નદીઓની શુદ્ધતા અંગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ, સાબરમતી નદીને લઈ કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-02-03 17:18:04

છેલ્લા ઘણા સમયથી નદીમાંથી પ્રદૂષણ દૂર કરવાની વાતો કરવામાં આવી રહી છે. પર્યાવરણનું સંરક્ષણ કરવા વન અને પર્યાવરણ મંત્રાલયનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. નદીને પ્રદૂષણથી મુક્ત કરવા લાખો રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. ગંગા અને યમુનાના પ્રદૂષણના મામલા સતત સામે આવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં નદીઓની શુદ્ધતાને લઈ વાત કરવામાં આવી છે. ગુજરાતની સાબરમતી નદીનો ક્રમાંક બીજો છે. 


નદીના પ્રદૂષણને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા કરાયા પ્રહાર 

સાબરમતી નદીની શુદ્ધતાની અનેક વખત વાતો કરવામાં આવે છે. સરકાર અનેક વખત પર્યાવરણને બચાવવાની વાતને લઈ દાવા કરતી હોય છે. પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેને કારણે નદીના શુદ્ધિકરણની વાતો પર પાણી ફેરવી દે છે.  રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે જ્યારે ગુજરાતની સાબરમતી આ શ્રેણીમાં બીજા નંબર પર આવે છે. આ વાતને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. 


મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં તમામ નદીઓનું સૌથી વધુ પ્રદૂષણ છતાં પણ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. શુદ્ધિકરણની વાતને લઈને 3000 કરોડ સરકાર દ્વારા વેડફી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી રાજ્યમાં કુદરતી જળ સ્ત્રોત હોય કે અન્ય જગ્યાએ એર પોલ્યુશન હોય કે વોટર પોલ્યુશન તમામ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું છે. તેનાથી ઉલટું કામ કરી રહી છે. મનીષ દોષી ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.