BJP સાંસદ નિશિકાંત દુબેનો દાવો, મહુઆ મોઈત્રા વિરૂધ્ધ લોકપાલે આપ્યો તપાસનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-08 17:20:45

કેસ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાની મુસીબત વધી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈએ તપાસનો આદેશ આપ્યો છે. નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે લોકસભાએ આજે મારી ફરિયાદ પર રાષ્ટ્રિય સુરક્ષાને ગીરો મુકીને ભ્રષ્ટાચાર આચરનારા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સીબીઆઈ તપાસનો હુકમ આપ્યો છે.  


મહુઆ મોઈત્રા પર શું છે આરોપ?


ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઈત્રાએ સંસદીય આડીનો તેમનો લોગ-ઈન પાસવર્ડ શેર કર્યો હતો. નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે મહુઆ મોઈત્રાએ બિશનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટનું લોગિન એક્સેસ આપ્યું હતું. આ બાબતની ફરિયાદ નિશિકાંત દુબેએ આઈટી મંત્રીને કરી હતી. જો કે મહુઆ મોઈત્રાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. અંતે આ સમગ્ર મામલો એથિક્સ કમિટી પાસે પહોંચ્યો હતો, જેના પર સુનાવણી થઈ હતી.  ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા સંસદ અને સંસદની બહાર પણ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.