ભારતમાં ઓક્ટોબરમાં કારનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 3-વ્હીલરના વેચાણમાં 42%નો ઉછાળો


  • Published By :
  • Published Date : 2023-11-10 22:31:43

દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, 10 નવેમ્બરના રોજ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ ઓક્ટોબર 2023માં ઓટો ઉદ્યોગના સેલ્સના આંકડા જાહેર કર્યા છે. SIAMના આંકડા અનુસાર, ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પેસેન્જર વાહનો માટે, આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે (YoY) 15.9 ટકા વૃદ્ધિ જોવા મળી છે.


પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધ્યું


સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર, પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધીને 3,89,714 યુનિટ થયું છે, જ્યારે 2-વ્હીલરના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 20%નો ઉછાળો જોવા મળ્યો છે અને આ ઓક્ટોબરમાં 18.96 લાખ વાહનોનું વેચાણ થયું હતું. આ સાથે જ 3-વ્હીલર વાહનોના વેચાણમાં 42%નો જંગી ઉછાળો આવ્યો હતો અને આ ઓક્ટોબરમાં 76,940 વાહનોનું વેચાણ થયું હતું. SIAMના પ્રમુખ વિનોદ અગ્રવાલે તહેવારોની મોસમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે વેચાણમાં વધારાનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે “બંને પેસેન્જર વાહનો અને થ્રી-વ્હીલરોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું છે, જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ઓક્ટોબર 2023 મહિનામાં સારું વેચાણ નોંધાયું છે. ત્રણેય સેગમેન્ટમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. 


કેટલું રહ્યું પ્રોડક્શન?


ઑક્ટોબર 2023 માટે પેસેન્જર વાહનો, 3-વ્હીલર્સ, 2-વ્હીલર્સ અને ક્વાડ્રિસાઇકલનું કુલ પ્રોડક્શન 26,21,248 યુનિટ હતું. આમાં BMW, Mercedes, JLR, Tata Motors અને Volvo Autoના આંકડાનો સમાવેશ થતો નથી. એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે.  


SIAMએ શું કહ્યું?


SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, પેસેન્જર અને 3-વ્હીલરે ઓક્ટોબર માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ આંકડા રજૂ કર્યા છે. આ સાથે જ 2-વ્હીલર સેગમેન્ટમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. ત્રણેયમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં સરકારની નીતિ અને તહેવારોની સીઝનનો પણ મોટો ફાળો રહ્યો છે. સિયામના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 3.90 લાખ યુનિટ હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 15.9 ટકા વધુ છે. ઓક્ટોબર 2023માં થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 42.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 0.77 લાખ યુનિટનું વેચાણ નોંધાયું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા મહિને 18.96 લાખ યુનિટ ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 20.1 ટકાની વૃદ્ધિ સાથે થયું હતું.


મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં ઘટાડો


SIAMના રિપોર્ટ મુજબ એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે. જ્યારે મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં અનુક્રમે 39 ટકા અને 25 ટકાનો ઘટાડો થયો છે. ઘઉં અને ચોખાની નિકાસ પરના પ્રતિબંધ પછી ગ્રામીણ આવકને અસર થતાં કૃષિ વેતનમાં ઘટાડો થયો છે અને ભારતમાં પણ આ વર્ષે જૂન-સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે, જેના કારણે આ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે.  



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.