Jammu-Kashmirના પૂર્વ રાજ્યપાલ Satya Pal Malikના ઘરે CBIના દરોડા, આ આરોપને લઈ થઈ રહી છે તપાસ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-22 12:45:56

જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકને ત્યાં સીબીઆઈએ રેડ પાડી છે. પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના ઘર સહિત 30 અન્ય જગ્યાઓ પર સીબીઆઈએ રેડ ગુરૂવારના દિવસે પાડી છે. કિરૂ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના મામલામાં આ રેડ પાડી છે તેવી માહિતી સામે આવી છે. સીબીઆઈએ ગુરૂવાર સવારે જમ્મુ કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ સત્યપાલ મલિકના દિલ્હી સ્થિત ઘરમાં તેમજ ઓફિસોમાં દરોડા પાડ્યા છે. ત્યાં તપાસ હાથ ધરી છે. જમ્મુ-કાશ્મીરમાં કિરુ હાઈડ્રો ઈલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે ફાળવવામાં આવેલા 2200 કરોડ રૂપિયાના કથિત ભ્રષ્ટાચારના કેસમાં સત્યપાલ મલિકને ત્યાં તપાસ થઈ રહી છે.

30 જગ્યાઓ પર સીબીઆઈએ કરી રેડ!

થોડા સમય પહેલા જ જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો મળ્યો તેની પહેલા તે કેન્દ્ર શાસિત પ્રદેશ હતું. સત્યપાલ મલિક 23 ઓગસ્ટ 2018થી 30 ઓક્ટોબર 2019 સુધી જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ હતા. પૂર્વ રાજ્યપાલ પર ભ્રષ્ટાચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે  અને તેને લઈ આ તપાસ કરવામાં આવી રહી છે. એવા આક્ષેપ લગાવવામાં આવ્યા છે કે બે યોજનાની ફાઈલને મંજૂરી આપવા માટે પૈસા માગ્યા હતા. આ મામલે પહેલા પણ સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારે આજે 30 જેટલા ઠેકાણા પર સીબીઆઈએ તપાસ હાથ ધરી છે.    



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.