Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા પરિવાર આઘાતમાં, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-22 09:09:56

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો આ શબ્દ સાંભળવો જાણે એકદમ સામાન્ય બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક આવવાની સંભાવના વૃદ્ધ લોકોમાં વધારે હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તે તો આપણે જાણીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું છે. 5 વર્ષની બાળકી મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું અચાનક બંધ થઈ ગયું. 


પાંચ વર્ષની બાળકીને આવ્યો હાર્ટ એટેક! 

કોરોનાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હજી સુધી આપણે સાંભળતા હતા કે યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ વધી રહ્યું છે. પરંતુ તે બાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા કાળનો કોળિયો બની જાય છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ વર્ષની બાળકીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહાની છે.


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

આ ઘટના હસનપુર વિસ્તારના હાથિયા ખેડા ગામની છે. મોબાઈલ ફોનમાં કાર્ટુન જોઈ રહી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવાર રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમની દીકરી બેઠી હતી તે વખતે તે મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી. બાળકીની માતા તેની સાથે જ બેઠી હતી. અચાનક દીકરીના હાથમાં મોબાઈલ હતો તે નીચે પડી ગયો. જ્યારે બાળકીને હલાવવામાં આવી ત્યારે તે ઉઠી નહીં. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. અચાનક દીકરીની વિદાયથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે.    





ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે