Corona બાદ વધ્યા Heart Attackના કિસ્સા! આટલા લોકોએ હાર્ટ એટેકને કારણે ગુમાવ્યા પ્રાણ


  • Published By :
  • Published Date : 2024-01-15 13:40:22

જેમ કોરોના એક સામાન્ય શબ્દ બની ગયો છે તેમ હવે હાર્ટ એટેક એક સામાન્ય શબ્દ બની ગયો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં નાની ઉંમરના વ્યક્તિ મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજી સુધી અનેક કિસ્સાઓ સામે આવ્યા છે હાર્ટ એટેકના જેમાં કોઈ ડાન્સ કરતા કરતા તો કોઈ પરીક્ષા આપતા આપતા ઢળી પડે છે અને મોતને ભેટે છે. ત્યારે વધુ ત્રણ કિસ્સાઓ હાર્ટ એટેકના સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર બોટાદથી ઘટના સામે આવી છે જ્યારે બીજી ઘટના રાજકોટથી સામે આવી છે. ભરૂચથી પણ હાર્ટ એટેકનો કિસ્સો નોંધાયો છે.     

The streak of young heart attack deaths in the state continues, two people lost their lives in Saurashtra રાજ્યમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતનો સિલસિલો યથાવત, સૌરાષ્ટ્રમાં બે લોકોએ ગુમાવ્યો જીવ

બોટાદમાં હાર્ટ એટેકને કારણે ગયો એક વ્યક્તિનું મોત 

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરમખ વધારો થઈ રહ્યો છે.  પ્રતિદિન ગુજરાતથી મોતના સમાચાર સામે આવી રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિક્યારે મોતને ભેટે છે તેની જાણ થતી નથી. વ્યક્તિ ક્યારે અંતિમ શ્વાસ લઈ લે છે તેની પણ જાણ નથી થતી. ત્યારે કોરોના બાદ યુવાનો પર હાર્ટ એટેકનો ખતરો સતત વધી રહ્યો છે. શાળામાં ભણતા વિદ્યાર્થીઓને હાર્ટ એટેક આવે છે અને તે મોતને ભેટે છે. ત્યારે હાર્ટ એટેકે વધુ ત્રણ લોકોના જીવ લીધા છે તેવી માહિતી સામે આવી છે. મળતી માહિતી અનુસાર એક કિસ્સો બોટાદથી સામે આવ્યો છે જેમાં મોડી રાત્રે છાતીમાં નરેશભાઈ નામના વ્યક્તિને દુખાવો ઉપડ્યો. સારવાર અર્થે તેમને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા પરંતુ તેમનો જીવ ન બચી શક્યો. જે વ્યક્તિનું મોત થયું છે તે મેડિકલ સ્ટોરમાં કામ કરતા હતા. 

હાર્ટ એટેક આવવાના સૌથી મોટા 6 કારણ, નજરઅંદાજ કર્યા તો ગયા સમજો, નિષ્ણાંત  ડૉક્ટરની આ સલાહને અનુસરો chest pain unusually tired 6 early warning heart  attack signs


એક મહિલાનું જ્યારે એક વ્યક્તિનો ગયો જીવ 

બીજી ઘટના રાજકોટના જેતપુરથી સામે આવી છે. જેતપુર તાલુકાના પીઠડીયા ગામમાં રહેતા મનીષાબહેનનું મોત હાર્ટ એટેકને કારણે થયુંછે. 45 વર્ષીય મનીષાબેનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. હાર્ટ એટેકની ત્રીજી ઘટના ભરૂચથી સામે આવી છે. મળતી માહિતી અનુસાર ભરૂચના જંબુસરામાં એક યુવાનનું મોત હાર્ટ એટેકને કારણે થયું છે. જે વ્યક્તિનું મોત થયું છે તેમનું નામ સલીમ ઈબ્રાહીમ પટેલ હતું અને તે સંતાનોના પિતા હતા. મહત્વનું છે કે હાર્ટ એટેકને પાછળ અનેક કારણો હોય છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.