કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ નોંધાયો કેસ, NCPCR અધ્યક્ષનો દાવો


  • Published By :
  • Published Date : 2024-01-24 21:52:04

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. વર્ષ 2021માં દિલ્હી કેન્ટ વિસ્તારમાં એક સગીરા પર થયેલા કથિત બળાત્કાર અને હત્યાના કેસ મામલે રાહુલ ગાંધી સામે ફરિયાદ નોંધાયા હડકંપ મચી ગયો છે. દિલ્હી પોલીસે પીડિત બાળકી અને તેના પરિવારની ઓળખ છતી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ દ્વારા આ મામલે જાણકારી આપવામાં આવી છે. દિલ્હી પોલીસે પીડિત સગીરા અને તેના પરિવારની ઓળખ છતી કરવા બદલ રાહુલ ગાંધી વિરુદ્ધ આ કેસ નોંધ્યો છે. 


દિલ્હી પોલીસે HCને આપી જાણકારી


નવ વર્ષની બળાત્કાર પીડિતાની ઓળખ છતી કરવાના મામલે દિલ્હી પોલીસે દિલ્હી હાઈકોર્ટને જણાવ્યું કે આ મામલે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જો કે રાહુલ ગાંધી વતી હાજર રહેલા એડવોકેટે કોર્ટને માહિતી આપી હતી કે સંબંધિત પોસ્ટ કાઢી નાખવામાં આવી છે. બંને પક્ષકારોને રેકોર્ડ પર લઈ કોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. કોર્ટ 2021માં સામાજિક કાર્યકર્તા મકરંદ સુરેશ મ્હાડલેકરની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં X (તે સમયે ટ્વિટર) પર તેના માતા-પિતા સાથેનો ફોટો પ્રકાશિત કરીને પીડિતાની ઓળખ જાહેર કરવા બદલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવાની માંગ કરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન દિલ્હી પોલીસે કોર્ટને કહ્યું હતું કે NCPCRના રજિસ્ટ્રારની ફરિયાદના આધારે રાહુલ ગાંધી વિરુદ્ધ તેમના ટ્વિટ માટે સપ્ટેમ્બર, 2021 માં FIR દાખલ કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ દ્વારા કોર્ટને એ પણ જણાવવામાં આવ્યું હતું કે ભારતીય દંડ સંહિતા 1860 (IPC) અને POCSO એક્ટ (POCSO Act) 2015 ના સંબંધિત ગુનાઓ હેઠળ આરોપી વ્યક્તિઓ વિરુદ્ધ ઓગસ્ટ 2021 માં FIR દાખલ કરવામાં આવી હતી, જો કે કેસ હજુ પણ પેન્ડિંગ છે અને આરોપો પણ હજુ બાકી છે.


રાહુલ ગાંધીની ધરપકડની માગ


નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના અધ્યક્ષ પ્રિયંક કાનુનગોએ કહ્યું કે રાહુલ ગાંધી વિરુદ્ધ જે કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે તેમાં 6 મહિનાથી લઈને 2 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. આ મામલાને ગંભીર ગણાવતા તેમણે કહ્યું કે તેમની વહેલી તકે ધરપકડ કરવામાં આવે. તેમણે વધુમાં કહ્યું કે, દિલ્હી પોલીસે આ મામલે પહેલાથી જ વિલંબ કર્યો છે, તેથી હવે વધુ વિલંબ થવો જોઈએ નહીં. આ અગાઉ બુધવારે દિલ્હી હાઈકોર્ટે આ કેસમાં સામાજિક કાર્યકર્તા મકરંદ સુરેશ મ્હાદલેકર દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીનો નિકાલ કર્યો હતો. રાહુલ ગાંધીએ કાર્યવાહક ચીફ જસ્ટિસ મનમોહનની અધ્યક્ષતાવાળી બેંચને કહ્યું કે તેમણે તેમના ટ્વીટર હેંડલમાંથી પોસ્ટ હટાવી દીધી છે. મ્હાદલેકર તેમની અરજીમાં દલીલ કરી હતી કે કોંગ્રેસના સાંસદે રાજકીય લાભ લેવા માટે આ તસવીર પોસ્ટ કરી હતી.


શું છે સમગ્ર મામલો?


વર્ષ 2021માં દિલ્હી કેન્ટ વિસ્તારમાં સ્મશાનની અંદર નવ વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધીએ સગીરના પરિવારને મળ્યા બાદ તેમની તસવીર ટ્વિટર પર પોસ્ટ કરી હતી. ઉલ્લેખનિય છે કે પોલીસે બાળકીના મોતના મામલામાં પૂજારી સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. દિલ્હી મહિલા આયોગ (DCW) એ કહ્યું કે દિલ્હી કેન્ટમાં બાળકીના મૃત્યુની તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. મહિલા આયોગને 1 ઓગસ્ટે બપોરે 12.35 વાગ્યે મહિલા હેલ્પલાઈન પર કોલ આવ્યો હતો જેમાં આ ઘટના વિશે માહિતી આપવામાં આવી હતી.



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.