કેન્દ્ર સરકાર દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પરત લેશે, નોટિસ જારી ફટકારી


  • Published By :
  • Published Date : 2023-08-30 15:35:08

કેન્દ્ર સરકાર દિલ્હીમાં વક્ફ બોર્ડની તમામ મિલકતો પોતાના કબજામાં લેવા જઈ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે નોટિસ જારી કરી હતી. દિલ્હીમાં વકફ બોર્ડની 123 મિલકતો પરત લેવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઈમારતોમાં ઐતિહાસિક જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદને વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. આ વર્ષે જ એપ્રીલમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 1911થી 1914 દરમિયાન તેણે દિલ્હી વકફ બોર્ડના દાવાવાળી 123 પ્રોપર્ટીઝનું અધિગ્રહણ કર્યું હતું.


સમિતિના રિપોર્ટના આધારે નિર્ણય


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નોન-અધિસૂચિત વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના રિપોર્ટના આધારે દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી. 


વકફ એક્ટ-1954 શું છે?


દેશની આઝાદી બાદ વકફની મિલકત અને તેની જાળવણી માટે વર્ષ 1954 વકફ એક્ટ-1954 બનાવવામાં આવ્યો હતો. આ 1995 માં બદલાઈ ગયું. ત્યારબાદ 2013માં પણ એક્ટમાં કેટલાક વધુ સુધારા કરવામાં આવ્યા હતા. તે કહે છે કે દરેક રાજ્ય વકફ બોર્ડ એક સર્વે કમિશનરની નિમણૂક કરશે, જે રાજ્યની તમામ વકફ મિલકતોનો હિસાબ રાખશે, તેમાં પ્રવેશ કરશે. આ કમિશનર વિવાદોનું સમાધાન પણ કરે છે.


વકફ મિલકતોના વહીવટ માટે જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર સુધી વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, લગભગ દરેક રાજ્યમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. તેઓ તે મિલકતોની જાળવણી કરે છે અને તેમાંથી પેદા થતી આવકનો ઉપયોગ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વકફ જમીનનો ભાગ છે, તેમની જાળવણી અને આવક માત્ર વકફ બોર્ડ દ્વારા જ નિયંત્રિત થાય છે. કેન્દ્ર સરકારે રાજ્યોના વક્ફ બોર્ડ સાથે સંકલન અને માર્ગદર્શન માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે.


એવું કહી શકાય કે વકફ હેઠળ દાનમાં આપવામાં આવેલી મિલકતના સંપાદન, સંચાલન, નિયમન અને ઉપયોગ માટે સરકાર દ્વારા રચાયેલ બોર્ડને વકફ બોર્ડ કહેવામાં આવે છે. હાલમાં, સમગ્ર દેશમાં 30 વકફ બોર્ડ કાર્યરત છે, જેના દ્વારા તમામ પ્રકારના વકફ કાર્યોનું સંચાલન કરવામાં આવે છે.




રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.