શેર બજારમાં કત્લેઆમ, સેન્સેક્સ 1053.10 અને નિફ્ટીમાં 333 ટકાનો કડાકો, ઝીના શેરો 31 ટકા તૂટ્યા


  • Published By :
  • Published Date : 2024-01-23 16:44:37

શેર બજારમાં આજે ફરી કડાકો બોલાયો છે, ભારે વેચવાલીના કારણે BSE સેન્સેક્સ એક હજાર પોઈન્ટથી પણ વધુ તુટ્યો છે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો બિએસઈ સેન્સેક્સ 1053.10 અને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈનો નિફ્ટી 333 ટકા તુટ્યો છે. આ કડાકા સાથે જ રોકાણકારોને 8 લાખ કરોડથી પણ વધુનું નુકસાન થયું છે. આ ઘટાડા સાથે જ સેન્સેક્સ 70,360.55 અને નિફ્ટી 21,238.80 પોઈન્ટ પર બંધ રહ્યો છે. બિએસઈ લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ ઘટીને 366 લાખ કરોડ રૂપિયા જેટલું રહી ગયું છે. 


શા માટે માર્કેટ તુટ્યું?


આજે શેર બજાર તુટ્યું તે માટે બજાર નિષ્ણાતો લાલ સાગરમાં ચાલી રહેલી તંગદીલીને માની રહ્યા છે. અમેરિકા અને બ્રિટનની નેવી દ્વારા હુથી બળવાખોરો પર હુમલા કરવામાં આવી રહ્યા છે. આ સંઘર્ષ મોટું સ્વરૂપ ધારણ ન કરે તેને લઈને માર્કેટમાં ચિંતા પ્રવર્તી રહી છે. અત્યાર સુધી વિદેશી રોકાણકારોએ ભારતીય શેર બજારમાં ખરીદદારી જ કરી છે પરંતું આ મહિનાથી તે 13 હજાર કરોડથી પણ વધુનું વેચાણ કરી ચુક્યા છે. 


ઝીના શેરો 31 ટકા તુટ્યા


શેર બજારમાં સૌથી વધુ નુકસાન ઝી એન્ટરટેઈનમેન્ટના રોકાણકારોને થયું છે, ઝીના શેરો 30.74 ટકાના ઘટાડા સાથે 160.50રૂપિયા પર આવી ગયા છે. સોનીએ ઝી સાથે 10 અબજ ડોલરની ડીલ તોડવાની જાહેરાત કરતા જ ઝીના શેરમાં કડાકો બોલાયો છે. તે ઉપરાંત ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, એચયુએલ, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ, એલ એન્ડ ટી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, વિપ્રો, કોટક બેંક, એશિયન પેઈન્ટ, સહિતના શેરોમાં કડાકો બોલાયો છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.