રાજ્યને GSTના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ.7183 કરોડ 61 લાખનું લેણું બાકી


  • Published By :
  • Published Date : 2023-03-27 15:41:21

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્ય સરકારને મળતા જીએસટી વળતરનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી જીએસટી વળતર પેટે કેટલી રકમ મળી તે અંગે સવાલ કર્યો હતો. જેનો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો.


ડો. સી. જે. ચાવડાએ શું સવાલ કર્યો?


ધારાસભ્ય સી.જે. ચાવડાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 31-12-2022ની સ્થિતીએ રાજ્યને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં કેટલી રકમ લેવાની થાય છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ કર્યો કે તે પૈકી કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી મળી? વર્તમાન સ્થિતીએ કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને લેવાની બાકી નિકળે છે? તથા આ બાકીની રકમ લેવા માટે રાજ્ય સરકાર શું પ્રયાસો કરી રહી છે?


સરકારને કેટલું GST વળતર મળ્યું?


સી.જે. ચાવડાના સવાલનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં એ.જી ઓડીટ અન્વયે રૂ.26,993.02 કરોડ જ્યારે વર્ષ 2021-22માં રૂ.20,211.06 કરોડ જેટલી રકમ લેવાની બાકી છે. 


રાજ્ય  સરકારને જીએસટી વળતર તરીકે રૂ.17758.26 કરોડની રકમ મળી નથી તેની સામે લોન પેટે રૂ. 22262.21 કરોડ મળેલ છે. જેની વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર સેસ ફંડમાંથી કરશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને રૂ.7183.61 કરોડ જેટલી રકમ લેવાની બાકી નિકળે છે.


રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી લેવાની નિકળતી બાકીની રકમ મળે તે માટે ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (કોમ્પેન્સેશન ટુ સ્ટેટસ) એક્ટ, 2017ની કલમ-7 હેઠળ એડિટર જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાણા વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલય સાથે સંકલન કરવામાં આવેલ છે.   



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.