દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાને CBIનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:09:31

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી ત્યારે દારુ કાંડમાં આજે સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું છે. સીબીઆઈએ મનીષ સીસોદિયાને આવતીકાલે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીથી અટકળો વહી રહી છે તે મુજબ આવતીકાલે મનીષ સીસોદિયાની ધરપકડ પણ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ વિજય નાયર, સમીર મહેંદ્રુ અને અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી લીધી છે. ત્રણ આરોપીઓના દારુકાંડ મામલે મનીષ સીસોદિયાની પણ આરોપ લગાવવામાં આવ્યા છે. 


AAPએ CBI-ED પર કર્યા આક્ષેપ

આપના નેતા આતિશીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આવતીકાલે મનીષ સીસોદિયા સીબીઆઈ કાર્યાલય જશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આતિશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઈ એ નથી જણાવી શકી કે તેમને મનીષ સીસોદિયા પાસેથી શું મળ્યું છે. CBI-EDને ખોટા કેસમાં 400-500 અધિકારીઓને લગાવ્યા છે પણ તેઓને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મળ્યો. 


દારૂ ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કર્યાનો આક્ષેપ

22 જુલાઈએ નવી લિકર પોલીસી મામલે દિલ્લીના ઉપ રાજ્યપાલ VK સક્સેનાએ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા સામે સીબીઆઈ તપાસની માગ કરી હતી. VK સક્સેનાએ મનીષ સીસોદિયા સામે નિયમોમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપ સરકારે દિલ્લી સરકાર પર દારૂના ઠેકા ચલાવનારાઓના 144 કરોડ આમ આદમી પાર્ટીએ માફ કર્યા છે તેવો આક્ષેપ લગાવ્યો હતો. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.