સુરક્ષા ચૂક બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સંસદની સુરક્ષા માટે CISFના જવાનો રહેશે તૈનાત


  • Published By :
  • Published Date : 2023-12-21 15:27:40

સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા ચૂકની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે તેની 'વ્યાપક' સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી છે. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) છે જે હાલમાં ન્યુક્લિયર અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો, તેમજ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયની કેટલીક ઇમારતો હેઠળની સંસ્થાઓનું રક્ષણ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેનો નિર્દેશ આપ્યો હતો જેથી CISF સુરક્ષા અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી વ્યાપક ધોરણે કરી શકાય.



CRPF જવાનો રહેશે તૈનાત


કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વે શરૂ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અને જૂના બંને સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા (PSS), દિલ્હી પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF)ના પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ (PDG)ના હાલના  દળો પણ તૈનાત રહેશે. CRPFના ડાયરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહની આગેવાની હેઠળની એક સમિતિ સંસદ સંકુલની સુરક્ષાના સમગ્ર મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુધારા માટે ભલામણો કરશે.


આ કારણે થયો ફેરફાર

 

13 ડિસેમ્બરે, સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં મોટી ચૂંક જોવા મળી હતી, બે માણસો ઝીરો અવર દરમિયાન ઓડિટોરિયમમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા.  તેમણે  'કેન'માંથી પીળો ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતો. આરોપીઓને બાદમાં સાંસદો દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ સંકુલની બહાર સૂત્રોચ્ચાર કરતી વખતે 'કેન''માંથી રંગીન ધુમાડો છોડ્યો હતો. 



૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.

એક તરફ અમેરિકા અને ઈરાન વચ્ચે જબરદસ્ત તણાવ જબરદસ્ત સ્તરે પહોંચી ગયો છે. અમેરિકાએ ઈરાનના કેશમ આઇલેન્ડ પર હુમલો કરી દીધો છે તો બીજી તરફ , ઈરાને કુવૈત પર મિસાઇલો દાગી છે. હવે , કુવૈતમાં ઈરાનના હુમલામાં ૧ વ્યક્તિએ જીવ પણ ગુમાવ્યો છે. પશ્ચિમ એશિયા ફરી એકવાર ભીષણ યુદ્ધની ધરી પર પહોંચી ગયું છે.

જામનગરમાં ભાજપના કોર્પોરેટરના પુત્રની એક દારૂ કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી છે. કુલ ૧૯ ગંભીર ગુનાઓ જેની પર લાગેલા છે તેવો રીઢો આરોપી હિતેશ ઉર્ફે વાંગો નરશીભાઇ બાંભણીયા ને ચોટીલાની લાલા રઘુવંશી હોટલ નજીક થી ઝડપી પાડવામાં આવ્યો છે. જેનાથી જામનગરમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. આ વાન્ગો બામભણીયા હત્યા અને મારામારીના કેસમાં સંડોવણી ધરાવે છે. વાન્ગો બામભણીયાના માતા મંજુબેન બામભણીયા જામનગર શહેરમાં વોર્ડ નંબર ૧૦માંથી ભાજપમાંથી કોર્પોરેટર છે.

શિસ્ત માટે જાણીતા રાજકોટ રેન્જના IG નિર્લિપ્ત રાય દ્વારા આજે રાજકોટ જિલ્લાના પડધરીમાં એક ખુબ કડક કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં , પડધરીના કેસમાં તાત્કાલિક ધોરણે ૨ PI , PSI અને ASIને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા છે. પડધરીમાં દુષ્કર્મના કેસમાં આરોપીઓ બે વર્ષથી વધારે સમય માટે ફરાર હતા. ૨ વર્ષ જેટલો લામ્બો સમય થયો હોવા છતાં આરોપીઓને પકડવામાં પોલીસની ઘોર બેદરકારી સામે આવી હતી. આ કારણે , રેન્જ IG નિર્લિપ્ત રાય દ્વારા પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.