Corona Vaccineને કારણે વધી રહ્યા છે Heart Attackના કિસ્સા! જાણો વધતા Heart Attackના કિસ્સાઓને લઈ Shaktisinh Gohil સંસદમાં શું કરશે રજૂઆત?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-12-15 10:19:09

ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે. કોરોના બાદ વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેમણે કોરોના વેક્સિન લીધી હતી. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને સરકાર ગંભીરતાથી લે તેવી માગ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. કોરોના બાદ હાર્ટ એટેક શા માટે વધી રહ્યા છે તે વિશે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે. જે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેમણે કઈ વેક્સિન લીધી હતી તે અંગે સર્વે થવો જોઈએ. 

Kuber Dindor: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 10 કેન્દ્રોનું પરિણામ 40 ટકાથી ઓછું  નોધાયું, શિક્ષણ મંત્રીએ ઓછા પરિણામ ધરાવતા કેન્દ્રોની વિગત મંગાવી - Gujarat  ...

શિક્ષણ મંત્રીએ શેર કર્યો હતો હાર્ટ એટેકને લઈ આંકડો

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા. હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે માહિતી શેર કરી હતી કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકને કારણે 1052 લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી 80 ટકા લોકો 11થી 25 વર્ષની ઉંમરના હતા. વધતા હાર્ટ એટેકને કારણે લોકોની ચિંતા વધી રહી છે. 

શક્તિસિંહ ગોહિલે સરકારને કરી માગ   

લોકોમાં વધતી ચિંતાને કારણે સરકારે પણ આ અંગે ચિંતા કરવી જોઈએ તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. અનેક એક્સપર્ટસનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે જે લોકોના મોત થઈ રહ્યા છે તે શહેરી જનો છે અને તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ગામડામાં રહેતા લોકોએ વેક્સિન ઓછી લીધી છે જેને કારણે ગામડામાં હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટનાઓ ઓછી છે. આ બધી ઘટનાઓ પર સરકારે ધ્યાન આપવું જોઈએ. આ અંગે સરકારે સર્વે કરાવો જોઈએ કે કઈ વેક્સિન લેવાને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે વધારે થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કારણે કોઈ મૃત્યુ ના થાય તે માટે પણ પ્રીકોશ્નરી એક્શન લેવાવા જોઈએ. આ અંગેનો પ્રસ્તાવ શૂન્ય કાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં કરવાના છે.   



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.