નદીઓની શુદ્ધતા અંગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ, સાબરમતી નદીને લઈ કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-02-03 17:18:04

છેલ્લા ઘણા સમયથી નદીમાંથી પ્રદૂષણ દૂર કરવાની વાતો કરવામાં આવી રહી છે. પર્યાવરણનું સંરક્ષણ કરવા વન અને પર્યાવરણ મંત્રાલયનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. નદીને પ્રદૂષણથી મુક્ત કરવા લાખો રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. ગંગા અને યમુનાના પ્રદૂષણના મામલા સતત સામે આવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં નદીઓની શુદ્ધતાને લઈ વાત કરવામાં આવી છે. ગુજરાતની સાબરમતી નદીનો ક્રમાંક બીજો છે. 


નદીના પ્રદૂષણને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા કરાયા પ્રહાર 

સાબરમતી નદીની શુદ્ધતાની અનેક વખત વાતો કરવામાં આવે છે. સરકાર અનેક વખત પર્યાવરણને બચાવવાની વાતને લઈ દાવા કરતી હોય છે. પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેને કારણે નદીના શુદ્ધિકરણની વાતો પર પાણી ફેરવી દે છે.  રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે જ્યારે ગુજરાતની સાબરમતી આ શ્રેણીમાં બીજા નંબર પર આવે છે. આ વાતને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. 


મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં તમામ નદીઓનું સૌથી વધુ પ્રદૂષણ છતાં પણ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. શુદ્ધિકરણની વાતને લઈને 3000 કરોડ સરકાર દ્વારા વેડફી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી રાજ્યમાં કુદરતી જળ સ્ત્રોત હોય કે અન્ય જગ્યાએ એર પોલ્યુશન હોય કે વોટર પોલ્યુશન તમામ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું છે. તેનાથી ઉલટું કામ કરી રહી છે. મનીષ દોષી ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.