રાજ્યને GSTના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ.7183 કરોડ 61 લાખનું લેણું બાકી


  • Published By :
  • Published Date : 2023-03-27 15:41:21

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્ય સરકારને મળતા જીએસટી વળતરનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી જીએસટી વળતર પેટે કેટલી રકમ મળી તે અંગે સવાલ કર્યો હતો. જેનો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો.


ડો. સી. જે. ચાવડાએ શું સવાલ કર્યો?


ધારાસભ્ય સી.જે. ચાવડાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 31-12-2022ની સ્થિતીએ રાજ્યને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં કેટલી રકમ લેવાની થાય છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ કર્યો કે તે પૈકી કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી મળી? વર્તમાન સ્થિતીએ કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને લેવાની બાકી નિકળે છે? તથા આ બાકીની રકમ લેવા માટે રાજ્ય સરકાર શું પ્રયાસો કરી રહી છે?


સરકારને કેટલું GST વળતર મળ્યું?


સી.જે. ચાવડાના સવાલનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં એ.જી ઓડીટ અન્વયે રૂ.26,993.02 કરોડ જ્યારે વર્ષ 2021-22માં રૂ.20,211.06 કરોડ જેટલી રકમ લેવાની બાકી છે. 


રાજ્ય  સરકારને જીએસટી વળતર તરીકે રૂ.17758.26 કરોડની રકમ મળી નથી તેની સામે લોન પેટે રૂ. 22262.21 કરોડ મળેલ છે. જેની વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર સેસ ફંડમાંથી કરશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને રૂ.7183.61 કરોડ જેટલી રકમ લેવાની બાકી નિકળે છે.


રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી લેવાની નિકળતી બાકીની રકમ મળે તે માટે ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (કોમ્પેન્સેશન ટુ સ્ટેટસ) એક્ટ, 2017ની કલમ-7 હેઠળ એડિટર જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાણા વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલય સાથે સંકલન કરવામાં આવેલ છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.