દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાને CBIનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:09:31

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી ત્યારે દારુ કાંડમાં આજે સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું છે. સીબીઆઈએ મનીષ સીસોદિયાને આવતીકાલે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીથી અટકળો વહી રહી છે તે મુજબ આવતીકાલે મનીષ સીસોદિયાની ધરપકડ પણ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ વિજય નાયર, સમીર મહેંદ્રુ અને અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી લીધી છે. ત્રણ આરોપીઓના દારુકાંડ મામલે મનીષ સીસોદિયાની પણ આરોપ લગાવવામાં આવ્યા છે. 


AAPએ CBI-ED પર કર્યા આક્ષેપ

આપના નેતા આતિશીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આવતીકાલે મનીષ સીસોદિયા સીબીઆઈ કાર્યાલય જશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આતિશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઈ એ નથી જણાવી શકી કે તેમને મનીષ સીસોદિયા પાસેથી શું મળ્યું છે. CBI-EDને ખોટા કેસમાં 400-500 અધિકારીઓને લગાવ્યા છે પણ તેઓને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મળ્યો. 


દારૂ ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કર્યાનો આક્ષેપ

22 જુલાઈએ નવી લિકર પોલીસી મામલે દિલ્લીના ઉપ રાજ્યપાલ VK સક્સેનાએ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા સામે સીબીઆઈ તપાસની માગ કરી હતી. VK સક્સેનાએ મનીષ સીસોદિયા સામે નિયમોમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપ સરકારે દિલ્લી સરકાર પર દારૂના ઠેકા ચલાવનારાઓના 144 કરોડ આમ આદમી પાર્ટીએ માફ કર્યા છે તેવો આક્ષેપ લગાવ્યો હતો. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .