મોરબી દુર્ઘટનાઃ મચ્છુનું પાણી કાઢવા સદિઓ જૂની દિવાલ તોડવામાં આવી રહી છે, તે એટલા માટે નથી તૂટતી કારણ ત્યારે 'કટકી પ્રથા' નહોતી


  • Published By :
  • Published Date : 2022-10-31 08:47:34

મોરબીમાં તંત્રના વિવિધ એકમો એક દિવાલ તોડવા માટે મથી રહ્યા છે, ઘા પર ઘા મારવામાં આવી રહ્યા છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ જ નથી લઈ રહી. કારણ કે આ દિવાલ લોકોની સુખાકારી માટે કામ કરતા રાજાના સમયમાં બનેલી છે. જ્યારે અત્યારની જેમ કેવી રીતે કટકી કરવી તેવું નહીં, પરંતુ લોકોને વધુ સુવિધા કેવી રીતે મળી શકે તેને ધ્યાનમાં લઈને કામો કરવામાં આવતી હતી.  આ દિવાલનું નિર્માણ મોરબીના રાજા સર વાઘજીએ કરાવ્યું હતું......


આ પુલમાં કટકી નહોતી થઈ આથી સદિઓથી અડીખમ ઉભો છે

એક બાજુ મોરબીમાં થોડા દિવસો પહેલા જ સમારકામગીરી બાદ લોકો માટે ખુલ્લો મૂકાયેલો પુલ તૂટી જાય છે. અને બીજી બાજુ 1887માં રાજાઓના સમયમાં બનાવેલા પુલ પાસેની દિવાલ તૂટવાનું નામ નથી લઈ રહી. તંત્ર રાતથી મચ્છુ નદીમાંથી પાણી કાઢવા માટે દિવાલ તોડવાનું કામ કરી રહી છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ નથી લઈ રહી. અને તૂટે પણ કેમ? કારણ કે આ દિવાલ બનાવવા સમયે કામ પોતાના ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે થતું હતું. આ દિવાલ છે રાજાઓના સમયમાં બનેલી. અત્યારના ભ્રષ્ટાચારના પુલો જેમ ખુલ્લા મૂકાયા પહેલા તૂટી જાય છે કે મોરબીના ઝુલતા પુલની જ વાત કરીએ તો સમારકામના થોડાં જ દિવસોમાં તૂટી ગયો છે તેવી દિવાલ નથી. આ દિવાલ મોરબીના એ રાજાઓએ લોકો માટે બનાવી હતી. મચ્છુમાં હજુ પણ જેટલા લોકો ફસાયેલા છે જેમના મૃતદેહો નથી મળ્યા તેને શોધવા માટે મચ્છુના થોડા વિસ્તારને ખાલી કરવાનો ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી જેટલા લોકો હજુ નથી મળ્યા તેને તેમના પરિવારને સોંપી શકાય. કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ મચ્છુમાંથી પાણી કાઢવા માટે પુલ છે તે તૂટી નથી રહ્યો. રાજાઓના સમયમાં બનેલા આ પુલ પર ધમાકા કરવામાં આવ્યા, તમે ફોટોમાં જોઈ શકો છો કે જેસીબી મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. રાતની સવાર થઈ પરંતુ દિવાલ નથી તૂટી. સરકારોને આ શિખવું જોઈએ. આપણા રાજાઓ પાસેથી લોકોની સેવાના પાઠ ભણવા જોઈએ કે એક દિવાલ જે 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી તે તૂટી નથી રહી અને એક બાજુ ગુજરાતના રોડ-પૂલ વગેરે ઉદ્ઘાટનના મહિનાઓની અંદર તૂટી જાય છે. અને તૂટવા પણ જોઈએ ને કારણ કે આનાથી જ તો કોન્ટ્રાક્ટર અને નેતાઓના ખિસ્સામાં રૂપિયા આવતા હોય છે. જો રોડ-પુલ વગેરે બાંધકામો ટૂંક સમયમાં તૂટશે તો નવું ટેન્ડર બહાર પડશે. ફરીવાર રસ્તા બનાવાશે, વધારે રૂપિયા મળશે. પ્રજાના પૈસાનું જે થાય તે પણ આપણા ઘર ભરાવા જોઈએ. 


આપણે જાગવું પડશે બાકી અઘરું થઈ જશે

અત્યારે ગુજરાતની જનતાને પણ જાગવાની જરૂર છે કારણ કે જો આવું જ થતું રહેશે, તો અઘરું થઈ જશે. આપણે મોરબીના એ વ્યક્તિની વેદના નહીં સમજી શકીએ જેણે પોતાની પત્ની ગુમાવી છે, જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે, જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે તે તકલીફ તો તે જ જાણે જેણે ગઈકાલ રાત્રે કોઈને અને કોઈકને ગુમાવ્યા છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણી યાદ શક્તિ બહુ નબળી છે, જેનો નેતાઓ વગેરે ફાયદો લેય છે અને પોતાના મકાનને મહેલા બનાવી દેય છે અને દેશની જનતા ત્યાં ને ત્યાં જ રહી જાય છે. આપણે અમદાવાદની કાંકરિયાની એ જોય રાઈડની દુર્ઘટના ભૂલી ગયા છીએ, આપણે સુરતની એ તક્ષશિલા આગ કાંડની ઘટના ભૂલી જઈએ છીએ હજુ ગણાવવા બેસીશું તો આંગળીઓના વેઢા ઓછા થઈ પડશે, અઢળક ઘટનાઓ છે જે ઘટે છે લોકો મરે છે, તપાસ સમિતિ રચાય છે, તપાસ લટકે છે અને આપણે ભૂલી જઈએ એટલે તેનો ફાયદો લેવામાં આવે છે. ભ્રષ્ટાચાર વધે છે અને કોન્ટ્રાક્ટર અને નેતાઓના અને ઉદ્યોગપતિઓના ઘર ભરાય છે, હજુ પણ સમય છે જાગી જાવ ગુજરાત. લોકોના જીવનો સવાલ છે. આંકડાઓ વધશે ત્યારે જ આપણે સતર્ક થઈએ છીએ. આવી ભ્રષ્ટાચારની ઘટનાઓ એટલા માટે થઈ શકે છે કારણ કે સારા લોકો કંઈ બોલતા નથી. હવે બોલવું પડશે નહીં તો આજે કોઈના પરિવારના સ્વજનો ગયા છે કાલે ભ્રષ્ટાચારનો ભોગ આપણા પરિવારના લોકો પણ બની શકે છે. 



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.