કેન્દ્ર સરકાર દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પરત લેશે, નોટિસ જારી ફટકારી


  • Published By :
  • Published Date : 2023-08-30 15:35:08

કેન્દ્ર સરકાર દિલ્હીમાં વક્ફ બોર્ડની તમામ મિલકતો પોતાના કબજામાં લેવા જઈ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે નોટિસ જારી કરી હતી. દિલ્હીમાં વકફ બોર્ડની 123 મિલકતો પરત લેવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઈમારતોમાં ઐતિહાસિક જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદને વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. આ વર્ષે જ એપ્રીલમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 1911થી 1914 દરમિયાન તેણે દિલ્હી વકફ બોર્ડના દાવાવાળી 123 પ્રોપર્ટીઝનું અધિગ્રહણ કર્યું હતું.


સમિતિના રિપોર્ટના આધારે નિર્ણય


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નોન-અધિસૂચિત વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના રિપોર્ટના આધારે દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી. 


વકફ એક્ટ-1954 શું છે?


દેશની આઝાદી બાદ વકફની મિલકત અને તેની જાળવણી માટે વર્ષ 1954 વકફ એક્ટ-1954 બનાવવામાં આવ્યો હતો. આ 1995 માં બદલાઈ ગયું. ત્યારબાદ 2013માં પણ એક્ટમાં કેટલાક વધુ સુધારા કરવામાં આવ્યા હતા. તે કહે છે કે દરેક રાજ્ય વકફ બોર્ડ એક સર્વે કમિશનરની નિમણૂક કરશે, જે રાજ્યની તમામ વકફ મિલકતોનો હિસાબ રાખશે, તેમાં પ્રવેશ કરશે. આ કમિશનર વિવાદોનું સમાધાન પણ કરે છે.


વકફ મિલકતોના વહીવટ માટે જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર સુધી વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, લગભગ દરેક રાજ્યમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. તેઓ તે મિલકતોની જાળવણી કરે છે અને તેમાંથી પેદા થતી આવકનો ઉપયોગ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વકફ જમીનનો ભાગ છે, તેમની જાળવણી અને આવક માત્ર વકફ બોર્ડ દ્વારા જ નિયંત્રિત થાય છે. કેન્દ્ર સરકારે રાજ્યોના વક્ફ બોર્ડ સાથે સંકલન અને માર્ગદર્શન માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે.


એવું કહી શકાય કે વકફ હેઠળ દાનમાં આપવામાં આવેલી મિલકતના સંપાદન, સંચાલન, નિયમન અને ઉપયોગ માટે સરકાર દ્વારા રચાયેલ બોર્ડને વકફ બોર્ડ કહેવામાં આવે છે. હાલમાં, સમગ્ર દેશમાં 30 વકફ બોર્ડ કાર્યરત છે, જેના દ્વારા તમામ પ્રકારના વકફ કાર્યોનું સંચાલન કરવામાં આવે છે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.