કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી


  • Published By :
  • Published Date : 2022-10-29 16:14:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને ગુજરાત રોજગાર મેળાનું સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે તાજેતરમાં જ ગુજરાતના 10 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને આગામી 1 વર્ષમાં 35 હજાર જગ્યાઓ ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 


કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી 

પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે આગામી સમયમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રોજગાર મેળાનું આયોજન થશે. કેન્દ્ર સરકારનો વિચાર છે કે 10 લાખ નોકરીઓ સર્જન થાય અને તેના પર કેન્દ્ર સરકાર કામ પણ કરી રહી છે. 


PM મોદીએ અનુબંધમ મોબાઈલ એપની પ્રશંસા કરી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સમાં વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે જ સરકારી ભરતીના વર્ગ 3 અને 4માં ઈન્ટરવ્યૂની પ્રક્રિયા નાબૂત કરી, ઓજસ પ્લેટફોર્મની પણ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રીએ અનુબંધમ મોબાઈલ એપ અને વેબ પોર્ટલની વિશેષતા વિશે માહિતી હતી. આ બંનેથી રોજગાર આપનાર અને શોધનારનું મિલન થાય છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા મામલે વીડિયો કોન્ફરન્સથી માહિતી આપી હતી. પરંતુ ગુજરાતમાં હાલ રોજગારી માટે યુવાનોને તકલીફ પડી રહી છે. ઉચ્ચ ઘરના લોકોને તો કેમ પણ કરીને ધક્કો લાગી જાય છે અને નોકરી મળી જાય છે પરંતુ ગરીબ ઘરના લોકોને જોબ માટે તકલીફ પડી રહી છે. તલાટીની પરીક્ષામાં 3 હજાર જગ્યાઓ માટે 20 લાખ ફોર્મ ભરાય છે. અન્ય પરીક્ષાઓ માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. આનાથી ગુજરાતમાં રોજગારીની તકલીફનો આંકડાનો અંદાજ આવે છે. સરકાર સાથે જ્યારે આ મામલે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સરકાર એવું નિવેદન આપીને વાત ટાળી દેય છે કે ફોર્મ જોબ કરતા લોકો પણ ભરતા હોય છે. આથી આ આંકડાથી બેરોજગારીનો આંકડો ના પકડી શકાય. વિધાનસભામાં જ્યારે ધારાસભ્યો આંકડાઓ માગે છે ત્યારે અસલી આંકડાઓ સામે આવે છે પરંતુ તેના પર ધ્યાન નથી આપવામાં આવતું. ગુજરાતમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઉભું કર્યું છે તેના વિકાસને નકારી ના શકાય પણ મોટી ઈમારતો ચણી દેવાથી પર્મનેન્ટ જોબનું ક્રિયેશન નથી થતું તે એક ગંભીર વિષય છે. 














રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.