Paper Leakને રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં, NEET વિવાદ વચ્ચે એન્ટી પેપર લીક કાયદો લાગુ જેમાં 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ


  • Published By :
  • Published Date : 2024-06-22 12:38:25

દેશમાં પેપર લીક થવું જાણે સામાન્ય બની ગયું છે.. પેપર લીક થવાની ઘટનાઓ અનેક વખત આપણી સામે આવે છે.. થોડા દિવસોની અંદર આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં પરીક્ષાને લઈ વિવાદ ચાલતો હોય છે કે આખે આખી પરીક્ષાને જ રદ્દ કરવામાં આવી હોય.. પેપર લીક કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પેપર લીકને લઈ ફેબ્રુઆરી મહિનામાં કાયદો લાવી છે અને ગઈકાલે તે કાયદાનો અમલ કરવામાં આવ્યો.. જેમાં પેપર લીક કરનારને 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે...   

Image


પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપના અધૂરા રહી જાય..

જ્યારે જ્યારે પેપર ફૂટે છે તેની સાથે સાથે ઉમેદવારોના સપના પણ તૂટે છે.. પરીક્ષાને પાસ કરવા માટે ઉમેદવારો દ્વારા ,વિદ્યાર્થીઓ દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવતો હોય છે.. એમ માનીને તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે હમણા કરેલી મહેનત તેમને આગળ જતા કામ લાગશે. પરંતુ જ્યારે પેપર ફૂટે અને પરીક્ષા રદ્દ કરવાની નોબત આવે છે ત્યારે તે ઉમેદવારોએ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. 



પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે લાગુ કર્યો કાયદો

NEET,UGC-NET પરીક્ષાઓને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક  મહત્વનો કાયદો લાવવામાં આવ્યો છે પેપર લીકને રોકવા માટે.. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરિતીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એનટીએ ચર્ચામાં રહ્યું છે. એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષા અનેક ચર્ચામાં રહી.. પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો ફેબ્રુઆરીમાં પાસ કરવામાં આવ્યો જેનો અમલ 21 જૂન 2024ના મોડી રાત્રે કરવામાં આવ્યો. સરકારે કાયદાને લઈ જાહેરનામું બહાર પાડ્યું. કાયદા  પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  અનેક મોટી પરીક્ષાઓનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.