સુરક્ષા ચૂક બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સંસદની સુરક્ષા માટે CISFના જવાનો રહેશે તૈનાત


  • Published By :
  • Published Date : 2023-12-21 15:27:40

સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા ચૂકની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે તેની 'વ્યાપક' સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી છે. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) છે જે હાલમાં ન્યુક્લિયર અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો, તેમજ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયની કેટલીક ઇમારતો હેઠળની સંસ્થાઓનું રક્ષણ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેનો નિર્દેશ આપ્યો હતો જેથી CISF સુરક્ષા અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી વ્યાપક ધોરણે કરી શકાય.



CRPF જવાનો રહેશે તૈનાત


કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વે શરૂ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અને જૂના બંને સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા (PSS), દિલ્હી પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF)ના પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ (PDG)ના હાલના  દળો પણ તૈનાત રહેશે. CRPFના ડાયરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહની આગેવાની હેઠળની એક સમિતિ સંસદ સંકુલની સુરક્ષાના સમગ્ર મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુધારા માટે ભલામણો કરશે.


આ કારણે થયો ફેરફાર

 

13 ડિસેમ્બરે, સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં મોટી ચૂંક જોવા મળી હતી, બે માણસો ઝીરો અવર દરમિયાન ઓડિટોરિયમમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા.  તેમણે  'કેન'માંથી પીળો ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતો. આરોપીઓને બાદમાં સાંસદો દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ સંકુલની બહાર સૂત્રોચ્ચાર કરતી વખતે 'કેન''માંથી રંગીન ધુમાડો છોડ્યો હતો. 



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.