પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે? પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:59:20

ગુજરાત પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે?
પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ચૂંટણી ભલે એક જ થઈ મુખ્યમંત્રી આ ત્રીજા છે, અને એટલે જ આવનાર દરેક મુખ્યમંત્રીના મનમાં ગમે ત્યારે મારી ખુરશી જતી રહેશે એવો ડર રહે એ સ્વાભાવિક છે, પણ એ ડરના કારણે કોઈ પોતાના સુત્રોના આધારે મળેલી માહિતી લખવાનું તો કેવી રીતે છોડી દે?


રાજકોટના પેપરે લખ્યું CM બદલાય છે, FIR થઈ ગઈ!

સૌરાષ્ટ્રમાં ચાલતા બે અખબાર સૌરાષ્ટ્ર હેડલાઈન અને કાઠિયાવાડી મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈને પરસોત્તમ રૂપાલા બનશે એવું પ્રસ્થાપિત કરતી હેડલાઈન ગુડબાય ભૂપેન્દ્રજી વેલકમ રૂપાલા લખ્યું હતુ તો એના આધારે પોલીસે એમના પર એફઆઈઆર નોંધી છે, બાબુ વઘેરા નામના વ્યક્તિએ રાજકોટ એ-ડિવીઝનને આપેલી ફરીયાદના આધારે પોલીસે કલમ 505 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે

 

હવે એક હેડલાઈનથી ભાજપની શાંતિ ખોરવાઈ જશે?

પોલીસે લખ્યું છે કે આ કામના આરોપીઓએ ભારતીય જનતા પક્ષમાં ગભરાટ પેદા થાય અને તેનાથી કોઈ વ્યક્તિ ગુનો કરી બેસે અને જાહેર શાંતિ વિરૂદ્ધ કોઈ કૃત્ય કરી શકે છે, તો પોલીસ આરોપીઓ બેફામ ફરે, Mehul Boghara જેવા એક્ટીવિસ્ટ પર લાઈવ વિડીયોમાં હુમલો થાય તો આટલા જલદી ફરીયાદ કેમ નથી લેતી? નેતા અને નાગરીક માટે વર્તન અલગ-અલગ કેમ છે?

 

આ પહેલા ધવલ પટેલ પર રાજદ્રોહ લગાવ્યો હતો!

આ પહેલીવાર નથી કે પત્રકાર પર કેસ થયો હોય અને કદાચ આ છેલ્લીવાર પણ નથી, ધવલ પટેલ નામના પત્રકાર પર વિજય રૂપાણીની સરકાર બદલાય છે માત્ર એટલું લખવાથી એફ.આઈ.આર થઈ ગઈ હતી, રાજદ્રોહનો ગુનો સરકારે દાખલ કર્યો હતો, છેલ્લે વિજય રૂપાણી પણ બદાલાયા અને ધવલ પટેલ પણ છુટ્યા, હવે વિજય રૂપાણીની સરકાર બદલાઈ ગઈ તો સરકાર પર ખોટા કેસની કાર્યવાહી પોલીસ કરશે?



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .