નદીઓની શુદ્ધતા અંગે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો રિપોર્ટ, સાબરમતી નદીને લઈ કોંગ્રેસના સરકાર પર આકરા પ્રહાર!


  • Published By :
  • Published Date : 2023-02-03 17:18:04

છેલ્લા ઘણા સમયથી નદીમાંથી પ્રદૂષણ દૂર કરવાની વાતો કરવામાં આવી રહી છે. પર્યાવરણનું સંરક્ષણ કરવા વન અને પર્યાવરણ મંત્રાલયનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. નદીને પ્રદૂષણથી મુક્ત કરવા લાખો રુપિયાનો ખર્ચ પણ કરવામાં આવે છે. ગંગા અને યમુનાના પ્રદૂષણના મામલા સતત સામે આવી રહ્યા છે ત્યારે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેમાં નદીઓની શુદ્ધતાને લઈ વાત કરવામાં આવી છે. ગુજરાતની સાબરમતી નદીનો ક્રમાંક બીજો છે. 


નદીના પ્રદૂષણને લઈ સરકાર પર કોંગ્રેસ દ્વારા કરાયા પ્રહાર 

સાબરમતી નદીની શુદ્ધતાની અનેક વખત વાતો કરવામાં આવે છે. સરકાર અનેક વખત પર્યાવરણને બચાવવાની વાતને લઈ દાવા કરતી હોય છે. પરંતુ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો એક રિપોર્ટ સામે આવ્યો છે જેને કારણે નદીના શુદ્ધિકરણની વાતો પર પાણી ફેરવી દે છે.  રિપોર્ટ અનુસાર ચેન્નાઈની કૂમ નદી દેશની સૌથી પ્રદૂષિત નદી તરીકે જાહેર કરવામાં આવી છે જ્યારે ગુજરાતની સાબરમતી આ શ્રેણીમાં બીજા નંબર પર આવે છે. આ વાતને લઈ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. 


મનીષ દોશીએ આપી પ્રતિક્રિયા 

કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગુજરાતમાં તમામ નદીઓનું સૌથી વધુ પ્રદૂષણ છતાં પણ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા. શુદ્ધિકરણની વાતને લઈને 3000 કરોડ સરકાર દ્વારા વેડફી દેવામાં આવ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે ગુજરાતનું પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બની ગયું છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી રાજ્યમાં કુદરતી જળ સ્ત્રોત હોય કે અન્ય જગ્યાએ એર પોલ્યુશન હોય કે વોટર પોલ્યુશન તમામ પ્રદૂષણ નિયંત્રણ કરવાનું કામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું છે. તેનાથી ઉલટું કામ કરી રહી છે. મનીષ દોષી ઉપરાંત ઈસુદાન ગઢવીએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે.  




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.