સુરક્ષા ચૂક બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સંસદની સુરક્ષા માટે CISFના જવાનો રહેશે તૈનાત


  • Published By :
  • Published Date : 2023-12-21 15:27:40

સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા ચૂકની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે તેની 'વ્યાપક' સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી છે. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) છે જે હાલમાં ન્યુક્લિયર અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો, તેમજ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયની કેટલીક ઇમારતો હેઠળની સંસ્થાઓનું રક્ષણ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેનો નિર્દેશ આપ્યો હતો જેથી CISF સુરક્ષા અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી વ્યાપક ધોરણે કરી શકાય.



CRPF જવાનો રહેશે તૈનાત


કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વે શરૂ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અને જૂના બંને સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા (PSS), દિલ્હી પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF)ના પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ (PDG)ના હાલના  દળો પણ તૈનાત રહેશે. CRPFના ડાયરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહની આગેવાની હેઠળની એક સમિતિ સંસદ સંકુલની સુરક્ષાના સમગ્ર મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુધારા માટે ભલામણો કરશે.


આ કારણે થયો ફેરફાર

 

13 ડિસેમ્બરે, સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં મોટી ચૂંક જોવા મળી હતી, બે માણસો ઝીરો અવર દરમિયાન ઓડિટોરિયમમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા.  તેમણે  'કેન'માંથી પીળો ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતો. આરોપીઓને બાદમાં સાંસદો દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ સંકુલની બહાર સૂત્રોચ્ચાર કરતી વખતે 'કેન''માંથી રંગીન ધુમાડો છોડ્યો હતો. 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.