માલધારીઓએ ઢોરવાડા બહાર કર્યા અચોક્કસ મુદતનાં ધરણા, Gujarat Congress તેમજ AAP આવી પશુપાલકોના સમર્થનમાં, સરકારને ઘેરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:59

રખડતા ઢોરને લઈ અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. રખડતા ઢોરને કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે. વાહનચાલકોમાં પણ ડર વ્યાપી ઉઠતો હોય છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું. અનેક ગાયોને પકડવામાં આવી. ઢોરવાસમાં ગાયોની સારી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘાસચારો તેમજ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ખુલ્લામાં ગાયોના મૃતદેહને રાખવામાં આવે છે તેવા અનેક વીડિયો સામે આવ્યા હતા. ગાયોને મદ્દે ગુજરાત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

ગાયોના મૃતદેહ પડ્યા હોય તેવા અનેક વીડિયો આવે છે સામે 

રાજ્યમાં પ્રતિદિન રખડતા ઢોરની સમસ્યા વધતી જઈ રહી છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પર ઢોર દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. રસ્તા પર શાંત લાગતા ઢોર ગમે ત્યારે એટેક કરી દે તેની ખબર નથી હોતી. ત્યારે રખડતા ઢોરના વધતા હુમલાને કારણે ઢોરને પકડવા માટે તંત્રને હાઈકોર્ટે આદેશ અપાયો હતો. હાઈકોર્ટની અનેક ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારે પકડવા માટે ટીમ જતી ત્યારે ટીમ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવા પણ વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. એક તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ગાયોની સારસંભાળ નથી લેવામાં આવતી તેને કારણે ગૌમાતા મોતને ભેટી રહી છે તેવા આક્ષેપો માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, જામનગરથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા હોય છે. 

પ્રવીણ રામે પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી!  

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડા માલધારીઓના સમર્થનમાં આવ્યા! ગાય માતાના સરક્ષણ માટે માલધારી સમાજ દ્વારા આયોજીત ધરણામાં સહભાગી થયા હતા. ટ્વિટ કરતા અમિત ચાવડાએ લખ્યું કે ગાય માતાના નામ પર સત્તામાં આવેલી ડબલ એન્જિનની સરકારમાં એએમસી ગાયમાતાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી જગ્યાની મુલાકાત લીધી. જે જગ્યા પર 500 ગાયો જ રહી શકે છે ત્યાં 5000 ગાયો રાખવામાં આવી છે. પર્યાપ્ત ઘાસચારો પણ નથી... સરકાર પર તેમણે પ્રહાર કર્યો તો બીજી તરફ ગુજરાત આપ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આપ નેતા પ્રવીણ રામે પણ  ધરણા પર બેઠેલા પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. 


માલધારીઓ લડી લેવાના મૂડમાં!

મહત્વનું છે કે માલધારી સમાજ આ વખતે આ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલી નીતિનો તેમનો વિરોધ કર્યો હતો. એવા પણ વીડિયો સામે આવ્યા જેમાં માલધારીઓએ ગાયોનું બેસણું કર્યું હોય. ત્યારે આવનાર સમયમાં આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું!        




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી