Jammu-Kashmirના પૂર્વ રાજ્યપાલ Satya Pal Malikના ઘરે CBIના દરોડા, આ આરોપને લઈ થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-22 12:45:56

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ત્યાં સીબીઆઈએ રેડ પાડી છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30 અન્ય જગ્યાઓ પર સીબીઆઈએ રેડ ગુરૂવારના દિવસે પાડી છે. કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલામાં આ રેડ પાડી છે તેવી માહિતી સામે આવી છે. સીબીઆઈએ ગુરૂવાર સવારે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના દિલ્હી સ્થિત ઘરમાં તેમજ ઓફિસોમાં દરોડા પાડ્યા છે. ત્યાં તપાસ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરમાં કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા 2200 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિકને ત્યાં તપાસ થઈ રહી છે.

30 જગ્યાઓ પર સીબીઆઈએ કરી રેડ!

થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળ્યો તેની પહેલા તે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. સત્યપાલ મલિક 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. પૂર્વ રાજ્યપાલ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે  અને તેને લઈ આ તપાસ કરવામાં આવી રહી છે. એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે બે યોજનાની ફાઈલને મંજૂરી આપવા માટે પૈસા માગ્યા હતા. આ મામલે પહેલા પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 30 જેટલા ઠેકાણા પર સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.    



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .