માલધારીઓએ ઢોરવાડા બહાર કર્યા અચોક્કસ મુદતનાં ધરણા, Gujarat Congress તેમજ AAP આવી પશુપાલકોના સમર્થનમાં, સરકારને ઘેરી! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-12-11 09:51:59

રખડતા ઢોરને લઈ અવારનવાર સમાચાર સામે આવતા રહે છે. રખડતા ઢોરને કારણે લોકોને રસ્તા પર ચાલવું મુશ્કેલ બની જતું હોય છે. વાહનચાલકોમાં પણ ડર વ્યાપી ઉઠતો હોય છે. હાઈકોર્ટની ફટકાર બાદ તંત્ર એક્શન મોડમાં આવ્યું. અનેક ગાયોને પકડવામાં આવી. ઢોરવાસમાં ગાયોની સારી સંભાળ નથી લેવામાં આવતી તેવા આક્ષેપો માલધારી સમાજ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ઘાસચારો તેમજ યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે ગાયોના મોત થઈ રહ્યા છે. ખુલ્લામાં ગાયોના મૃતદેહને રાખવામાં આવે છે તેવા અનેક વીડિયો સામે આવ્યા હતા. ગાયોને મદ્દે ગુજરાત કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ સરકાર પર નિશાન સાધ્યું છે.

ગાયોના મૃતદેહ પડ્યા હોય તેવા અનેક વીડિયો આવે છે સામે 

રાજ્યમાં પ્રતિદિન રખડતા ઢોરની સમસ્યા વધતી જઈ રહી છે. અનેક કિસ્સાઓ આપણી સામે છે જેમાં લોકો પર ઢોર દ્વારા હુમલો કરવામાં આવતો હોય છે. રસ્તા પર શાંત લાગતા ઢોર ગમે ત્યારે એટેક કરી દે તેની ખબર નથી હોતી. ત્યારે રખડતા ઢોરના વધતા હુમલાને કારણે ઢોરને પકડવા માટે તંત્રને હાઈકોર્ટે આદેશ અપાયો હતો. હાઈકોર્ટની અનેક ટકોર બાદ તંત્ર દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી. જ્યારે પકડવા માટે ટીમ જતી ત્યારે ટીમ અને માલધારીઓ વચ્ચે ઘર્ષણ થાય તેવા પણ વીડિયો ઘણી વખત સામે આવ્યા છે. એક તરફ રખડતા ઢોરને પકડવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ ગાયોની સારસંભાળ નથી લેવામાં આવતી તેને કારણે ગૌમાતા મોતને ભેટી રહી છે તેવા આક્ષેપો માલધારીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ, જામનગરથી અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગાયોના મૃતદેહ જોવા મળતા હોય છે. 

પ્રવીણ રામે પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી!  

કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે. કોંગ્રેસના અમિત ચાવડા માલધારીઓના સમર્થનમાં આવ્યા! ગાય માતાના સરક્ષણ માટે માલધારી સમાજ દ્વારા આયોજીત ધરણામાં સહભાગી થયા હતા. ટ્વિટ કરતા અમિત ચાવડાએ લખ્યું કે ગાય માતાના નામ પર સત્તામાં આવેલી ડબલ એન્જિનની સરકારમાં એએમસી ગાયમાતાના સંરક્ષણ માટે બનાવવામાં આવેલી જગ્યાની મુલાકાત લીધી. જે જગ્યા પર 500 ગાયો જ રહી શકે છે ત્યાં 5000 ગાયો રાખવામાં આવી છે. પર્યાપ્ત ઘાસચારો પણ નથી... સરકાર પર તેમણે પ્રહાર કર્યો તો બીજી તરફ ગુજરાત આપ દ્વારા પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. આપ નેતા પ્રવીણ રામે પણ  ધરણા પર બેઠેલા પશુપાલકોના સમર્થનમાં હોવાની વાત કરી હતી. 


માલધારીઓ લડી લેવાના મૂડમાં!

મહત્વનું છે કે માલધારી સમાજ આ વખતે આ મુદ્દે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે. સરકાર દ્વારા લાવવામાં આવેલી નીતિનો તેમનો વિરોધ કર્યો હતો. એવા પણ વીડિયો સામે આવ્યા જેમાં માલધારીઓએ ગાયોનું બેસણું કર્યું હોય. ત્યારે આવનાર સમયમાં આ લડાઈ ક્યાં પહોંચે છે તે જોવું રહ્યું!        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.