CBSE CTET 2023નું રિઝલ્ટ જાહેર, 9 લાખ ઉમેદવારો થયા પાસ, આ રીતે ચેક કરો પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-03 21:43:47

કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)નું પરિણામ જાહેર કરી થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 16મી આવૃત્તિનું પરિણામ જાહેર કર્યું છે. CBSEએ શુક્રવારે આ અંગે નોટિસ જારી કરી છે. CBSEએ તેની સૂચનામાં જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા 28 ડિસેમ્બર, 2022 થી 7 ફેબ્રુઆરી, 2023 સુધી ઑનલાઇન (CBT) મોડમાં લેવામાં આવી હતી.


આ રીતે જોઈ શકાશે રિઝલ્ટ 


CBSEના  જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારોએ આ CTET પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો ચકાસી શકે છે. CBSE એ કહ્યું કે તેઓએ તેમની સત્તાવાર વેબસાઇટ અને CTET વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો CTET વેબસાઇટ એટલે કે https://ctet.nic.in https://cbse.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.


માર્કશીટ ક્યારે આવશે?


CTETના પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓની માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્રો પણ ટૂંક સમયમાં ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેમના દ્વારા CTET ડિસેમ્બર-2022 ના ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ડિસેમ્બર 2022થી 7 જાન્યુઆરી 2023 સુધી આયોજિત થયેલી CTET પરીક્ષામાં 9.5 લાખથી વધારે ઉમેદવારોએ પેપર 1 અને 3,76,025 ઉમેદવારો પેપર 2 માં ક્વોલીફાઈ થયાં છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.