કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી


  • Published By :
  • Published Date : 2022-10-29 16:14:07

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ કરીને ગુજરાત રોજગાર મેળાનું સંબોધન કર્યું હતું. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે તાજેતરમાં જ ગુજરાતના 10 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા છે અને આગામી 1 વર્ષમાં 35 હજાર જગ્યાઓ ભરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે. 


કેન્દ્ર સરકાર 10 લાખ નોકરી આપવા કામ કરી રહી છેઃ મોદી 

પ્રધાનમંત્રી મોદીએ માહિતી આપી હતી કે આગામી સમયમાં રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રોજગાર મેળાનું આયોજન થશે. કેન્દ્ર સરકારનો વિચાર છે કે 10 લાખ નોકરીઓ સર્જન થાય અને તેના પર કેન્દ્ર સરકાર કામ પણ કરી રહી છે. 


PM મોદીએ અનુબંધમ મોબાઈલ એપની પ્રશંસા કરી 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સમાં વાત કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકારે જ સરકારી ભરતીના વર્ગ 3 અને 4માં ઈન્ટરવ્યૂની પ્રક્રિયા નાબૂત કરી, ઓજસ પ્લેટફોર્મની પણ શરૂઆત કરાવી. પ્રધાનમંત્રીએ અનુબંધમ મોબાઈલ એપ અને વેબ પોર્ટલની વિશેષતા વિશે માહિતી હતી. આ બંનેથી રોજગાર આપનાર અને શોધનારનું મિલન થાય છે. 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રોજગાર મેળા મામલે વીડિયો કોન્ફરન્સથી માહિતી આપી હતી. પરંતુ ગુજરાતમાં હાલ રોજગારી માટે યુવાનોને તકલીફ પડી રહી છે. ઉચ્ચ ઘરના લોકોને તો કેમ પણ કરીને ધક્કો લાગી જાય છે અને નોકરી મળી જાય છે પરંતુ ગરીબ ઘરના લોકોને જોબ માટે તકલીફ પડી રહી છે. તલાટીની પરીક્ષામાં 3 હજાર જગ્યાઓ માટે 20 લાખ ફોર્મ ભરાય છે. અન્ય પરીક્ષાઓ માટે પણ લાખોની સંખ્યામાં ફોર્મ ભરાતા હોય છે. આનાથી ગુજરાતમાં રોજગારીની તકલીફનો આંકડાનો અંદાજ આવે છે. સરકાર સાથે જ્યારે આ મામલે ચર્ચા કરવામાં આવે છે ત્યારે સરકાર એવું નિવેદન આપીને વાત ટાળી દેય છે કે ફોર્મ જોબ કરતા લોકો પણ ભરતા હોય છે. આથી આ આંકડાથી બેરોજગારીનો આંકડો ના પકડી શકાય. વિધાનસભામાં જ્યારે ધારાસભ્યો આંકડાઓ માગે છે ત્યારે અસલી આંકડાઓ સામે આવે છે પરંતુ તેના પર ધ્યાન નથી આપવામાં આવતું. ગુજરાતમાં સરકારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સારું ઉભું કર્યું છે તેના વિકાસને નકારી ના શકાય પણ મોટી ઈમારતો ચણી દેવાથી પર્મનેન્ટ જોબનું ક્રિયેશન નથી થતું તે એક ગંભીર વિષય છે. 














ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.