Paper Leakને રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં, NEET વિવાદ વચ્ચે એન્ટી પેપર લીક કાયદો લાગુ જેમાં 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ


  • Published By :
  • Published Date : 2024-06-22 12:38:25

દેશમાં પેપર લીક થવું જાણે સામાન્ય બની ગયું છે.. પેપર લીક થવાની ઘટનાઓ અનેક વખત આપણી સામે આવે છે.. થોડા દિવસોની અંદર આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં પરીક્ષાને લઈ વિવાદ ચાલતો હોય છે કે આખે આખી પરીક્ષાને જ રદ્દ કરવામાં આવી હોય.. પેપર લીક કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પેપર લીકને લઈ ફેબ્રુઆરી મહિનામાં કાયદો લાવી છે અને ગઈકાલે તે કાયદાનો અમલ કરવામાં આવ્યો.. જેમાં પેપર લીક કરનારને 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે...   

Image


પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપના અધૂરા રહી જાય..

જ્યારે જ્યારે પેપર ફૂટે છે તેની સાથે સાથે ઉમેદવારોના સપના પણ તૂટે છે.. પરીક્ષાને પાસ કરવા માટે ઉમેદવારો દ્વારા ,વિદ્યાર્થીઓ દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવતો હોય છે.. એમ માનીને તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે હમણા કરેલી મહેનત તેમને આગળ જતા કામ લાગશે. પરંતુ જ્યારે પેપર ફૂટે અને પરીક્ષા રદ્દ કરવાની નોબત આવે છે ત્યારે તે ઉમેદવારોએ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. 



પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે લાગુ કર્યો કાયદો

NEET,UGC-NET પરીક્ષાઓને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક  મહત્વનો કાયદો લાવવામાં આવ્યો છે પેપર લીકને રોકવા માટે.. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરિતીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એનટીએ ચર્ચામાં રહ્યું છે. એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષા અનેક ચર્ચામાં રહી.. પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો ફેબ્રુઆરીમાં પાસ કરવામાં આવ્યો જેનો અમલ 21 જૂન 2024ના મોડી રાત્રે કરવામાં આવ્યો. સરકારે કાયદાને લઈ જાહેરનામું બહાર પાડ્યું. કાયદા  પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  અનેક મોટી પરીક્ષાઓનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.  




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.