Kevadiya ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, PM Modiએ સરદાર પટેલને કર્યા યાદ


  • Published By :
  • Published Date : 2023-10-31 11:24:27

31 ઓક્ટોબર એટલે લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી... ભારતને એક કરવામાં સરદાર વલ્લભભાઈ પટેલે સિંહ ફાળો આપ્યો હતો. 550થી વધુ રજવાડાઓને તેમણે સમજાવ્યા હતા અને તે બાદ રજવાડાઓએ પોતાનું સામ્રાજ્ય આપ્યું હતું. પીએમ મોદીએ જ્યારથી સત્તા સંભાળી તે બાદ આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતા પરેડનું આયોજન થાય છે. પરેડમાં પીએમ મોદી ઉપસ્થિત છે. વડાપ્રધાને સરદાર વલ્લભભાઈ પટેલને નમન કર્યા અને પુષ્પાંજલિ અર્પણ કરી છે.  દેશના વિવિધ રાજ્યોમાં રન ફોર યુનિટીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદીએ દેશવાસીઓને સંબંધિત પણ કર્યા હતા.  

દેશવાસીઓને પીએમ મોદીએ લેવડાવ્યા શપથ

દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવતી હોય છે. ભારતના શિલ્પી ગણતા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મ જયંતી છે. દેશના વિવિધ રાજ્યોમાં આ દિવસની ઉજવણી કરાય છે પરંતુ ગુજરાતમાં આવેલા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે. કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા આવેલી છે. એસઓયુ ખાતે આ એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી પણ આ એકતા પરેડમાં ઉપસ્થિત છે. પીએમ મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કર્યા હતા, તેમના ચરણોમાં નમન કર્યા હતા અને પુષ્પાંજલિ અર્પિત કરી હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકતાના શપથ પણ લેવડાયા હતા.


હેરિટેજ ટ્રેનની પીએમ મોદી કરાવશે શરૂઆત

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત કરાયેલી પરેડમાં અર્ધ લશ્કરી દળો તેમજ પાંચ રાજ્યોની પોલીસ જોડાઈ હતી.પીએમ મોદી સમક્ષ તેમણે પરેડ કરી હતી. પીએમ મોદીના હસ્તે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કમલમ પાર્કને તેઓ લોકો માટે ખુલ્લો મુકશે. તે ઉપરાંત પીએમના હસ્તે હેરિટેજ ટ્રેનની પણ શરૂઆત કરવામાં આવશે. મળતી માહિતી અનુસાર આ ટ્રેન અમદાવાદથી દર રવિવારે સાંજે 6.00 વાગ્યાની આસપાસ ઉપડશે અને 10 વાગ્યાની આસાપસ કેવડિયા પહોંચાડશે. આ ટ્રેનમાં 140થી વધુ મુસાફરો પ્રવાસ કરી શક્શે. આ ટ્રેનને હેરિટેજ લુક આપવામાં આવ્યો છે. તે ઉપરાંત એકતાનગર ખાતેથી તેઓ 196 કરોડ રુપિયાના વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત તેમજ ઉદ્ધાટન કરવાના છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી