કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી


  • Published By :
  • Published Date : 2022-10-29 16:14:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને ગુજરાત રોજગાર મેળાનું સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે તાજેતરમાં જ ગુજરાતના 10 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને આગામી 1 વર્ષમાં 35 હજાર જગ્યાઓ ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 


કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી 

પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે આગામી સમયમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રોજગાર મેળાનું આયોજન થશે. કેન્દ્ર સરકારનો વિચાર છે કે 10 લાખ નોકરીઓ સર્જન થાય અને તેના પર કેન્દ્ર સરકાર કામ પણ કરી રહી છે. 


PM મોદીએ અનુબંધમ મોબાઈલ એપની પ્રશંસા કરી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સમાં વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે જ સરકારી ભરતીના વર્ગ 3 અને 4માં ઈન્ટરવ્યૂની પ્રક્રિયા નાબૂત કરી, ઓજસ પ્લેટફોર્મની પણ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રીએ અનુબંધમ મોબાઈલ એપ અને વેબ પોર્ટલની વિશેષતા વિશે માહિતી હતી. આ બંનેથી રોજગાર આપનાર અને શોધનારનું મિલન થાય છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા મામલે વીડિયો કોન્ફરન્સથી માહિતી આપી હતી. પરંતુ ગુજરાતમાં હાલ રોજગારી માટે યુવાનોને તકલીફ પડી રહી છે. ઉચ્ચ ઘરના લોકોને તો કેમ પણ કરીને ધક્કો લાગી જાય છે અને નોકરી મળી જાય છે પરંતુ ગરીબ ઘરના લોકોને જોબ માટે તકલીફ પડી રહી છે. તલાટીની પરીક્ષામાં 3 હજાર જગ્યાઓ માટે 20 લાખ ફોર્મ ભરાય છે. અન્ય પરીક્ષાઓ માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. આનાથી ગુજરાતમાં રોજગારીની તકલીફનો આંકડાનો અંદાજ આવે છે. સરકાર સાથે જ્યારે આ મામલે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સરકાર એવું નિવેદન આપીને વાત ટાળી દેય છે કે ફોર્મ જોબ કરતા લોકો પણ ભરતા હોય છે. આથી આ આંકડાથી બેરોજગારીનો આંકડો ના પકડી શકાય. વિધાનસભામાં જ્યારે ધારાસભ્યો આંકડાઓ માગે છે ત્યારે અસલી આંકડાઓ સામે આવે છે પરંતુ તેના પર ધ્યાન નથી આપવામાં આવતું. ગુજરાતમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઉભું કર્યું છે તેના વિકાસને નકારી ના શકાય પણ મોટી ઈમારતો ચણી દેવાથી પર્મનેન્ટ જોબનું ક્રિયેશન નથી થતું તે એક ગંભીર વિષય છે. 














ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?