ભારતમાં ઓક્ટોબરમાં કારનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 3-વ્હીલરના વેચાણમાં 42%નો ઉછાળો


  • Published By :
  • Published Date : 2023-11-10 22:31:43

દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, 10 નવેમ્બરના રોજ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ ઓક્ટોબર 2023માં ઓટો ઉદ્યોગના સેલ્સના આંકડા જાહેર કર્યા છે. SIAMના આંકડા અનુસાર, ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પેસેન્જર વાહનો માટે, આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે (YoY) 15.9 ટકા વૃદ્ધિ જોવા મળી છે.


પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધ્યું


સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર, પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધીને 3,89,714 યુનિટ થયું છે, જ્યારે 2-વ્હીલરના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 20%નો ઉછાળો જોવા મળ્યો છે અને આ ઓક્ટોબરમાં 18.96 લાખ વાહનોનું વેચાણ થયું હતું. આ સાથે જ 3-વ્હીલર વાહનોના વેચાણમાં 42%નો જંગી ઉછાળો આવ્યો હતો અને આ ઓક્ટોબરમાં 76,940 વાહનોનું વેચાણ થયું હતું. SIAMના પ્રમુખ વિનોદ અગ્રવાલે તહેવારોની મોસમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે વેચાણમાં વધારાનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે “બંને પેસેન્જર વાહનો અને થ્રી-વ્હીલરોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું છે, જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ઓક્ટોબર 2023 મહિનામાં સારું વેચાણ નોંધાયું છે. ત્રણેય સેગમેન્ટમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. 


કેટલું રહ્યું પ્રોડક્શન?


ઑક્ટોબર 2023 માટે પેસેન્જર વાહનો, 3-વ્હીલર્સ, 2-વ્હીલર્સ અને ક્વાડ્રિસાઇકલનું કુલ પ્રોડક્શન 26,21,248 યુનિટ હતું. આમાં BMW, Mercedes, JLR, Tata Motors અને Volvo Autoના આંકડાનો સમાવેશ થતો નથી. એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે.  


SIAMએ શું કહ્યું?


SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, પેસેન્જર અને 3-વ્હીલરે ઓક્ટોબર માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ આંકડા રજૂ કર્યા છે. આ સાથે જ 2-વ્હીલર સેગમેન્ટમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. ત્રણેયમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં સરકારની નીતિ અને તહેવારોની સીઝનનો પણ મોટો ફાળો રહ્યો છે. સિયામના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 3.90 લાખ યુનિટ હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 15.9 ટકા વધુ છે. ઓક્ટોબર 2023માં થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 42.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 0.77 લાખ યુનિટનું વેચાણ નોંધાયું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા મહિને 18.96 લાખ યુનિટ ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 20.1 ટકાની વૃદ્ધિ સાથે થયું હતું.


મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં ઘટાડો


SIAMના રિપોર્ટ મુજબ એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે. જ્યારે મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં અનુક્રમે 39 ટકા અને 25 ટકાનો ઘટાડો થયો છે. ઘઉં અને ચોખાની નિકાસ પરના પ્રતિબંધ પછી ગ્રામીણ આવકને અસર થતાં કૃષિ વેતનમાં ઘટાડો થયો છે અને ભારતમાં પણ આ વર્ષે જૂન-સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે, જેના કારણે આ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.