BJP સાંસદ નિશિકાંત દુબેનો દાવો, મહુઆ મોઈત્રા વિરૂધ્ધ લોકપાલે આપ્યો તપાસનો આદેશ


  • Published By :
  • Published Date : 2023-11-08 17:20:45

કેસ ફોર ક્વેરી કેસમાં મહુઆ મોઈત્રાની મુસીબત વધી રહી છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ દાવો કર્યો છે કે મહુઆ મોઈત્રા સામે સીબીઆઈએ તપાસનો આદેશ આપ્યો છે. નિશિકાંત દુબેએ ટ્વીટ કર્યું કે લોકસભાએ આજે મારી ફરિયાદ પર રાષ્ટ્રિય સુરક્ષાને ગીરો મુકીને ભ્રષ્ટાચાર આચરનારા ટીએમસી સાંસદ મહુઆ મોઈત્રા પર સીબીઆઈ તપાસનો હુકમ આપ્યો છે.  


મહુઆ મોઈત્રા પર શું છે આરોપ?


ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ આરોપ લગાવ્યો હતો કે મહુઆ મોઈત્રાએ સંસદીય આડીનો તેમનો લોગ-ઈન પાસવર્ડ શેર કર્યો હતો. નિશિકાંત દુબેએ દાવો કર્યો હતો કે મહુઆ મોઈત્રાએ બિશનેસમેન દર્શન હીરાનંદાનીને લોકસભા વેબસાઈટનું લોગિન એક્સેસ આપ્યું હતું. આ બાબતની ફરિયાદ નિશિકાંત દુબેએ આઈટી મંત્રીને કરી હતી. જો કે મહુઆ મોઈત્રાએ આ તમામ આરોપોને ફગાવી દીધા હતા. અંતે આ સમગ્ર મામલો એથિક્સ કમિટી પાસે પહોંચ્યો હતો, જેના પર સુનાવણી થઈ હતી.  ઉલ્લેખનિય છે કે મહુઆ મોઈત્રા સંસદ અને સંસદની બહાર પણ જાણીતા ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આકરા પ્રહારો કરતા જોવા મળ્યા છે.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે