CBSE CTET 2023નું રિઝલ્ટ જાહેર, 9 લાખ ઉમેદવારો થયા પાસ, આ રીતે ચેક કરો પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-03 21:43:47

કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)નું પરિણામ જાહેર કરી થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 16મી આવૃત્તિનું પરિણામ જાહેર કર્યું છે. CBSEએ શુક્રવારે આ અંગે નોટિસ જારી કરી છે. CBSEએ તેની સૂચનામાં જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા 28 ડિસેમ્બર, 2022 થી 7 ફેબ્રુઆરી, 2023 સુધી ઑનલાઇન (CBT) મોડમાં લેવામાં આવી હતી.


આ રીતે જોઈ શકાશે રિઝલ્ટ 


CBSEના  જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારોએ આ CTET પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો ચકાસી શકે છે. CBSE એ કહ્યું કે તેઓએ તેમની સત્તાવાર વેબસાઇટ અને CTET વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો CTET વેબસાઇટ એટલે કે https://ctet.nic.in https://cbse.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.


માર્કશીટ ક્યારે આવશે?


CTETના પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓની માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્રો પણ ટૂંક સમયમાં ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેમના દ્વારા CTET ડિસેમ્બર-2022 ના ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ડિસેમ્બર 2022થી 7 જાન્યુઆરી 2023 સુધી આયોજિત થયેલી CTET પરીક્ષામાં 9.5 લાખથી વધારે ઉમેદવારોએ પેપર 1 અને 3,76,025 ઉમેદવારો પેપર 2 માં ક્વોલીફાઈ થયાં છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.