જર વાહનો માટે, આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે (YoY) 15.9 ટકા વૃદ્ધિ જોવા મળી છે.


પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધ્યું


સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર, પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધીને 3,89,714 યુનિટ થયું છે, જ્યારે 2-વ્હીલરના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 20%નો ઉછાળો જોવા મળ્યો છે અને આ ઓક્ટોબરમાં 18.96 લાખ વાહનોનું વેચાણ થયું હતું. આ સાથે જ 3-વ્હીલર વાહનોના વેચાણમાં 42%નો જંગી ઉછાળો આવ્યો હતો અને આ ઓક્ટોબરમાં 76,940 વાહનોનું વેચાણ થયું હતું. SIAMના પ્રમુખ વિનોદ અગ્રવાલે તહેવારોની મોસમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે વેચાણમાં વધારાનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે “બંને પેસેન્જર વાહનો અને થ્રી-વ્હીલરોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું છે, જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ઓક્ટોબર 2023 મહિનામાં સારું વેચાણ નોંધાયું છે. ત્રણેય સેગમેન્ટમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. 


કેટલું રહ્યું પ્રોડક્શન?


ઑક્ટોબર 2023 માટે પેસેન્જર વાહનો, 3-વ્હીલર્સ, 2-વ્હીલર્સ અને ક્વાડ્રિસાઇકલનું કુલ પ્રોડક્શન 26,21,248 યુનિટ હતું. આમાં BMW, Mercedes, JLR, Tata Motors અને Volvo Autoના આંકડાનો સમાવેશ થતો નથી. એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે.  


SIAMએ શું કહ્યું?


SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, પેસેન્જર અને 3-વ્હીલરે ઓક્ટોબર માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ આંકડા રજૂ કર્યા છે. આ સાથે જ 2-વ્હીલર સેગમેન્ટમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. ત્રણેયમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં સરકારની નીતિ અને તહેવારોની સીઝનનો પણ મોટો ફાળો રહ્યો છે. સિયામના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 3.90 લાખ યુનિટ હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 15.9 ટકા વધુ છે. ઓક્ટોબર 2023માં થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 42.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 0.77 લાખ યુનિટનું વેચાણ નોંધાયું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા મહિને 18.96 લાખ યુનિટ ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 20.1 ટકાની વૃદ્ધિ સાથે થયું હતું.


મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં ઘટાડો


SIAMના રિપોર્ટ મુજબ એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે. જ્યારે મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં અનુક્રમે 39 ટકા અને 25 ટકાનો ઘટાડો થયો છે. ઘઉં અને ચોખાની નિકાસ પરના પ્રતિબંધ પછી ગ્રામીણ આવકને અસર થતાં કૃષિ વેતનમાં ઘટાડો થયો છે અને ભારતમાં પણ આ વર્ષે જૂન-સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે, જેના કારણે આ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે