દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાને CBIનું તેડું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-16 16:09:31

દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયાની તકલીફો પૂરી થવાની નામ નથી લેતી ત્યારે દારુ કાંડમાં આજે સીબીઆઈએ તેમને સમન પાઠવ્યું છે. સીબીઆઈએ મનીષ સીસોદિયાને આવતીકાલે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવ્યા છે. દિલ્લીથી અટકળો વહી રહી છે તે મુજબ આવતીકાલે મનીષ સીસોદિયાની ધરપકડ પણ થઈ શકે છે. તપાસ એજન્સીઓએ વિજય નાયર, સમીર મહેંદ્રુ અને અભિષેક બોઈનપલ્લીની ધરપકડ કરી લીધી છે. ત્રણ આરોપીઓના દારુકાંડ મામલે મનીષ સીસોદિયાની પણ આરોપ લગાવવામાં આવ્યા છે. 


AAPએ CBI-ED પર કર્યા આક્ષેપ

આપના નેતા આતિશીએ પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે આવતીકાલે મનીષ સીસોદિયા સીબીઆઈ કાર્યાલય જશે તો તેમની ધરપકડ કરી લેવામાં આવશે. આતિશીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અત્યાર સુધી સીબીઆઈ એ નથી જણાવી શકી કે તેમને મનીષ સીસોદિયા પાસેથી શું મળ્યું છે. CBI-EDને ખોટા કેસમાં 400-500 અધિકારીઓને લગાવ્યા છે પણ તેઓને એક રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મળ્યો. 


દારૂ ઠેકેદારોના 144 કરોડ રૂપિયા માફ કર્યાનો આક્ષેપ

22 જુલાઈએ નવી લિકર પોલીસી મામલે દિલ્લીના ઉપ રાજ્યપાલ VK સક્સેનાએ દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સીસોદિયા સામે સીબીઆઈ તપાસની માગ કરી હતી. VK સક્સેનાએ મનીષ સીસોદિયા સામે નિયમોમાં ભ્રષ્ટાચાર કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. ભાજપ સરકારે દિલ્લી સરકાર પર દારૂના ઠેકા ચલાવનારાઓના 144 કરોડ આમ આદમી પાર્ટીએ માફ કર્યા છે તેવો આક્ષેપ લગાવ્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે