પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ: મોદી સરકારનો મોટો નિર્ણય, 22 જાન્યુઆરીએ કેન્દ્રીય કચેરીઓ અડધો દિવસ બંધ રહેશે


  • Published By :
  • Published Date : 2024-01-18 16:31:53

અયોધ્યામાં આગામી 22મી જાન્યુઆરીએ યોજાનારા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે સમગ્ર દેશમાં અડધા દિવસની રજા રહેશે. દેશભરની સરકારી કચેરીઓ અને શાળા-કોલેજોમાં સવારથી બપોરે 2.30 વાગ્યા સુધી અડધા દિવસની રજા રહેશે. કેન્દ્ર સરકારે આ હેતુ માટે અડધા દિવસની રજા જાહેર કરી છે, જેથી લોકો રામ લલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકે. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે જાહેરાત કરી કે અયોધ્યામાં 'રામ લલ્લા પ્રાણ પ્રતિષ્ઠા'ને ધ્યાનમાં રાખીને 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે.


PM મોદીએ તમામ મંત્રીઓને આપી આ સુચના


PM મોદીએ રામ મંદિરને લઈને તમામ મંત્રીઓ પાસેથી ફીડબેક લીધા હતા. મંત્રીઓને 22 જાન્યુઆરીએ તેમના ઘરોમાં દીવા પ્રગટાવવા અને ગરીબોને ભોજન આપવાનું કહેવામાં આવ્યું છે. મંત્રીઓને દિવાળીની જેમ ઉજવણી કરવાનું કહેવામાં આવ્યું છે. તે ઉપરાંત પીએમ મોદીએ મંત્રીઓને 22 જાન્યુઆરી પછી તેમના સંબંધિત સંસદીય ક્ષેત્રના લોકોને ટ્રેનમાં અયોધ્યા મોકલવા કહ્યું છે. તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવા અને તમે તેમની સાથે ટ્રેનમાં અયોધ્યા જવા માટે કહેવામાં આવ્યું છે. પીએમ મોદીએ એમ પણ કહ્યું હતું કે આ બધું સાદગી સાથે કરવાનું છે અને સૌહાર્દ અને સંવાદિતા જાળવી રાખવી રાખવામાં આવે.



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.