રાજકોટના ઢોર ડબ્બામાં કેપેસિટી કરતા વધારે રાખવામાં આવે છે ઢોર! Congressના નેતાઓએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ અને....


  • Published By :
  • Published Date : 2024-09-30 18:25:17

ગાયને આપણે માતા માનીએ છીએ.. તેમની પૂજા કરીએ છીએ.. ગાયો સુરક્ષિત રહે તે માટે ઢોરવાસમાં તેમને રાખવામાં આવે છે.. પરંતુ અનેક ઢોરવાસ એવા હોય છે જેને જોઈ ત્યાં રહેતી ગાયમાતાની દયા આવી જાય... રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોંગ્રસના નેતાઓ રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલા ઢોરવાસની મુલાકાતે ગયા હતા જ્યાં 532ની કેપેસિટી હોવા છતાંય 1045 પશુઓને રાખવામાં આવતા હતા. આટલી સંખ્યામાં પશુઓને તો રખાતા પરંતુ તેમને પૂરતું ભોજન પણ આપવામાં ન આવતું .. ઘાસચારો સારો ઉપલબ્ધ કરવામાં આવતો ન હતો. 


પશુઓને આપવામાં આવતો ઘાસચારો પણ સારો ના હતો!

સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 756 ગાયોના મોત થયા છે... તેમનું કહેવું હતું કે  એક જ દિવસમાં 10 પશુઓના મોત થયા છે પરંતુ સરકારી ચોપડે માત્ર 6 પશુઓના મોત બોલે છે.. ઉપરાંત જે સ્થળ પર પશુઓને રાખવામાં આવે છે તે સ્થળ  પણ એકદમ ગંદુ હોય છે.. પૂરતો ઘાસચારો પણ નથી આપવામાં આવતો. ઉપરાંત ઘાસચારો પણ ચોખ્ખો નથી હોતો જેને કારણે કાંતો તે ભૂખમરાનો શિકાર બને છે અથવા તો તેમના પેટમાં માટી જાય છે.. જે ટ્રસ્ટ આની સંભાળ રાખે છે તેનું નામ જીવદયા ટ્રસ્ટ છે. 532 પસુઓને રાખવાની કેપેસિટી છે પરંતુ ત્યાં 1045 પશુઓને રાખવામાં આવે છે... 



અનેક ગાયોના થયા મોત

મહત્વનું છે કે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે રાજકોટ શહેરના ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં  75 જેટલા 6 પશુઓના મોત નિપજ્યા છે. આ મામલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..એક ન્યુઝ પેપર સાથે વાતચીત કરતા દરમિયાન મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે ઢોર ડબ્બો જે પશુઓને પકડીને લાવે છે તે બિમાર હોય છે.. પ્લાસ્ટિક ખાવાથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે તેવી વાત તેમણે કરી હતી. એનિમલ હોસ્ટેલનુ સંચાલન જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટ સંચાલન કરવાની ઈચ્છા નહીં ધરાવતું હોય તો સંચાલન પરત લઈ લેવામાં આવશે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.