માલધારીઓએ ઢોરવાડા બહાર કર્યા અચોક્કસ મુદતનાં ધરણા, Gujarat Congress તેમજ AAP આવી પશુપાલકોના સમર્થનમાં, સરકારને ઘેરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:59

રખડતા ઢોરને લઈ અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. રખડતા ઢોરને કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે. વાહનચાલકોમાં પણ ડર વ્યાપી ઉઠતો હોય છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું. અનેક ગાયોને પકડવામાં આવી. ઢોરવાસમાં ગાયોની સારી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘાસચારો તેમજ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ખુલ્લામાં ગાયોના મૃતદેહને રાખવામાં આવે છે તેવા અનેક વીડિયો સામે આવ્યા હતા. ગાયોને મદ્દે ગુજરાત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

ગાયોના મૃતદેહ પડ્યા હોય તેવા અનેક વીડિયો આવે છે સામે 

રાજ્યમાં પ્રતિદિન રખડતા ઢોરની સમસ્યા વધતી જઈ રહી છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પર ઢોર દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. રસ્તા પર શાંત લાગતા ઢોર ગમે ત્યારે એટેક કરી દે તેની ખબર નથી હોતી. ત્યારે રખડતા ઢોરના વધતા હુમલાને કારણે ઢોરને પકડવા માટે તંત્રને હાઈકોર્ટે આદેશ અપાયો હતો. હાઈકોર્ટની અનેક ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારે પકડવા માટે ટીમ જતી ત્યારે ટીમ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવા પણ વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. એક તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ગાયોની સારસંભાળ નથી લેવામાં આવતી તેને કારણે ગૌમાતા મોતને ભેટી રહી છે તેવા આક્ષેપો માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, જામનગરથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા હોય છે. 

પ્રવીણ રામે પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી!  

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડા માલધારીઓના સમર્થનમાં આવ્યા! ગાય માતાના સરક્ષણ માટે માલધારી સમાજ દ્વારા આયોજીત ધરણામાં સહભાગી થયા હતા. ટ્વિટ કરતા અમિત ચાવડાએ લખ્યું કે ગાય માતાના નામ પર સત્તામાં આવેલી ડબલ એન્જિનની સરકારમાં એએમસી ગાયમાતાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી જગ્યાની મુલાકાત લીધી. જે જગ્યા પર 500 ગાયો જ રહી શકે છે ત્યાં 5000 ગાયો રાખવામાં આવી છે. પર્યાપ્ત ઘાસચારો પણ નથી... સરકાર પર તેમણે પ્રહાર કર્યો તો બીજી તરફ ગુજરાત આપ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આપ નેતા પ્રવીણ રામે પણ  ધરણા પર બેઠેલા પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. 


માલધારીઓ લડી લેવાના મૂડમાં!

મહત્વનું છે કે માલધારી સમાજ આ વખતે આ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલી નીતિનો તેમનો વિરોધ કર્યો હતો. એવા પણ વીડિયો સામે આવ્યા જેમાં માલધારીઓએ ગાયોનું બેસણું કર્યું હોય. ત્યારે આવનાર સમયમાં આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું!        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.