"મતદાતાઓ ના મગજમા જ્ઞાતિવાદનો કિડો છે..." આ Heading સાથે જમાવટ પર પત્ર આવ્યો જેમાં અનેક મુદ્દાઓ પર ખુલીને વાત કરી...


  • Published By :
  • Published Date : 2024-09-12 16:41:04

મતદાતાઓ ના મગજમા જ્ઞાતિવાદનો કિડો છે.. આ કિડા પાસે દેશ અને પ્રજાની સેવા કરવાની વફાદારી જ નથી... આ ટાઈટલ સાથે જમાવટ પર દર્શકે પત્ર મોકલ્યો..  પોતાના પત્રમાં તેમણે જ્ઞાતિવાદને લઈ વાત કરી ઉપરાંત ભ્રષ્ટાચારને લઈને પણ વાત કરી.. ભ્રષ્ટાચાર અને જ્ઞાતિવાદ સહિતના અનેક એવા મુદ્દાઓ છે જે આખી સિસ્ટમને બગાડી શકે છે.. પોતાના પત્રમાં દર્શકે નેતાઓની પણ વાત કરી.. રાજકારણની કડવી વાસ્તવિક્તા તેમણે દર્શાવાનો પ્રયત્ન કર્યો છે..  


જ્ઞાતિવાદ ખુદ હકિકીતે તેની જ જ્ઞાતીમા અસામાજીક તત્વો, ગુંડાઓ, ભ્રષ્ટાચારીઓને રીતસર પાળે છે. પ્રજા સાત્વિક બહાદુર વ્યકિત સાથે ઉભી રહેતી નથી. કેટલાય મતદાતા મતદાન કરતા નથી. ડાયરાના કલાકારો પ્રમાણીકતા બહાદુરના જે ભજનો ગાઈ છે તેવુ વાસ્તવિકત કાઈ જ નથી. પ્રજા ગુણવાન સિધ્ધાંતવાદી સેવકને સત્કાર કરવા તદન નગુણી બની ગઈ છે. તેવી પરિસ્થિતીમાં કોઈ પણ પક્ષ કાઈ ઉકાળી શકે નહી, કારણ પ્રજાને જ ખબર નથી મજબુત લોકશાહી માત્ર પ્રમાણીક બહાદુર નેતા વિના શક્ય જ નથી. બહાદુર પવિત્ર નેતા ગરીબ હોઈ શકે.. તેની પાસે પ્રજા ઉભવા તૈયાર નથી. આ પ્રજા જેલમા સજા ભોગવતા હલકટ નીચ નેતાને ચાટવા કાંઈ ખામી રાખતો નથી, આ પ્રજામા અનેક અત્યાચારોના પહાડ સર્જનહાર પૈસાદારોના પગના તળીયા ચાટવાના ચસ્કાદારો છે. ઐયાસી જીવન જીવવાના અનેક જાતિવાદી નેતાઓએ ખાદી ધારણ કરી લીધી છે. આવા વાતાવરણમા જે પ્રજા પોતાના જ સમાજના અસામાજીક તત્વોને ખુલ્લા પાડે.. જાતિવાદી નહી પણ રાષ્ટ્રવાદી લોકોનો પક્ષ બનાવે તે જરૂરી છે જે અશક્ય જ છે.  કેજરીવાલના આપ પક્ષે ચુસ્તબંધ પ્રમાણીકની છાપ ઊભી કરી સૌથી અપ્રમાણીક અને ભ્રષ્ટાચારી પક્ષ સાબિત થઈ ગયો.. દગાખોર સાબિત થઈ ગયો. 


હાલમા ભ્રષ્ટ નેતાઓ પ્રજામા જાતિવાદીનુ ઝેર ફેલાવી અને મતોમાં વિભાજન કરી સતા મેળવવાની હલકટતા ઉપર ઉતરી ગયા છે.. આ હલકટતા કેટલી ખરાબ કોઈ મને કહે તો હુ કહીશ તે પોતાના જ લોકોમા વેશ્યાવાડો ઊભો કરી, ઐયાસીની ચરમસીમા પિરશીને પણ સતા જમવા તૈયાર થઈ જાય તેવી હલકટતા છે, કારણ પ્રજાને મતદાન કરતા આવડતુ નથી. પ્રજાને રાજકારણની રમત પવિત્ર અને અપવિત્રતાને સમજતુ નથી, પ્રજા પોતાના ભ્રષ્ટ મિત્ર, જ્ઞાતીને જીતાડવા મતદાન માત્ર કરતુ નથી પણ ગુંડાગીરી કરે છે માત્ર સતા હાસલ કરી દેશને લુટવા. સાત્વિક પૈસાદાર હોવુ ગુન્હો નથી પણ સાથે દેશભક્તિ જરૂરી હોય છે.. તમારી ભુતકાળની મથરોટી, ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમની KHAM જુગલબંધીએ જે અત્યાચાર ગુજરાતને આપેલ તે મહાભયંકર હતો. તે રીત હલકટકાની ચરમસીમા ઉપર હતી.. કોઈ પણ નવા પક્ષમા જુના ભ્રષ્ટ નેતા વીના શકય નથી, તે વીના દહી જામે તેમ નથી. પ્રજાના જ વર્તનના કારણે ચુટણીમા ધનદોલત ની રમત છે. પૈસામા વેચનારી પ્રજા સતામા આવે તો અત્યાચારનો સમુદ્ર જ બને જે આજની પરિસ્થિતને કેટલીય સારી કહેવડાવે. 

હાલમા એક જ માત્ર ઉપાય.



પ્રજા પોતે પોતાના વિસ્તારના પ્રમાણિક પણ બહાદુર સમ્રાટ નેતાની પસંજગી કરે.. પછી તે ભલે ગરીબ હોય, તે ઉમેદવારને જીતાડવાની જેતે પક્ષને ખાત્રી આપે અને તે પક્ષ તે ઉમેદવારને ટીકિટ આપે.. 

રામનુ રાજકારણ તેટલે પ્રમાણીક રાજકારણ જે રામચરિત્રમા છે, અન્ય કયાંય પણ આવો ઈતિહાસ નથી

દેશહિતનુ રાજકારણ અને દેશ લુટવાનુ રાજકારણ અને દેશ તોળવાનુ રાજકારણ સમજવા માટે પ્રજાએ પીએચડીની ડીગ્રી લેવી પડે તેવી પરિસ્થિત છે.. 


પ્રજાને સલામતી, રામરાજયનો વહિવટ, પોતાના પરિવારનુ સુખ જોઈતુ હોય તો આ કરવુ પડે.. નેતા ચુટાયા બાદ નેતાની સાથે સતત મદદ રૂપ થવુ જોઈએ.. નેતા સેવા છે અને જે સતસેવા કરે તેને પ્રજાએ સાથ આપવો જોઈએ.. પ્રજાના નોકર જેવી મજુરી કરનાર વાસ્તવમા પ્રજાના માવતર પણ હોય છે તે પ્રજા સમજે. પોતાના બાળકો માટે કાળી કારમી મજુરી કરનાર માવતરને જો બાળકો નોકર સમજે તો સંસ્કૃતીનુ પતન કરનાર તે બાળક જ. 


પૈસા મેળવવા જે ચકનાચુર થઈ  કામ કરે તે મહા મુર્ખતા છે.. બાંગ્લાદેશમાંથી ભારતની પ્રજા શીખે.. દેશ સલામત તોજ ઘર સલામત હોય છે, તે અકકલ વિકશાવે પ્રજા, જે માત્ર શ્રેષ્ઠ મતદાનથી જ શકય બાકી પૈસા અને સ્ત્રીઓ બન્નેને ધન સમજીને ઐયાસી માણવા અત્યાચારો લુટશે.. જેને વધુ પત્નિઓ રાખવાની શોખ છે તે રાજા પિતાને તેનાજ પુત્રો અને અરસપરસ પરિવારના જ હત્યા કરશે તે ઈતિહાસ થઈ ચુકયો છે.. 



પ્રજા જાગે તો જ સવાર 

નહિ તો ઘોર અંધારી રાત

વિનુ સચાણીયા ગજજર



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.