શેર બજારમાં કત્લેઆમ, સેન્સેક્સ 1053.10 અને નિફ્ટીમાં 333 ટકાનો કડાકો, ઝીના શેરો 31 ટકા તૂટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-23 16:44:37

શેર બજારમાં આજે ફરી કડાકો બોલાયો છે, ભારે વેચવાલીના કારણે BSE સેન્સેક્સ એક હજાર પોઈન્ટથી પણ વધુ તુટ્યો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બિએસઈ સેન્સેક્સ 1053.10 અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈનો નિફ્ટી 333 ટકા તુટ્યો છે. આ કડાકા સાથે જ રોકાણકારોને 8 લાખ કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. આ ઘટાડા સાથે જ સેન્સેક્સ 70,360.55 અને નિફ્ટી 21,238.80 પોઈન્ટ પર બંધ રહ્યો છે. બિએસઈ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને 366 લાખ કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. 


શા માટે માર્કેટ તુટ્યું?


આજે શેર બજાર તુટ્યું તે માટે બજાર નિષ્ણાતો લાલ સાગરમાં ચાલી રહેલી તંગદીલીને માની રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની નેવી દ્વારા હુથી બળવાખોરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સંઘર્ષ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેને લઈને માર્કેટમાં ચિંતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં ખરીદદારી જ કરી છે પરંતું આ મહિનાથી તે 13 હજાર કરોડથી પણ વધુનું વેચાણ કરી ચુક્યા છે. 


ઝીના શેરો 31 ટકા તુટ્યા


શેર બજારમાં સૌથી વધુ નુકસાન ઝી એન્ટરટેઈનમેન્ટના રોકાણકારોને થયું છે, ઝીના શેરો 30.74 ટકાના ઘટાડા સાથે 160.50રૂપિયા પર આવી ગયા છે. સોનીએ ઝી સાથે 10 અબજ ડોલરની ડીલ તોડવાની જાહેરાત કરતા જ ઝીના શેરમાં કડાકો બોલાયો છે. તે ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચયુએલ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એલ એન્ડ ટી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, કોટક બેંક, એશિયન પેઈન્ટ, સહિતના શેરોમાં કડાકો બોલાયો છે.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.