કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી


  • Published By :
  • Published Date : 2022-10-29 16:14:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને ગુજરાત રોજગાર મેળાનું સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે તાજેતરમાં જ ગુજરાતના 10 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને આગામી 1 વર્ષમાં 35 હજાર જગ્યાઓ ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 


કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી 

પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે આગામી સમયમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રોજગાર મેળાનું આયોજન થશે. કેન્દ્ર સરકારનો વિચાર છે કે 10 લાખ નોકરીઓ સર્જન થાય અને તેના પર કેન્દ્ર સરકાર કામ પણ કરી રહી છે. 


PM મોદીએ અનુબંધમ મોબાઈલ એપની પ્રશંસા કરી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સમાં વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે જ સરકારી ભરતીના વર્ગ 3 અને 4માં ઈન્ટરવ્યૂની પ્રક્રિયા નાબૂત કરી, ઓજસ પ્લેટફોર્મની પણ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રીએ અનુબંધમ મોબાઈલ એપ અને વેબ પોર્ટલની વિશેષતા વિશે માહિતી હતી. આ બંનેથી રોજગાર આપનાર અને શોધનારનું મિલન થાય છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા મામલે વીડિયો કોન્ફરન્સથી માહિતી આપી હતી. પરંતુ ગુજરાતમાં હાલ રોજગારી માટે યુવાનોને તકલીફ પડી રહી છે. ઉચ્ચ ઘરના લોકોને તો કેમ પણ કરીને ધક્કો લાગી જાય છે અને નોકરી મળી જાય છે પરંતુ ગરીબ ઘરના લોકોને જોબ માટે તકલીફ પડી રહી છે. તલાટીની પરીક્ષામાં 3 હજાર જગ્યાઓ માટે 20 લાખ ફોર્મ ભરાય છે. અન્ય પરીક્ષાઓ માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. આનાથી ગુજરાતમાં રોજગારીની તકલીફનો આંકડાનો અંદાજ આવે છે. સરકાર સાથે જ્યારે આ મામલે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સરકાર એવું નિવેદન આપીને વાત ટાળી દેય છે કે ફોર્મ જોબ કરતા લોકો પણ ભરતા હોય છે. આથી આ આંકડાથી બેરોજગારીનો આંકડો ના પકડી શકાય. વિધાનસભામાં જ્યારે ધારાસભ્યો આંકડાઓ માગે છે ત્યારે અસલી આંકડાઓ સામે આવે છે પરંતુ તેના પર ધ્યાન નથી આપવામાં આવતું. ગુજરાતમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઉભું કર્યું છે તેના વિકાસને નકારી ના શકાય પણ મોટી ઈમારતો ચણી દેવાથી પર્મનેન્ટ જોબનું ક્રિયેશન નથી થતું તે એક ગંભીર વિષય છે. 














ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.