રાજકોટના ઢોર ડબ્બામાં કેપેસિટી કરતા વધારે રાખવામાં આવે છે ઢોર! Congressના નેતાઓએ કર્યું સરપ્રાઈઝ ચેકિંગ અને....


  • Published By :
  • Published Date : 2024-09-30 18:25:17

ગાયને આપણે માતા માનીએ છીએ.. તેમની પૂજા કરીએ છીએ.. ગાયો સુરક્ષિત રહે તે માટે ઢોરવાસમાં તેમને રાખવામાં આવે છે.. પરંતુ અનેક ઢોરવાસ એવા હોય છે જેને જોઈ ત્યાં રહેતી ગાયમાતાની દયા આવી જાય... રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટર વશરામ સાગઠિયા અને કોમલબેન સહિતના કોંગ્રસના નેતાઓ રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલા ઢોરવાસની મુલાકાતે ગયા હતા જ્યાં 532ની કેપેસિટી હોવા છતાંય 1045 પશુઓને રાખવામાં આવતા હતા. આટલી સંખ્યામાં પશુઓને તો રખાતા પરંતુ તેમને પૂરતું ભોજન પણ આપવામાં ન આવતું .. ઘાસચારો સારો ઉપલબ્ધ કરવામાં આવતો ન હતો. 


પશુઓને આપવામાં આવતો ઘાસચારો પણ સારો ના હતો!

સરપ્રાઈઝ ચેકિંગ માટે ગયેલા કોંગ્રેસના કોર્પોરેટરે જણાવ્યું હતું કે ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં 756 ગાયોના મોત થયા છે... તેમનું કહેવું હતું કે  એક જ દિવસમાં 10 પશુઓના મોત થયા છે પરંતુ સરકારી ચોપડે માત્ર 6 પશુઓના મોત બોલે છે.. ઉપરાંત જે સ્થળ પર પશુઓને રાખવામાં આવે છે તે સ્થળ  પણ એકદમ ગંદુ હોય છે.. પૂરતો ઘાસચારો પણ નથી આપવામાં આવતો. ઉપરાંત ઘાસચારો પણ ચોખ્ખો નથી હોતો જેને કારણે કાંતો તે ભૂખમરાનો શિકાર બને છે અથવા તો તેમના પેટમાં માટી જાય છે.. જે ટ્રસ્ટ આની સંભાળ રાખે છે તેનું નામ જીવદયા ટ્રસ્ટ છે. 532 પસુઓને રાખવાની કેપેસિટી છે પરંતુ ત્યાં 1045 પશુઓને રાખવામાં આવે છે... 



અનેક ગાયોના થયા મોત

મહત્વનું છે કે એવા સમાચાર પણ સામે આવ્યા છે કે રાજકોટ શહેરના ઢોર ડબ્બામાં છેલ્લા 3 મહિનામાં  75 જેટલા 6 પશુઓના મોત નિપજ્યા છે. આ મામલે કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો..એક ન્યુઝ પેપર સાથે વાતચીત કરતા દરમિયાન મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે ઢોર ડબ્બો જે પશુઓને પકડીને લાવે છે તે બિમાર હોય છે.. પ્લાસ્ટિક ખાવાથી મોતનું પ્રમાણ વધી રહ્યું છે તેવી વાત તેમણે કરી હતી. એનિમલ હોસ્ટેલનુ સંચાલન જીવદયા ટ્રસ્ટ કરી રહ્યું છે. આ ટ્રસ્ટ સંચાલન કરવાની ઈચ્છા નહીં ધરાવતું હોય તો સંચાલન પરત લઈ લેવામાં આવશે... ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.