Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા પ્રાણ


  • Published By :
  • Published Date : 2024-01-15 13:40:22

જેમ કોરોના એક સામાન્ય શબ્દ બની ગયો છે તેમ હવે હાર્ટ એટેક એક સામાન્ય શબ્દ બની ગયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરના વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે હાર્ટ એટેકના જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધુ ત્રણ કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બોટાદથી ઘટના સામે આવી છે જ્યારે બીજી ઘટના રાજકોટથી સામે આવી છે. ભરૂચથી પણ હાર્ટ એટેકનો કિસ્સો નોંધાયો છે.     

The streak of young heart attack deaths in the state continues, two people lost their lives in Saurashtra રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રમાં બે લોકોએ ગુમાવ્યો જીવ

બોટાદમાં હાર્ટ એટેકને કારણે ગયો એક વ્યક્તિનું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરમખ વધારો થઈ રહ્યો છે.  પ્રતિદિન ગુજરાતથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિક્યારે મોતને ભેટે છે તેની જાણ થતી નથી. વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની પણ જાણ નથી થતી. ત્યારે કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે હાર્ટ એટેકે વધુ ત્રણ લોકોના જીવ લીધા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કિસ્સો બોટાદથી સામે આવ્યો છે જેમાં મોડી રાત્રે છાતીમાં નરેશભાઈ નામના વ્યક્તિને દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનો જીવ ન બચી શક્યો. જે વ્યક્તિનું મોત થયું છે તે મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs


એક મહિલાનું જ્યારે એક વ્યક્તિનો ગયો જીવ 

બીજી ઘટના રાજકોટના જેતપુરથી સામે આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા મનીષાબહેનનું મોત હાર્ટ એટેકને કારણે થયુંછે. 45 વર્ષીય મનીષાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાર્ટ એટેકની ત્રીજી ઘટના ભરૂચથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસરામાં એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ સલીમ ઈબ્રાહીમ પટેલ હતું અને તે સંતાનોના પિતા હતા. મહત્વનું છે કે હાર્ટ એટેકને પાછળ અનેક કારણો હોય છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.