Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા પ્રાણ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-01-15 13:40:22

જેમ કોરોના એક સામાન્ય શબ્દ બની ગયો છે તેમ હવે હાર્ટ એટેક એક સામાન્ય શબ્દ બની ગયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરના વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે હાર્ટ એટેકના જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધુ ત્રણ કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બોટાદથી ઘટના સામે આવી છે જ્યારે બીજી ઘટના રાજકોટથી સામે આવી છે. ભરૂચથી પણ હાર્ટ એટેકનો કિસ્સો નોંધાયો છે.     

The streak of young heart attack deaths in the state continues, two people lost their lives in Saurashtra રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રમાં બે લોકોએ ગુમાવ્યો જીવ

બોટાદમાં હાર્ટ એટેકને કારણે ગયો એક વ્યક્તિનું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરમખ વધારો થઈ રહ્યો છે.  પ્રતિદિન ગુજરાતથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિક્યારે મોતને ભેટે છે તેની જાણ થતી નથી. વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની પણ જાણ નથી થતી. ત્યારે કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે હાર્ટ એટેકે વધુ ત્રણ લોકોના જીવ લીધા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કિસ્સો બોટાદથી સામે આવ્યો છે જેમાં મોડી રાત્રે છાતીમાં નરેશભાઈ નામના વ્યક્તિને દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનો જીવ ન બચી શક્યો. જે વ્યક્તિનું મોત થયું છે તે મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs


એક મહિલાનું જ્યારે એક વ્યક્તિનો ગયો જીવ 

બીજી ઘટના રાજકોટના જેતપુરથી સામે આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા મનીષાબહેનનું મોત હાર્ટ એટેકને કારણે થયુંછે. 45 વર્ષીય મનીષાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાર્ટ એટેકની ત્રીજી ઘટના ભરૂચથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસરામાં એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ સલીમ ઈબ્રાહીમ પટેલ હતું અને તે સંતાનોના પિતા હતા. મહત્વનું છે કે હાર્ટ એટેકને પાછળ અનેક કારણો હોય છે. 



આવતી કાલે ગુજરાતની 25 બેઠકો માટે મતદાન થવાનું છે. લોકો મતાધિકારનો ઉપયોગ કરશે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ત્યારે ગુજરાતની 25 બેઠકોના ઉમેદવારોના નામ જણાવવામાં આવ્યા છે.

ભાજપના ખેડાના ઉમેદવાર ચૌહાણ દેવુંસિંહની તસવીર સાથે ચવાણા પેકેટનો ફોટો વાયરલ થઈ રહ્યો છે... ફોટોની સાથે સાથે એક વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ક્ષત્રાણીઓ કહી રહી છે કે અમે આ વખતે 'ચવાણા'માં વેચાવાના નથી.

ક્ષત્રિય સમાજના લોકો ભાજપના નેતાઓનો વિરોધ કરી રહ્યા છે. અનેક નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરના વઢવાણના ધારાસભ્ય જગદીશ મકવાણા દેદાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતા. ત્યારે ક્ષત્રિય સમાજના આક્રોશનો ભોગ બનવુ પડ્યું હતું...

થોડા દિવસ પહેલા જામનગરમાં પીએમ મોદીએ જનસભાને સંબોધી હતી. જનસભાને સંબોધે તે પહેલા જામસાહેબને મળવા માટે પીએમ મોદી ગયા હતા અને તેમણે પીએમ મોદીને પાઘડી આપી હતી. જે બાદ આ મામલે ટીકા પણ થઈ. ત્યારે હવે આ મામલે પ્રતિક્રિયા જામસાહેબ દ્વારા આપવામાં આવી છે.