Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા પરિવાર આઘાતમાં, જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-22 09:09:56

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો આ શબ્દ સાંભળવો જાણે એકદમ સામાન્ય બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક આવવાની સંભાવના વૃદ્ધ લોકોમાં વધારે હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તે તો આપણે જાણીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું છે. 5 વર્ષની બાળકી મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું અચાનક બંધ થઈ ગયું. 


પાંચ વર્ષની બાળકીને આવ્યો હાર્ટ એટેક! 

કોરોનાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હજી સુધી આપણે સાંભળતા હતા કે યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ વધી રહ્યું છે. પરંતુ તે બાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા કાળનો કોળિયો બની જાય છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ વર્ષની બાળકીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહાની છે.


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

આ ઘટના હસનપુર વિસ્તારના હાથિયા ખેડા ગામની છે. મોબાઈલ ફોનમાં કાર્ટુન જોઈ રહી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવાર રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમની દીકરી બેઠી હતી તે વખતે તે મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી. બાળકીની માતા તેની સાથે જ બેઠી હતી. અચાનક દીકરીના હાથમાં મોબાઈલ હતો તે નીચે પડી ગયો. જ્યારે બાળકીને હલાવવામાં આવી ત્યારે તે ઉઠી નહીં. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. અચાનક દીકરીની વિદાયથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે.    





આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.