Paper Leakને રોકવા માટે કેન્દ્ર સરકાર એક્શનમાં, NEET વિવાદ વચ્ચે એન્ટી પેપર લીક કાયદો લાગુ જેમાં 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ


  • Published By :
  • Published Date : 2024-06-22 12:38:25

દેશમાં પેપર લીક થવું જાણે સામાન્ય બની ગયું છે.. પેપર લીક થવાની ઘટનાઓ અનેક વખત આપણી સામે આવે છે.. થોડા દિવસોની અંદર આપણી સામે એવા અનેક ઉદાહરણો છે જેમાં પરીક્ષાને લઈ વિવાદ ચાલતો હોય છે કે આખે આખી પરીક્ષાને જ રદ્દ કરવામાં આવી હોય.. પેપર લીક કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર પેપર લીકને લઈ ફેબ્રુઆરી મહિનામાં કાયદો લાવી છે અને ગઈકાલે તે કાયદાનો અમલ કરવામાં આવ્યો.. જેમાં પેપર લીક કરનારને 10 વર્ષની સજા તેમજ 1 કરોડ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે આ નવો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો છે...   

Image


પેપર ફૂટવાને કારણે અનેક ઉમેદવારોના સપના અધૂરા રહી જાય..

જ્યારે જ્યારે પેપર ફૂટે છે તેની સાથે સાથે ઉમેદવારોના સપના પણ તૂટે છે.. પરીક્ષાને પાસ કરવા માટે ઉમેદવારો દ્વારા ,વિદ્યાર્થીઓ દ્વારા અથાગ પરિશ્રમ કરવામાં આવતો હોય છે.. એમ માનીને તૈયારીઓ કરવામાં આવતી હોય છે કે હમણા કરેલી મહેનત તેમને આગળ જતા કામ લાગશે. પરંતુ જ્યારે પેપર ફૂટે અને પરીક્ષા રદ્દ કરવાની નોબત આવે છે ત્યારે તે ઉમેદવારોએ કરેલી મહેનત પર પાણી ફરી જાય છે. 



પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકારે લાગુ કર્યો કાયદો

NEET,UGC-NET પરીક્ષાઓને લઈ હાલ વિવાદ ચાલી રહ્યો છે અને આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર દ્વારા એક  મહત્વનો કાયદો લાવવામાં આવ્યો છે પેપર લીકને રોકવા માટે.. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરિતીને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી એનટીએ ચર્ચામાં રહ્યું છે. એજન્સી દ્વારા લેવામાં આવતી પરીક્ષા અનેક ચર્ચામાં રહી.. પેપર લીકને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કાયદો ફેબ્રુઆરીમાં પાસ કરવામાં આવ્યો જેનો અમલ 21 જૂન 2024ના મોડી રાત્રે કરવામાં આવ્યો. સરકારે કાયદાને લઈ જાહેરનામું બહાર પાડ્યું. કાયદા  પરીક્ષામાં અયોગ્ય માધ્યમોનો ઉપયોગ કરવા બદલ ત્રણથી પાંચ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે.  અનેક મોટી પરીક્ષાઓનો સમાવેશ આ કાયદા હેઠળ કરવામાં આવ્યો છે. UPSC, SSC, રેલ્વે દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાઓ, બેંકિંગ ભરતી પરીક્ષાઓ અને નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવતી તમામ કમ્પ્યુટર આધારિત પરીક્ષાઓનો સમાવેશ થાય છે.  




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .