Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવતા પરિવાર આઘાતમાં, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-22 09:09:56

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કોરોના બાદ તો આ શબ્દ સાંભળવો જાણે એકદમ સામાન્ય બની ગયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. હજી સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટ એટેક આવવાની સંભાવના વૃદ્ધ લોકોમાં વધારે હોય છે. પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે તે તો આપણે જાણીએ છીએ પરંતુ ઉત્તરપ્રદેશથી એક કિસ્સો સામે આવ્યો છે જેમાં માત્ર પાંચ વર્ષની બાળકીને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઈ ગયું છે. 5 વર્ષની બાળકી મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું અચાનક બંધ થઈ ગયું. 


પાંચ વર્ષની બાળકીને આવ્યો હાર્ટ એટેક! 

કોરોનાને કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. અનેક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓ પ્રતિદિન સામે આવી રહ્યા છે. હજી સુધી આપણે સાંભળતા હતા કે યુવાનો પર હાર્ટ એટેકનું સંકટ વધી રહ્યું છે. પરંતુ તે બાદ શાળામાં ભણતા વિદ્યાર્થીઓના મોત હાર્ટ એટેકને કારણે થઈ ગયા હોય તેવા સમાચાર સામે આવ્યા. કોઈ ડાન્સ કરતા કરતા મોતને ભેટે છે તો કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપતા આપતા કાળનો કોળિયો બની જાય છે. આ બધા વચ્ચે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે પાંચ વર્ષની બાળકીનું મોત હૃદય હુમલાને કારણે થયું છે. આ ઘટના ઉત્તરપ્રદેશના અમરોહાની છે.


કોરોના બાદ વધ્યા હાર્ટ એટેકના કિસ્સાઓ!

આ ઘટના હસનપુર વિસ્તારના હાથિયા ખેડા ગામની છે. મોબાઈલ ફોનમાં કાર્ટુન જોઈ રહી હતી. મળતી માહિતી અનુસાર શુક્રવાર રાત્રે નવ વાગ્યાની આસપાસ તેમની દીકરી બેઠી હતી તે વખતે તે મોબાઈલમાં કાર્ટુન જોઈ રહી હતી. બાળકીની માતા તેની સાથે જ બેઠી હતી. અચાનક દીકરીના હાથમાં મોબાઈલ હતો તે નીચે પડી ગયો. જ્યારે બાળકીને હલાવવામાં આવી ત્યારે તે ઉઠી નહીં. તેને તરત હોસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કરી. અચાનક દીકરીની વિદાયથી પરિવારમાં શોકની લાગણી પ્રવર્તિ ઉઠી છે. મહત્વનું છે કે હાર્ટ એટેક આવવા પાછળ અનેક કારણ જવાબદાર હોય છે.    





ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.