કેન્દ્ર સરકાર દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પરત લેશે, નોટિસ જારી ફટકારી


  • Published By :
  • Published Date : 2023-08-30 15:35:08

કેન્દ્ર સરકાર દિલ્હીમાં વક્ફ બોર્ડની તમામ મિલકતો પોતાના કબજામાં લેવા જઈ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે નોટિસ જારી કરી હતી. દિલ્હીમાં વકફ બોર્ડની 123 મિલકતો પરત લેવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઈમારતોમાં ઐતિહાસિક જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદને વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. આ વર્ષે જ એપ્રીલમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 1911થી 1914 દરમિયાન તેણે દિલ્હી વકફ બોર્ડના દાવાવાળી 123 પ્રોપર્ટીઝનું અધિગ્રહણ કર્યું હતું.


સમિતિના રિપોર્ટના આધારે નિર્ણય


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નોન-અધિસૂચિત વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના રિપોર્ટના આધારે દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી. 


વકફ એક્ટ-1954 શું છે?


દેશની આઝાદી બાદ વકફની મિલકત અને તેની જાળવણી માટે વર્ષ 1954 વકફ એક્ટ-1954 બનાવવામાં આવ્યો હતો. આ 1995 માં બદલાઈ ગયું. ત્યારબાદ 2013માં પણ એક્ટમાં કેટલાક વધુ સુધારા કરવામાં આવ્યા હતા. તે કહે છે કે દરેક રાજ્ય વકફ બોર્ડ એક સર્વે કમિશનરની નિમણૂક કરશે, જે રાજ્યની તમામ વકફ મિલકતોનો હિસાબ રાખશે, તેમાં પ્રવેશ કરશે. આ કમિશનર વિવાદોનું સમાધાન પણ કરે છે.


વકફ મિલકતોના વહીવટ માટે જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર સુધી વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, લગભગ દરેક રાજ્યમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. તેઓ તે મિલકતોની જાળવણી કરે છે અને તેમાંથી પેદા થતી આવકનો ઉપયોગ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વકફ જમીનનો ભાગ છે, તેમની જાળવણી અને આવક માત્ર વકફ બોર્ડ દ્વારા જ નિયંત્રિત થાય છે. કેન્દ્ર સરકારે રાજ્યોના વક્ફ બોર્ડ સાથે સંકલન અને માર્ગદર્શન માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે.


એવું કહી શકાય કે વકફ હેઠળ દાનમાં આપવામાં આવેલી મિલકતના સંપાદન, સંચાલન, નિયમન અને ઉપયોગ માટે સરકાર દ્વારા રચાયેલ બોર્ડને વકફ બોર્ડ કહેવામાં આવે છે. હાલમાં, સમગ્ર દેશમાં 30 વકફ બોર્ડ કાર્યરત છે, જેના દ્વારા તમામ પ્રકારના વકફ કાર્યોનું સંચાલન કરવામાં આવે છે.




સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના વાલેવડા ગામે પોલીસ અને ગ્રામજનો વચ્ચે ઘર્ષણ થયું છે. આ મામલે , દસાડા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ પોતે પોલીસ કર્મચારી દ્વારા નોંધાવવામાં આવી છે. બીજી બાજુ કોંગ્રેસના પૂર્વ MLA અને ગ્રામજનો દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે , સ્થાનિક PI દ્વારા રિવોલ્વર મૂકીને ધમકી આપીને માર મારવામાં આવ્યો છે.

There is a lot of discussion on the relations between India and America, whether it is Donald Trump's tariff hike or calling PM Modi a special friend, everyone's eyes are on these relations between India and America. Amidst all this, US Ambassador to India Sergio Gore reached Mumbai and this visit is considered a very important one.

ગુજરાત હવે ખેલકૂદમાં પણ "ગ્લોબલ હબ" બનીને ઉભરી રહ્યું છે. આવનારા સમયમાં 2030ના વર્ષમાં કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદમાં યોજવા જઈ રહી છે. આગામી સમયમાં 2036માં ભારતમાં ઓલિમ્પિક યોજાય તે માટે પ્રયાસો શરુ થઇ ગયા છે. ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ દ્વારા નેશનલ ઓલિમ્પિક એજ્યુકેશન એન્ડ ડેવલપમન્ટ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે. સાથે જ નેશનલ ઓલિમ્પિક એકેડેમીને ફરી સક્રિય કરવામાં આવી છે. આ નિર્ણય ૮મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ મળી હતી તેમાં લેવાયો છે અને આ પછી , 9મી જાન્યુઆરીએ ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની જે વાર્ષિક સામાન્ય સભા મળી હતી તેમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. IOAની આ બંને મિટિંગ અમદાવાદ ખાતે મળી હતી.

પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.