શેર બજારમાં કત્લેઆમ, સેન્સેક્સ 1053.10 અને નિફ્ટીમાં 333 ટકાનો કડાકો, ઝીના શેરો 31 ટકા તૂટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-23 16:44:37

શેર બજારમાં આજે ફરી કડાકો બોલાયો છે, ભારે વેચવાલીના કારણે BSE સેન્સેક્સ એક હજાર પોઈન્ટથી પણ વધુ તુટ્યો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બિએસઈ સેન્સેક્સ 1053.10 અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈનો નિફ્ટી 333 ટકા તુટ્યો છે. આ કડાકા સાથે જ રોકાણકારોને 8 લાખ કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. આ ઘટાડા સાથે જ સેન્સેક્સ 70,360.55 અને નિફ્ટી 21,238.80 પોઈન્ટ પર બંધ રહ્યો છે. બિએસઈ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને 366 લાખ કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. 


શા માટે માર્કેટ તુટ્યું?


આજે શેર બજાર તુટ્યું તે માટે બજાર નિષ્ણાતો લાલ સાગરમાં ચાલી રહેલી તંગદીલીને માની રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની નેવી દ્વારા હુથી બળવાખોરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સંઘર્ષ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેને લઈને માર્કેટમાં ચિંતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં ખરીદદારી જ કરી છે પરંતું આ મહિનાથી તે 13 હજાર કરોડથી પણ વધુનું વેચાણ કરી ચુક્યા છે. 


ઝીના શેરો 31 ટકા તુટ્યા


શેર બજારમાં સૌથી વધુ નુકસાન ઝી એન્ટરટેઈનમેન્ટના રોકાણકારોને થયું છે, ઝીના શેરો 30.74 ટકાના ઘટાડા સાથે 160.50રૂપિયા પર આવી ગયા છે. સોનીએ ઝી સાથે 10 અબજ ડોલરની ડીલ તોડવાની જાહેરાત કરતા જ ઝીના શેરમાં કડાકો બોલાયો છે. તે ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચયુએલ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એલ એન્ડ ટી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, કોટક બેંક, એશિયન પેઈન્ટ, સહિતના શેરોમાં કડાકો બોલાયો છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે