પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે? પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 17:59:20

ગુજરાત પોલીસ ગુજરાત માટે કામ કરે છે કે ભાજપ માટે?
પોલીસ નેતાઓના ઈશારે સિલેક્ટીવ રીતે કેમ કામ કરે છે?


ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર છે, પણ નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા પછી ચૂંટણી ભલે એક જ થઈ મુખ્યમંત્રી આ ત્રીજા છે, અને એટલે જ આવનાર દરેક મુખ્યમંત્રીના મનમાં ગમે ત્યારે મારી ખુરશી જતી રહેશે એવો ડર રહે એ સ્વાભાવિક છે, પણ એ ડરના કારણે કોઈ પોતાના સુત્રોના આધારે મળેલી માહિતી લખવાનું તો કેવી રીતે છોડી દે?


રાજકોટના પેપરે લખ્યું CM બદલાય છે, FIR થઈ ગઈ!

સૌરાષ્ટ્રમાં ચાલતા બે અખબાર સૌરાષ્ટ્ર હેડલાઈન અને કાઠિયાવાડી મીડિયામાં ગુજરાતના મુખ્યમંત્રી બદલાઈને પરસોત્તમ રૂપાલા બનશે એવું પ્રસ્થાપિત કરતી હેડલાઈન ગુડબાય ભૂપેન્દ્રજી વેલકમ રૂપાલા લખ્યું હતુ તો એના આધારે પોલીસે એમના પર એફઆઈઆર નોંધી છે, બાબુ વઘેરા નામના વ્યક્તિએ રાજકોટ એ-ડિવીઝનને આપેલી ફરીયાદના આધારે પોલીસે કલમ 505 અને 114 મુજબ ગુનો નોંધ્યો છે

 

હવે એક હેડલાઈનથી ભાજપની શાંતિ ખોરવાઈ જશે?

પોલીસે લખ્યું છે કે આ કામના આરોપીઓએ ભારતીય જનતા પક્ષમાં ગભરાટ પેદા થાય અને તેનાથી કોઈ વ્યક્તિ ગુનો કરી બેસે અને જાહેર શાંતિ વિરૂદ્ધ કોઈ કૃત્ય કરી શકે છે, તો પોલીસ આરોપીઓ બેફામ ફરે, Mehul Boghara જેવા એક્ટીવિસ્ટ પર લાઈવ વિડીયોમાં હુમલો થાય તો આટલા જલદી ફરીયાદ કેમ નથી લેતી? નેતા અને નાગરીક માટે વર્તન અલગ-અલગ કેમ છે?

 

આ પહેલા ધવલ પટેલ પર રાજદ્રોહ લગાવ્યો હતો!

આ પહેલીવાર નથી કે પત્રકાર પર કેસ થયો હોય અને કદાચ આ છેલ્લીવાર પણ નથી, ધવલ પટેલ નામના પત્રકાર પર વિજય રૂપાણીની સરકાર બદલાય છે માત્ર એટલું લખવાથી એફ.આઈ.આર થઈ ગઈ હતી, રાજદ્રોહનો ગુનો સરકારે દાખલ કર્યો હતો, છેલ્લે વિજય રૂપાણી પણ બદાલાયા અને ધવલ પટેલ પણ છુટ્યા, હવે વિજય રૂપાણીની સરકાર બદલાઈ ગઈ તો સરકાર પર ખોટા કેસની કાર્યવાહી પોલીસ કરશે?



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .