કેન્દ્રએ કહ્યું કોરોના વેક્સિનના 22 લાખ ડોઝ બગડ્યા, પરંતુ ગુજરાતના આરોગ્યમંત્રીએ કહ્યું....


  • Published By :
  • Published Date : 2023-01-05 15:20:34

ફરી એક વખત કોરોનાએ માથુ ઉંચક્યું છે. ભારતના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના સંક્રમણને કારણે લોકો એકાએક વેક્સિન લેવા પ્રોત્સાહિત થયા છે. થોડા સમય પહેલા એવા સમાચાર સામે આવ્યા હતા જેમાં વેક્સિનના ડોઝ બગડવાની વાત કરવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા કહ્યું છે કે ગુજરાતમાં રસીના એક પણ ડોઝ બગડ્યા નથી.   

Gujarat CM Bhupendra Patel Oath Ceremony Live Updates: ભૂપેન્દ્ર પટેલના નવા  મંત્રી મંડળમાં ઋષિકેશ પટેલને સ્થાન, જાણો તેમની રાજકીય સફળ


કોરોના વેક્સિનની માગ એકાએક વધી 

વિશ્વભરમાં કોરોના મહામારીને કારણે હાહાકાર વ્યાપી ઉઠ્યો છે. અનેક લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. અનેક લોકોના મોત પણ થયા છે. ભારતમાં પણ વધતા કોરોના સંક્રમણને લઈ સરકાર એલર્ટ થઈ ગઈ છે. લોકો વેક્સિન લગાવા પર વધારે ધ્યાન આપી રહ્યા છે. કોરોનાની માગમાં એકાએક વધારો થયો છે. ત્યારે ગુજરાતમાં કોરોના ન ફેલાય તે માટે લોકો વેક્સિન લેવા પડાપડી રહ્યા છે. વધતી માગને જોતા વેક્સિનનો ડોઝ મંગાવવામાં આવ્યો છે.

corona vaccine health ministry said vaccine will be cheaper from abroad ag  News18 Gujarati


પૂરતો સ્ટોક રાખવા તંત્રની તૈયારી 

કોરોના કેસ વધતા વેક્સિન લગાડવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. એકાએક લોકો વેક્સિન લેવા માટે લોકો બહાર આવી રહ્યા છે. વેક્સિનનો પૂરતો જથ્થો રાખવા સરકાર પ્રયત્ન કરી રહી છે.   ગુજરાત સરકારે વેક્સિનનો સ્ટોક પણ મંગાવ્યો છે. 


વેક્સિનનો એક પણ ડોઝ બગડ્યો નથી - ઋષિકેશ પટેલ 

કોરોનાની વધતી માગ વચ્ચે એક સમાચાર આવ્યા હતા જે અનુસાર વેક્સિનનો જથ્થો મોટા પ્રમાણમાં બગડી ગયો હતો. આ વાત પર સ્પષ્ટતા કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે ગુજરાતમાં એક પણ રસીનો ડોઝ નથી બગડ્યો. સીરમ ઈન્સ્ટિટ્યુટ તરફથી જે ડોઝ મળ્યા હતા તેનો ઉપયોગ પૂર્ણ રીતે કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે કેન્દ્રની ગાઈડલાઈન પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો તેનો ઉપયોગ થતો નથી. કેન્દ્રની ગાઈડલાઈન્સ પ્રમાણે ડોઝ પૂર્ણ ન થાય તો વેક્સિનનો જથ્થો બગડ્યો ન કહેવાય.    




ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં એક વિમાન અકસ્માત થયો છે. એક નાનું એરક્રાફ્ટ , લંડનના સાઉથએન્ડ એરપોર્ટ ખાતે ક્રેશ થઈ ગયું છે. રનવે પરથી ઉડાન ભર્યાના થોડીવારમાં જ આ વિમાન ક્રેશ થયું હતું . ક્રેશ થયા બાદ આ વિમાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું . ક્રેશ થયેલ વિમાન Beech B200 સુપરકિંગ એર હતું, જે લંડનના સાઉથએન્ડ એરપોર્ટથી નેધરલેન્ડ્સના લેલિસ્ટેડ ખાતે જવાનું હતું.

ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખના પદ માટે જોરદાર ઘમાસાણ શરુ થઇ ચૂક્યું છે. એક તરફ , પાટીદાર સમાજે આ પદ માટે દાવો ઠોકી દીધો છે તો , બીજી તરફ કોળી સમાજે પણ પ્રદેશ પ્રમુખના પદ માટે દાવો કર્યો છે. હાલમાં તો , ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રદેશ પ્રમુખ શૈલેષ પરમાર છે. તો હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હી હાઇકમાન્ડે તેડું મોકલાવ્યું છે. આ બેઠકમાં રાહુલ ગાંધીની સાથે મલ્લિકાર્જુન ખરગે પણ હાજર રહેશે .આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસ માટે મહત્વનો નિર્ણય લેવાઈ શકે છે.

યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના બ્યુરો ઓફ સાઉથ એન્ડ સેન્ટ્રલ એશિયન અફેર્સના (SCA)ના ડેપ્યુટી સેક્રેટરી બેથની મોરિસન ૩ જુલાઈથી ૯ જુલાઈ વચ્ચે ભારતની મુલાકાતે હતા . આ મુલાકાત દરમ્યાન DAS મોરિસને નવી દિલ્હી , ધર્મશાળા અને મુંબઈમાં ભારત - યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે મુખ્ય હિસ્સેદારો સાથે વાતચીત કરી હતી . તો આજે આપણે આ આર્ટિકલમાં DAS મોરિસનની મુલાકાત વિશે વિસ્તારથી જાણીશું.

થોડાક સમય અગાઉ ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાને અરેસ્ટ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે તેમની પાસા હેઠળ ધરપકડ કરીને , તેમને સાબરમતી જેલમાં ધકેલી દીધા છે. અમરનાથ મંદિરમાં આરતી ના કરવા મુદ્દે પીટી જાડેજાએ ધમકી આપી હતી. આ બાબતે , રાજકોટ તાલુકા પોલીસે કાર્યવાહી કરી છે. તો આ મામલે ક્ષત્રિય સમાજના મહિલા આગેવાન પદ્મિની બા વાળાએ ચીમકી ઉચ્ચારી છે કે , જો ૨૪ કલાકમાં ન્યાય નઈ થાય તો ફરી એકવાર આંદોલન કરીશું . તો હવે પદ્મિની બા વાળાના આ નિવેદનને લઇને ગોંડલથી તેમને ફોન આવ્યો હતો . જેની ઓડીઓ કલીપ ખુબ જ વાઇરલ થઇ રહી છે .