ABG શિપયાર્ડના CMD ઋષિ અગ્રવાલની CBIએ કરી ધરપકડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-21 19:21:16

આઝાદ ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું બેન્ક કૌંભાંડ આચરી ફરાર થયેલા એબીજી શિપયાર્ડના ચેરમેનની ધરપકડ કરાઈ છે.  સીબીઆઈએ મોટી કાર્યવાહી કરતા ગુજરાત સ્થિત શિપિંગ કંપની  એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલની ધરપકડ કરી છે. હાલમાં સીબીઆઈ 22,842  હજાર કરોડ બેન્ક ફ્રોડની તપાસ કરી રહી છે. આ પહેલા સીબીઆઈએ આ કેસમાં ઋષિ અગ્રવાલ સામે લુકઆઉટ નોટિસ જારી કરી ચૂકી છે. 


28 બેન્કો સાથે 22,842 કરોડની છેતરપિંડી  


સીબીઆઈ સૂત્રોએ કહ્યું કે એબીજી શિપયાર્ડના ઋષિ અગ્રવાલે 28 બેન્કો સાથે 22,842 કરોડની ઠગાઈ કરી છે. એબીજી શિપયાર્ડે 2012થી 2017 વચ્ચે 28 બેન્કોના જૂથને 22,842  કરોડ રૂપિયાનો ચૂનો લગાવ્યો છે. આ સમાચાર બહાર આવતા દેશના આર્થિક ક્ષેત્રે હડકંપ મચી ગયો હતો. સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. દેશની તમામ મોટી બેંકો જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ), આઇડીબીઆઇ અને આઇસીઆઇસીઆઇને આ કૌંભાડથી મોટો આર્થિક ફટકો પડ્યો છે.


બનાવટી પ્રોજેક્ટ હેઠળ મેળવી હતી લોન 


એબીજી શિપયાર્ડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ઋષિ અગ્રવાલ અને બીજા આરોપીઓએ 2012થી 2017ની વચ્ચે 28 બેન્કોમાંથી 22,842 કરોડની ક્રેડિટ સુવિધા મેળવી હતી, જો કે બાદમાં તે લોન ચુકવી ન હતી. વર્ષ 2016માં આરોપીઓની લોનને એનપીએ જાહેર કરાઈ હતી. બેન્કે જે હેતુ માટે લોન આપી હતી તેને માટે લીધેલા પૈસાનો ઉપયોગ કરાયો નહોતો. 




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.