કેન્દ્રએ કહ્યું કોરોના વેક્સિનના 22 લાખ ડોઝ બગડ્યા, પરંતુ ગુજરાતના આરોગ્યમંત્રીએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-05 15:20:34

ફરી એક વખત કોરોનાએ માથુ ઉંચક્યું છે. ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે લોકો એકાએક વેક્સિન લેવા પ્રોત્સાહિત થયા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં વેક્સિનના ડોઝ બગડવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં રસીના એક પણ ડોઝ બગડ્યા નથી.   

Gujarat CM Bhupendra Patel Oath Ceremony Live Updates: ભૂપેન્દ્ર પટેલના નવા  મંત્રી મંડળમાં ઋષિકેશ પટેલને સ્થાન, જાણો તેમની રાજકીય સફળ


કોરોના વેક્સિનની માગ એકાએક વધી 

વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે હાહાકાર વ્યાપી ઉઠ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અનેક લોકોના મોત પણ થયા છે. ભારતમાં પણ વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. લોકો વેક્સિન લગાવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. કોરોનાની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ન ફેલાય તે માટે લોકો વેક્સિન લેવા પડાપડી રહ્યા છે. વધતી માગને જોતા વેક્સિનનો ડોઝ મંગાવવામાં આવ્યો છે.

corona vaccine health ministry said vaccine will be cheaper from abroad ag  News18 Gujarati


પૂરતો સ્ટોક રાખવા તંત્રની તૈયારી 

કોરોના કેસ વધતા વેક્સિન લગાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એકાએક લોકો વેક્સિન લેવા માટે લોકો બહાર આવી રહ્યા છે. વેક્સિનનો પૂરતો જથ્થો રાખવા સરકાર પ્રયત્ન કરી રહી છે.   ગુજરાત સરકારે વેક્સિનનો સ્ટોક પણ મંગાવ્યો છે. 


વેક્સિનનો એક પણ ડોઝ બગડ્યો નથી - ઋષિકેશ પટેલ 

કોરોનાની વધતી માગ વચ્ચે એક સમાચાર આવ્યા હતા જે અનુસાર વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં બગડી ગયો હતો. આ વાત પર સ્પષ્ટતા કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં એક પણ રસીનો ડોઝ નથી બગડ્યો. સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી જે ડોઝ મળ્યા હતા તેનો ઉપયોગ પૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો જથ્થો બગડ્યો ન કહેવાય.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.