રાજ્યને GSTના વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી રૂ.7183 કરોડ 61 લાખનું લેણું બાકી


  • Published By :
  • Published Date : 2023-03-27 15:41:21

ગુજરાત વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્ય સરકારને મળતા જીએસટી વળતરનો મુદ્દો ઉઠ્યો હતો. કોંગ્રેસના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી જીએસટી વળતર પેટે કેટલી રકમ મળી તે અંગે સવાલ કર્યો હતો. જેનો નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો.


ડો. સી. જે. ચાવડાએ શું સવાલ કર્યો?


ધારાસભ્ય સી.જે. ચાવડાએ વિધાનસભામાં સવાલ કર્યો કે 31-12-2022ની સ્થિતીએ રાજ્યને જીએસટી વળતર પેટે કેન્દ્ર સરકાર પાસેથી નાણાકીય વર્ષ 2020-21 અને 2021-22માં કેટલી રકમ લેવાની થાય છે? તે ઉપરાંત તેમણે પેટા સવાલ કર્યો કે તે પૈકી કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી મળી? વર્તમાન સ્થિતીએ કેટલી રકમ કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને લેવાની બાકી નિકળે છે? તથા આ બાકીની રકમ લેવા માટે રાજ્ય સરકાર શું પ્રયાસો કરી રહી છે?


સરકારને કેટલું GST વળતર મળ્યું?


સી.જે. ચાવડાના સવાલનો જવાબ આપતા રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે નાણાકીય વર્ષ 2020-21માં એ.જી ઓડીટ અન્વયે રૂ.26,993.02 કરોડ જ્યારે વર્ષ 2021-22માં રૂ.20,211.06 કરોડ જેટલી રકમ લેવાની બાકી છે. 


રાજ્ય  સરકારને જીએસટી વળતર તરીકે રૂ.17758.26 કરોડની રકમ મળી નથી તેની સામે લોન પેટે રૂ. 22262.21 કરોડ મળેલ છે. જેની વ્યાજ સહિતની ચૂકવણી કેન્દ્ર સરકાર સેસ ફંડમાંથી કરશે. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને રૂ.7183.61 કરોડ જેટલી રકમ લેવાની બાકી નિકળે છે.


રાજ્ય સરકારને કેન્દ્ર સરકાર તરફથી લેવાની નિકળતી બાકીની રકમ મળે તે માટે ધ ગુડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (કોમ્પેન્સેશન ટુ સ્ટેટસ) એક્ટ, 2017ની કલમ-7 હેઠળ એડિટર જનરલ દ્વારા આવકનું ઓડીટ પ્રમાણપત્ર સમયસર મળે તે માટે સંકલન કરવામાં આવેલ છે. વધુમાં રાજ્યના નાણા વિભાગ દ્વારા કેન્દ્રીય નાણા મંત્રાલય સાથે સંકલન કરવામાં આવેલ છે.   



સંતરામપુરથી એક વીડિયો સામે આવ્યો છે જે અનેક સવાલ ઉભા કરે છે. બુથ પર હાજર અધિકારી, ત્યાં હાજર પોલીસ અધિકારી.. જો વીડિયો વાયરલ ના થયો હોત તો ખબર જ ના પડત તે આવી ઘટના બની છે.

નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના જેમાં આ વાતને સમજાવવામાં આવી છે.

વલસાડ લોકસભા બેઠક પણ ચર્ચામાં રહી પોતાના ઉમેદવારોને કારણે.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ટિકીટ આપવામાં આવી હતી જ્યારે ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને ટિકીટ આપી છે.. જમાવટની ટીમે ધવલ પટેલ સાથે ટેલિફોનિક વાત કરી હતી.

ચૂંટણી પૂર્ણ થયા બાદ પરષોત્તમ રૂપાલાએ એક નિવેદન આપ્યું જેમાં તેમણે ક્ષત્રિય સમાજની માફી માગી હતી. આ બાદ ક્ષત્રિય સમાજે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રૂપાલાને જણાવ્યું છે કે,‘કદાચ તેમને આગળ કોઇ પદભાર મેળવવું હોય તેથી આજે તેમણે અમારી ફરીથી માફી માંગી છે તેવું અમારું માનવું છે.'