Kevadiya ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM Modiએ સરદાર પટેલને કર્યા યાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 11:24:27

31 ઓક્ટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી... ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે સિંહ ફાળો આપ્યો હતો. 550થી વધુ રજવાડાઓને તેમણે સમજાવ્યા હતા અને તે બાદ રજવાડાઓએ પોતાનું સામ્રાજ્ય આપ્યું હતું. પીએમ મોદીએ જ્યારથી સત્તા સંભાળી તે બાદ આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન થાય છે. પરેડમાં પીએમ મોદી ઉપસ્થિત છે. વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી છે.  દેશના વિવિધ રાજ્યોમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને સંબંધિત પણ કર્યા હતા.  

દેશવાસીઓને પીએમ મોદીએ લેવડાવ્યા શપથ

દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતના શિલ્પી ગણતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી છે. દેશના વિવિધ રાજ્યોમાં આ દિવસની ઉજવણી કરાય છે પરંતુ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે. એસઓયુ ખાતે આ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ આ એકતા પરેડમાં ઉપસ્થિત છે. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા, તેમના ચરણોમાં નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના શપથ પણ લેવડાયા હતા.


હેરિટેજ ટ્રેનની પીએમ મોદી કરાવશે શરૂઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કરાયેલી પરેડમાં અર્ધ લશ્કરી દળો તેમજ પાંચ રાજ્યોની પોલીસ જોડાઈ હતી.પીએમ મોદી સમક્ષ તેમણે પરેડ કરી હતી. પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કમલમ પાર્કને તેઓ લોકો માટે ખુલ્લો મુકશે. તે ઉપરાંત પીએમના હસ્તે હેરિટેજ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ ટ્રેન અમદાવાદથી દર રવિવારે સાંજે 6.00 વાગ્યાની આસપાસ ઉપડશે અને 10 વાગ્યાની આસાપસ કેવડિયા પહોંચાડશે. આ ટ્રેનમાં 140થી વધુ મુસાફરો પ્રવાસ કરી શક્શે. આ ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત એકતાનગર ખાતેથી તેઓ 196 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તેમજ ઉદ્ધાટન કરવાના છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.