સુરક્ષા ચૂક બાદ કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, સંસદની સુરક્ષા માટે CISFના જવાનો રહેશે તૈનાત


  • Published By :
  • Published Date : 2023-12-21 15:27:40

સંસદ ભવનના સંકુલમાં સુરક્ષા ચૂકની તાજેતરની ઘટનાને ધ્યાનમાં રાખીને, સરકારે તેની 'વ્યાપક' સુરક્ષાની જવાબદારી કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF)ને સોંપવાનો નિર્ણય કર્યો છે. સત્તાવાર સૂત્રોએ ગુરુવારે આ માહિતી આપી છે. CISF એ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ (CAPF) છે જે હાલમાં ન્યુક્લિયર અને એરોસ્પેસ ડોમેન, નાગરિક એરપોર્ટ અને દિલ્હી મેટ્રો, તેમજ રાષ્ટ્રીય રાજધાનીમાં કેન્દ્રીય મંત્રાલયની કેટલીક ઇમારતો હેઠળની સંસ્થાઓનું રક્ષણ કરે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે બુધવારે સંસદ ભવન સંકુલના સર્વેનો નિર્દેશ આપ્યો હતો જેથી CISF સુરક્ષા અને ફાયર બ્રિગેડની નિયમિત તૈનાતી વ્યાપક ધોરણે કરી શકાય.



CRPF જવાનો રહેશે તૈનાત


કેન્દ્ર સરકારના મંત્રાલયોની સુરક્ષા કરતા CISFના ગવર્મેન્ટ બિલ્ડિંગ સિક્યુરિટી (GBS) યુનિટના નિષ્ણાતો સાથે CISF ફાયર અને રેસ્ક્યૂ અધિકારીઓ અને વર્તમાન સંસદ સુરક્ષા ટીમના અધિકારીઓ આ સપ્તાહના અંતમાં સર્વે શરૂ કરશે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા અને જૂના બંને સંસદ સંકુલ અને તેની સાથે સંકળાયેલી ઇમારતોને CISFના વ્યાપક સુરક્ષા કવચ હેઠળ લાવવામાં આવશે, જેમાં સંસદ સુરક્ષા સેવા (PSS), દિલ્હી પોલીસ અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ (CRPF)ના પાર્લામેન્ટ ડ્યૂટી ગ્રૂપ (PDG)ના હાલના  દળો પણ તૈનાત રહેશે. CRPFના ડાયરેક્ટર જનરલ અનીશ દયાલ સિંહની આગેવાની હેઠળની એક સમિતિ સંસદ સંકુલની સુરક્ષાના સમગ્ર મુદ્દાઓ પર ધ્યાન આપી રહી છે અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને સુધારા માટે ભલામણો કરશે.


આ કારણે થયો ફેરફાર

 

13 ડિસેમ્બરે, સંસદ પર 2001ના આતંકવાદી હુમલાની વરસી પર સુરક્ષામાં મોટી ચૂંક જોવા મળી હતી, બે માણસો ઝીરો અવર દરમિયાન ઓડિટોરિયમમાંથી લોકસભાની ચેમ્બરમાં કૂદી પડ્યા હતા.  તેમણે  'કેન'માંથી પીળો ધુમાડો છોડ્યો અને સૂત્રોચ્ચાર કર્યા હતો. આરોપીઓને બાદમાં સાંસદો દ્વારા નિયંત્રિત કરવામાં આવ્યા હતા. તે જ સમયે, અન્ય બે લોકોએ સંસદ સંકુલની બહાર સૂત્રોચ્ચાર કરતી વખતે 'કેન''માંથી રંગીન ધુમાડો છોડ્યો હતો. 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે