આદિવાસીનો અવાજ બનવા ચૈતર વસાવા અને અનંત પટેલ થયા એક! નેશનલ હાઈવે નં. 56 પર બની રહેલા બાયપાસ હાઈવેના વિરોધમાં ખેડૂતોની વ્હારે આવ્યા આદિવાસી નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:13:27

અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ મોટા ભાગે સાથે નથી દેખાતા.એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા દેખાતા હોય છે. પરંતુ અનેક એવા અનેક મુદ્દાઓ હોય છે જેમાં નેતાઓ એક સાથે દેખાતા હોય છે. ત્યારે નર્મદામાંથી જે ઘટના સામે આવી છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક થઈને આદિવાસી ખેડૂતોની માગ માટે લડતા દેખાયા હતા .દિલ્લી મુંબઈ ફોર લેન રોડ આદિવાસી પટ્ટાના નર્મદા જિલ્લામાંથી નીકળે તેની પહેલા જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે નેશનલ હાઈવે 56ના બાયપાસનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી લડાઈમાં બંને નેતાઓ સાથે દેખાયા હતા.

   

અનંત પટેલ અને ચૈતર વસાવા આ મુદ્દે આવ્યા સાથે! 

નર્મદા જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈવેની કામગીરીને લઈ વ્યારા જિલ્લા સેવા સદનમાં પણ આદિવાસી ખેડૂતોએ વિરોધ કરીને ધરણા કર્યા હતા. જો કે પરિસ્થિતિ વિફરે નહીં અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસનો કાફલો ખડગી દેવાયો હતો. આ ધરણામાં આદિવાસી નેતા અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા.

 હેમંત ગામિત, તાપીઃ જિલ્લામાંથી વ્યારા અને ડોલવણ તાલુકાના 28 જેટલા ગામોમાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન ઉપર વાપી-શામળાજી ને.હાઈવે 56 પર અનેક જગ્યાએ બાયપાસ હાઇવે માટે ખેડૂતોની ખેતીલાયક જમીનનું સંપાદન થવાનું છે. તેને લઈને અહીંના ગરીબ અને લાચાર આદિવાસી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

પોતાની જમીન આપવા તૈયાર નથી ખેડૂતો! 

ખેડૂતોનું કહેવું છે કે અમે વાંધો ઉઠાવ્યો હતો જેના પર સરકારે કોઈ વિચાર નથી કર્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર હાઈવે 56 પર કંઈ પણ કરી શકે છે કારણ કે તેના પર સરકારે સંપાદન કર્યું છે પણ તેના નવો બાયપાસ કાઢવા માટે જમીન આપવા કોઈ આદિવાસી લોકો તૈયાર નથી. નેશનલ હાઈવે છપ્પન સિવાયના ગામડાઓમાં કોઈ જમીન સંપાદન નહીં કરવા દઈએ તેવી આદિવાસી અગ્રણીઓએ માગ રાખી હતી. આ આંદોલનમાં આદિવાસી નેતા ચૈતર વસાવા પણ દેખાયા હતા અને અનંત પટેલ પણ દેખાયા હતા. બંને નેતાએ સાથે મળીને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો. 

 તેમજ હાઇવે માટે એક ઈંચ જમીન પણ હવે ખેડૂતો આપવા તૈયાર નથી અને જૂના હાઇવેને પહોળો કરવામાં આવે તેવી તંત્રને આદિવાસી આગેવાનોએ હાંકલ કરી છે.

જમીન માપણીની કામગીરી સ્થગિત કરાય તેવી ખેડૂતોની માગ! 

અગાઉ પણ જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પણ તેમની વાત ન સંભળાતા તેઓ સરકારી કચેરી સુધી પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો. આદિવાસી લોકો અને ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો તો કે જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી સરકાર જમીન માપણીની કામગીરી ના કરે. નર્મદાનો વિવાદ અહીં એમ છે કે દિલ્લી મુંબઈ ફોર લેન રોડ માટે કામગીરી ચાલુ છે. 

 તાપીના વ્યારા તેમજ ડોલવણ તાલુકાના નેશનલ હાઈવે 56ના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ગામના લોકોમાં ઘણા સમયથી ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્રએ જે-તે ગામના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત ગામમાં જમીન સંપાદનને લઈને ગેરકાયદેસર રીતે ઠરાવ કર્યા હોવાના આદિવાસી આગેવાનોએ આક્ષેપ કર્યા છે.

અધિકારીઓ સાથે આ મામલે કરી બેઠક!

શામળાજીથી હાલોલનો ફોર લેન રોડ તૈયાર છે પણ તેને આગળ વધારવા માટે નર્મદાના તિકવાડા, ગરુડેશ્વર અને નાંદોદના ગામડાઓમાંથી રોડ પસાર કરવો પડે... તો આ વિસ્તારના ગામડાઓમાં જમીન સંપાદન માટે ખેડૂતોના ખેતરોની માપણી શરૂ કરવાની છે. ખેડૂતો જમીન આપે તેના માટે નાંદોદમાં પ્રાંત અધિકારીએ બેઠક કરી હતી... જેમાં ખેડૂતો હાજર તો રહ્યા હતા પણ જમીન માપણી અને સંપાદનનો વિરોધ કર્યો હતો


કયા હાઈવેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ!

જે નેશનલ હાઈવે છપ્પનની વાત થઈ રહી છે તેની પણ વાત કરીએ. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ચિતૌડગઢથી ગુજરાત પહોંચતો નેશનલ હાઈવે બનાવ્યો. કુલ 310 કિલોમીટરનો આ હાઈવે રાજસ્થાન મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પહોંચે છે. તે જ હાઈવેમાં બાયપાસની કામગીરીનો આદિવાસી વિરોધ કરી રહ્યા છે.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.