કેન્દ્ર સરકાર દિલ્હી વક્ફ બોર્ડની 123 મિલકતો પરત લેશે, નોટિસ જારી ફટકારી


  • Published By :
  • Published Date : 2023-08-30 15:35:08

કેન્દ્ર સરકાર દિલ્હીમાં વક્ફ બોર્ડની તમામ મિલકતો પોતાના કબજામાં લેવા જઈ રહી છે. શહેરી વિકાસ મંત્રાલયે બુધવારે આ અંગે નોટિસ જારી કરી હતી. દિલ્હીમાં વકફ બોર્ડની 123 મિલકતો પરત લેવાની નોટિસ ફટકારવામાં આવી છે. આ ઈમારતોમાં ઐતિહાસિક જામા મસ્જિદનો પણ સમાવેશ થાય છે. મનમોહન સિંહ સરકાર દરમિયાન જામા મસ્જિદને વક્ફ બોર્ડને સોંપવામાં આવી હતી. આ વર્ષે જ એપ્રીલમાં કેન્દ્ર સરકારે દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે વર્ષ 1911થી 1914 દરમિયાન તેણે દિલ્હી વકફ બોર્ડના દાવાવાળી 123 પ્રોપર્ટીઝનું અધિગ્રહણ કર્યું હતું.


સમિતિના રિપોર્ટના આધારે નિર્ણય


કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયે નોન-અધિસૂચિત વકફ મિલકતો પર બે સભ્યોની સમિતિના રિપોર્ટના આધારે દિલ્હી વકફ બોર્ડની 123 મિલકતો પર કબજો કરવાનો નિર્ણય લીધો છે. જેમાં મસ્જિદો, દરગાહ અને કબ્રસ્તાનોનો સમાવેશ થાય છે. મંત્રાલયે દિલ્હી વક્ફ બોર્ડના અધ્યક્ષ અને AAP ધારાસભ્ય અમાનુતલ્લાહ ખાનને પત્ર લખીને આ નિર્ણયની જાણકારી આપી હતી. 


વકફ એક્ટ-1954 શું છે?


દેશની આઝાદી બાદ વકફની મિલકત અને તેની જાળવણી માટે વર્ષ 1954 વકફ એક્ટ-1954 બનાવવામાં આવ્યો હતો. આ 1995 માં બદલાઈ ગયું. ત્યારબાદ 2013માં પણ એક્ટમાં કેટલાક વધુ સુધારા કરવામાં આવ્યા હતા. તે કહે છે કે દરેક રાજ્ય વકફ બોર્ડ એક સર્વે કમિશનરની નિમણૂક કરશે, જે રાજ્યની તમામ વકફ મિલકતોનો હિસાબ રાખશે, તેમાં પ્રવેશ કરશે. આ કમિશનર વિવાદોનું સમાધાન પણ કરે છે.


વકફ મિલકતોના વહીવટ માટે જિલ્લા સ્તરથી રાજ્ય સ્તર સુધી વકફ બોર્ડની રચના કરવામાં આવી છે. એટલું જ નહીં, લગભગ દરેક રાજ્યમાં શિયા અને સુન્ની વક્ફ બોર્ડ છે. તેઓ તે મિલકતોની જાળવણી કરે છે અને તેમાંથી પેદા થતી આવકનો ઉપયોગ કરે છે. દેશભરમાં બનેલા કબ્રસ્તાનો વકફ જમીનનો ભાગ છે, તેમની જાળવણી અને આવક માત્ર વકફ બોર્ડ દ્વારા જ નિયંત્રિત થાય છે. કેન્દ્ર સરકારે રાજ્યોના વક્ફ બોર્ડ સાથે સંકલન અને માર્ગદર્શન માટે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલની રચના કરી છે.


એવું કહી શકાય કે વકફ હેઠળ દાનમાં આપવામાં આવેલી મિલકતના સંપાદન, સંચાલન, નિયમન અને ઉપયોગ માટે સરકાર દ્વારા રચાયેલ બોર્ડને વકફ બોર્ડ કહેવામાં આવે છે. હાલમાં, સમગ્ર દેશમાં 30 વકફ બોર્ડ કાર્યરત છે, જેના દ્વારા તમામ પ્રકારના વકફ કાર્યોનું સંચાલન કરવામાં આવે છે.




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે