Corona Vaccineને કારણે વધી રહ્યા છે Heart Attackના કિસ્સા! જાણો વધતા Heart Attackના કિસ્સાઓને લઈ Shaktisinh Gohil સંસદમાં શું કરશે રજૂઆત?


  • Published By :
  • Published Date : 2023-12-15 10:19:09

ગુજરાતમાં હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકને કારણે લોકોના મોત થવા જાણે સામાન્ય બની ગયું છે તેવું લાગે છે. કોરોના બાદ વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને જોતા એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે કોરોના વેક્સિનને કારણે લોકોના મોત થઈ રહ્યા છે. જે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેમણે કોરોના વેક્સિન લીધી હતી. વધતા હાર્ટ એટેકના કિસ્સાઓને સરકાર ગંભીરતાથી લે તેવી માગ કોંગ્રેસના સાંસદ શક્તિસિંહ ગોહિલે કરી છે. કોરોના બાદ હાર્ટ એટેક શા માટે વધી રહ્યા છે તે વિશે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે તેવી માગ તેમણે કરી છે. જે લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે તેમણે કઈ વેક્સિન લીધી હતી તે અંગે સર્વે થવો જોઈએ. 

Kuber Dindor: ધો. 12 વિજ્ઞાન પ્રવાહના 10 કેન્દ્રોનું પરિણામ 40 ટકાથી ઓછું  નોધાયું, શિક્ષણ મંત્રીએ ઓછા પરિણામ ધરાવતા કેન્દ્રોની વિગત મંગાવી - Gujarat  ...

શિક્ષણ મંત્રીએ શેર કર્યો હતો હાર્ટ એટેકને લઈ આંકડો

કોરોનાને કારણે અનેક લોકોના મોત થયા છે પરંતુ કોરોના બાદ હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. પ્રતિદિન સમાચાર આવે છે કે આજે આટલા લોકોના મોત હાર્ટ એટેકને કારણે થયા. હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે માહિતી શેર કરી હતી કે ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં હાર્ટ એટેકને કારણે 1052 લોકોના મોત થયા છે. જે લોકોના મોત થયા છે તેમાંથી 80 ટકા લોકો 11થી 25 વર્ષની ઉંમરના હતા. વધતા હાર્ટ એટેકને કારણે લોકોની ચિંતા વધી રહી છે. 

શક્તિસિંહ ગોહિલે સરકારને કરી માગ   

લોકોમાં વધતી ચિંતાને કારણે સરકારે પણ આ અંગે ચિંતા કરવી જોઈએ તેવી વાત શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે. અનેક એક્સપર્ટસનું કહેવું છે કે હાર્ટ એટેકના કારણે જે લોકોના મોત થઈ રહ્યા છે તે શહેરી જનો છે અને તેમાંથી અનેક લોકોએ કોરોના વેક્સિન લીધી હતી. ગામડામાં રહેતા લોકોએ વેક્સિન ઓછી લીધી છે જેને કારણે ગામડામાં હાર્ટ એટેકને કારણે મોત થવાની ઘટનાઓ ઓછી છે. આ બધી ઘટનાઓ પર સરકારે ધ્યાન આપવું જોઈએ. આ અંગે સરકારે સર્વે કરાવો જોઈએ કે કઈ વેક્સિન લેવાને કારણે લોકોના મોત હાર્ટ એટેકને કારણે વધારે થઈ રહ્યા છે. હાર્ટ એટેકના કારણે કોઈ મૃત્યુ ના થાય તે માટે પણ પ્રીકોશ્નરી એક્શન લેવાવા જોઈએ. આ અંગેનો પ્રસ્તાવ શૂન્ય કાળમાં શક્તિસિંહ ગોહિલ સંસદમાં કરવાના છે.   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે