ભારતમાં ઓક્ટોબરમાં કારનું વેચાણ રેકોર્ડ સ્તરે પહોંચ્યું, 3-વ્હીલરના વેચાણમાં 42%નો ઉછાળો


  • Published By :
  • Published Date : 2023-11-10 22:31:43

દેશમાં પેસેન્જર વાહનોના વેચાણમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે, 10 નવેમ્બરના રોજ સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) એ ઓક્ટોબર 2023માં ઓટો ઉદ્યોગના સેલ્સના આંકડા જાહેર કર્યા છે. SIAMના આંકડા અનુસાર, ઓક્ટોબર 2023માં પેસેન્જર વાહનો, થ્રી-વ્હીલર, ટુ-વ્હીલર અને ક્વાડ્રિસાઇકલનું કુલ ઉત્પાદન 26,21,248 યુનિટ હતું. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને પેસેન્જર વાહનો માટે, આ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે (YoY) 15.9 ટકા વૃદ્ધિ જોવા મળી છે.


પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધ્યું


સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) દ્વારા આજે જાહેર કરાયેલા આંકડા અનુસાર, પેસેન્જર વાહનોનું વેચાણ 16% વધીને 3,89,714 યુનિટ થયું છે, જ્યારે 2-વ્હીલરના વેચાણમાં ગયા વર્ષની સરખામણીમાં 20%નો ઉછાળો જોવા મળ્યો છે અને આ ઓક્ટોબરમાં 18.96 લાખ વાહનોનું વેચાણ થયું હતું. આ સાથે જ 3-વ્હીલર વાહનોના વેચાણમાં 42%નો જંગી ઉછાળો આવ્યો હતો અને આ ઓક્ટોબરમાં 76,940 વાહનોનું વેચાણ થયું હતું. SIAMના પ્રમુખ વિનોદ અગ્રવાલે તહેવારોની મોસમ અને સરકારની સાનુકૂળ નીતિઓને કારણે વેચાણમાં વધારાનું કારણ આપ્યું છે. તેમણે કહ્યું કે “બંને પેસેન્જર વાહનો અને થ્રી-વ્હીલરોએ ઓક્ટોબરમાં અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ નોંધાવ્યું છે, જ્યારે ટુ-વ્હીલર સેગમેન્ટમાં પણ ઓક્ટોબર 2023 મહિનામાં સારું વેચાણ નોંધાયું છે. ત્રણેય સેગમેન્ટમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાઈ છે. 


કેટલું રહ્યું પ્રોડક્શન?


ઑક્ટોબર 2023 માટે પેસેન્જર વાહનો, 3-વ્હીલર્સ, 2-વ્હીલર્સ અને ક્વાડ્રિસાઇકલનું કુલ પ્રોડક્શન 26,21,248 યુનિટ હતું. આમાં BMW, Mercedes, JLR, Tata Motors અને Volvo Autoના આંકડાનો સમાવેશ થતો નથી. એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે.  


SIAMએ શું કહ્યું?


SIAMના પ્રેસિડેન્ટ વિનોદ અગ્રવાલે જણાવ્યું હતું કે, પેસેન્જર અને 3-વ્હીલરે ઓક્ટોબર માટે અત્યાર સુધીના શ્રેષ્ઠ આંકડા રજૂ કર્યા છે. આ સાથે જ 2-વ્હીલર સેગમેન્ટમાં પણ સારી વૃદ્ધિ જોવા મળી હતી. ત્રણેયમાં ડબલ ડિજિટ વૃદ્ધિ જોવા મળી હતી, જેમાં સરકારની નીતિ અને તહેવારોની સીઝનનો પણ મોટો ફાળો રહ્યો છે. સિયામના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં પેસેન્જર વાહનોનું અત્યાર સુધીનું સૌથી વધુ વેચાણ 3.90 લાખ યુનિટ હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 15.9 ટકા વધુ છે. ઓક્ટોબર 2023માં થ્રી-વ્હીલર સેગમેન્ટમાં 42.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. આ સમયગાળા દરમિયાન અંદાજે 0.77 લાખ યુનિટનું વેચાણ નોંધાયું છે. અગ્રવાલે જણાવ્યું હતું કે ગયા મહિને 18.96 લાખ યુનિટ ટુ-વ્હીલરનું વેચાણ વાર્ષિક ધોરણે 20.1 ટકાની વૃદ્ધિ સાથે થયું હતું.


મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં ઘટાડો


SIAMના રિપોર્ટ મુજબ એક વર્ષ અગાઉની સરખામણીમાં આ વર્ષે સપ્ટેમ્બરના ત્રણ મહિનામાં એન્ટ્રી-લેવલ કારનું વેચાણ 75 ટકા ઘટીને 35,000 યુનિટ થયું છે. જ્યારે મોટરસાઇકલ અને સ્કૂટરના વેચાણમાં અનુક્રમે 39 ટકા અને 25 ટકાનો ઘટાડો થયો છે. ઘઉં અને ચોખાની નિકાસ પરના પ્રતિબંધ પછી ગ્રામીણ આવકને અસર થતાં કૃષિ વેતનમાં ઘટાડો થયો છે અને ભારતમાં પણ આ વર્ષે જૂન-સપ્ટેમ્બરમાં ઓછો વરસાદ થયો છે, જેના કારણે આ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.