CBSE CTET 2023નું રિઝલ્ટ જાહેર, 9 લાખ ઉમેદવારો થયા પાસ, આ રીતે ચેક કરો પરિણામ


  • Published By :
  • Published Date : 2023-03-03 21:43:47

કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરીક્ષા (CTET)નું પરિણામ જાહેર કરી થઈ ગયું છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) દ્વારા સેન્ટ્રલ ટીચર એલિજિબિલિટી ટેસ્ટની 16મી આવૃત્તિનું પરિણામ જાહેર કર્યું છે. CBSEએ શુક્રવારે આ અંગે નોટિસ જારી કરી છે. CBSEએ તેની સૂચનામાં જણાવ્યું છે કે કેન્દ્રીય શિક્ષક પાત્રતા પરિક્ષા 28 ડિસેમ્બર, 2022 થી 7 ફેબ્રુઆરી, 2023 સુધી ઑનલાઇન (CBT) મોડમાં લેવામાં આવી હતી.


આ રીતે જોઈ શકાશે રિઝલ્ટ 


CBSEના  જણાવ્યા પ્રમાણે જે ઉમેદવારોએ આ CTET પરીક્ષા આપી હતી તેઓ હવે તેમના પરિણામો ચકાસી શકે છે. CBSE એ કહ્યું કે તેઓએ તેમની સત્તાવાર વેબસાઇટ અને CTET વેબસાઇટ પર પરિણામ જાહેર કર્યું છે. ઉમેદવારો CTET વેબસાઇટ એટલે કે https://ctet.nic.in https://cbse.nic.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.


માર્કશીટ ક્યારે આવશે?


CTETના પરીક્ષામાં પાસ થયેલા પરીક્ષાર્થીઓની માર્કશીટ અને પાત્રતા પ્રમાણપત્રો પણ ટૂંક સમયમાં ડિજીલોકરમાં અપલોડ કરવામાં આવશે. ઉમેદવારો તેમના દ્વારા CTET ડિસેમ્બર-2022 ના ઓનલાઈન અરજી ફોર્મમાં આપેલા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને તેને ડાઉનલોડ કરી શકે છે. અત્રે ઉલ્લેખનિય છે કે 28 ડિસેમ્બર 2022થી 7 જાન્યુઆરી 2023 સુધી આયોજિત થયેલી CTET પરીક્ષામાં 9.5 લાખથી વધારે ઉમેદવારોએ પેપર 1 અને 3,76,025 ઉમેદવારો પેપર 2 માં ક્વોલીફાઈ થયાં છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."