મોરબી દુર્ઘટનાઃ મચ્છુનું પાણી કાઢવા સદિઓ જૂની દિવાલ તોડવામાં આવી રહી છે, તે એટલા માટે નથી તૂટતી કારણ ત્યારે 'કટકી પ્રથા' નહોતી


  • Published By :
  • Published Date : 2022-10-31 08:47:34

મોરબીમાં તંત્રના વિવિધ એકમો એક દિવાલ તોડવા માટે મથી રહ્યા છે, ઘા પર ઘા મારવામાં આવી રહ્યા છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ જ નથી લઈ રહી. કારણ કે આ દિવાલ લોકોની સુખાકારી માટે કામ કરતા રાજાના સમયમાં બનેલી છે. જ્યારે અત્યારની જેમ કેવી રીતે કટકી કરવી તેવું નહીં, પરંતુ લોકોને વધુ સુવિધા કેવી રીતે મળી શકે તેને ધ્યાનમાં લઈને કામો કરવામાં આવતી હતી.  આ દિવાલનું નિર્માણ મોરબીના રાજા સર વાઘજીએ કરાવ્યું હતું......


આ પુલમાં કટકી નહોતી થઈ આથી સદિઓથી અડીખમ ઉભો છે

એક બાજુ મોરબીમાં થોડા દિવસો પહેલા જ સમારકામગીરી બાદ લોકો માટે ખુલ્લો મૂકાયેલો પુલ તૂટી જાય છે. અને બીજી બાજુ 1887માં રાજાઓના સમયમાં બનાવેલા પુલ પાસેની દિવાલ તૂટવાનું નામ નથી લઈ રહી. તંત્ર રાતથી મચ્છુ નદીમાંથી પાણી કાઢવા માટે દિવાલ તોડવાનું કામ કરી રહી છે પરંતુ દિવાલ છે કે તૂટવાનું નામ નથી લઈ રહી. અને તૂટે પણ કેમ? કારણ કે આ દિવાલ બનાવવા સમયે કામ પોતાના ખિસ્સા ભરવા માટે નહીં પરંતુ લોકોની સુખાકારી માટે થતું હતું. આ દિવાલ છે રાજાઓના સમયમાં બનેલી. અત્યારના ભ્રષ્ટાચારના પુલો જેમ ખુલ્લા મૂકાયા પહેલા તૂટી જાય છે કે મોરબીના ઝુલતા પુલની જ વાત કરીએ તો સમારકામના થોડાં જ દિવસોમાં તૂટી ગયો છે તેવી દિવાલ નથી. આ દિવાલ મોરબીના એ રાજાઓએ લોકો માટે બનાવી હતી. મચ્છુમાં હજુ પણ જેટલા લોકો ફસાયેલા છે જેમના મૃતદેહો નથી મળ્યા તેને શોધવા માટે મચ્છુના થોડા વિસ્તારને ખાલી કરવાનો ગઈકાલે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેથી જેટલા લોકો હજુ નથી મળ્યા તેને તેમના પરિવારને સોંપી શકાય. કામગીરી પણ કરવામાં આવી રહી છે પરંતુ મચ્છુમાંથી પાણી કાઢવા માટે પુલ છે તે તૂટી નથી રહ્યો. રાજાઓના સમયમાં બનેલા આ પુલ પર ધમાકા કરવામાં આવ્યા, તમે ફોટોમાં જોઈ શકો છો કે જેસીબી મારફતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. રાતની સવાર થઈ પરંતુ દિવાલ નથી તૂટી. સરકારોને આ શિખવું જોઈએ. આપણા રાજાઓ પાસેથી લોકોની સેવાના પાઠ ભણવા જોઈએ કે એક દિવાલ જે 1980ના દાયકામાં બનાવવામાં આવી હતી તે તૂટી નથી રહી અને એક બાજુ ગુજરાતના રોડ-પૂલ વગેરે ઉદ્ઘાટનના મહિનાઓની અંદર તૂટી જાય છે. અને તૂટવા પણ જોઈએ ને કારણ કે આનાથી જ તો કોન્ટ્રાક્ટર અને નેતાઓના ખિસ્સામાં રૂપિયા આવતા હોય છે. જો રોડ-પુલ વગેરે બાંધકામો ટૂંક સમયમાં તૂટશે તો નવું ટેન્ડર બહાર પડશે. ફરીવાર રસ્તા બનાવાશે, વધારે રૂપિયા મળશે. પ્રજાના પૈસાનું જે થાય તે પણ આપણા ઘર ભરાવા જોઈએ. 


આપણે જાગવું પડશે બાકી અઘરું થઈ જશે

અત્યારે ગુજરાતની જનતાને પણ જાગવાની જરૂર છે કારણ કે જો આવું જ થતું રહેશે, તો અઘરું થઈ જશે. આપણે મોરબીના એ વ્યક્તિની વેદના નહીં સમજી શકીએ જેણે પોતાની પત્ની ગુમાવી છે, જેણે પોતાનો પતિ ગુમાવ્યો છે, જેણે પોતાનું બાળક ગુમાવ્યું છે તે તકલીફ તો તે જ જાણે જેણે ગઈકાલ રાત્રે કોઈને અને કોઈકને ગુમાવ્યા છે. આપણે ભૂલી જઈએ છીએ, આપણી યાદ શક્તિ બહુ નબળી છે, જેનો નેતાઓ વગેરે ફાયદો લેય છે અને પોતાના મકાનને મહેલા બનાવી દેય છે અને દેશની જનતા ત્યાં ને ત્યાં જ રહી જાય છે. આપણે અમદાવાદની કાંકરિયાની એ જોય રાઈડની દુર્ઘટના ભૂલી ગયા છીએ, આપણે સુરતની એ તક્ષશિલા આગ કાંડની ઘટના ભૂલી જઈએ છીએ હજુ ગણાવવા બેસીશું તો આંગળીઓના વેઢા ઓછા થઈ પડશે, અઢળક ઘટનાઓ છે જે ઘટે છે લોકો મરે છે, તપાસ સમિતિ રચાય છે, તપાસ લટકે છે અને આપણે ભૂલી જઈએ એટલે તેનો ફાયદો લેવામાં આવે છે. ભ્રષ્ટાચાર વધે છે અને કોન્ટ્રાક્ટર અને નેતાઓના અને ઉદ્યોગપતિઓના ઘર ભરાય છે, હજુ પણ સમય છે જાગી જાવ ગુજરાત. લોકોના જીવનો સવાલ છે. આંકડાઓ વધશે ત્યારે જ આપણે સતર્ક થઈએ છીએ. આવી ભ્રષ્ટાચારની ઘટનાઓ એટલા માટે થઈ શકે છે કારણ કે સારા લોકો કંઈ બોલતા નથી. હવે બોલવું પડશે નહીં તો આજે કોઈના પરિવારના સ્વજનો ગયા છે કાલે ભ્રષ્ટાચારનો ભોગ આપણા પરિવારના લોકો પણ બની શકે છે. 



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"