આદિવાસીનો અવાજ બનવા ચૈતર વસાવા અને અનંત પટેલ થયા એક! નેશનલ હાઈવે નં. 56 પર બની રહેલા બાયપાસ હાઈવેના વિરોધમાં ખેડૂતોની વ્હારે આવ્યા આદિવાસી નેતા!


  • Published By :
  • Published Date : 2023-05-03 13:13:27

અલગ અલગ પાર્ટીના રાજનેતાઓ મોટા ભાગે સાથે નથી દેખાતા.એક બીજા પર શાબ્દિક પ્રહાર કરતા દેખાતા હોય છે. પરંતુ અનેક એવા અનેક મુદ્દાઓ હોય છે જેમાં નેતાઓ એક સાથે દેખાતા હોય છે. ત્યારે નર્મદામાંથી જે ઘટના સામે આવી છે તેમાં કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બંને એક થઈને આદિવાસી ખેડૂતોની માગ માટે લડતા દેખાયા હતા .દિલ્લી મુંબઈ ફોર લેન રોડ આદિવાસી પટ્ટાના નર્મદા જિલ્લામાંથી નીકળે તેની પહેલા જ ખેડૂતોએ વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે નેશનલ હાઈવે 56ના બાયપાસનો પણ ખેડૂતોએ વિરોધ કર્યો છે. ખેડૂતો દ્વારા કરવામાં આવતી લડાઈમાં બંને નેતાઓ સાથે દેખાયા હતા.

   

અનંત પટેલ અને ચૈતર વસાવા આ મુદ્દે આવ્યા સાથે! 

નર્મદા જિલ્લાના ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાઈવેની કામગીરીને લઈ વ્યારા જિલ્લા સેવા સદનમાં પણ આદિવાસી ખેડૂતોએ વિરોધ કરીને ધરણા કર્યા હતા. જો કે પરિસ્થિતિ વિફરે નહીં અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે પોલીસનો કાફલો ખડગી દેવાયો હતો. આ ધરણામાં આદિવાસી નેતા અનંત પટેલ અને ચૈતર વસાવા સાથે જોવા મળ્યા હતા.

 હેમંત ગામિત, તાપીઃ જિલ્લામાંથી વ્યારા અને ડોલવણ તાલુકાના 28 જેટલા ગામોમાં આદિવાસી વિસ્તારમાં ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન ઉપર વાપી-શામળાજી ને.હાઈવે 56 પર અનેક જગ્યાએ બાયપાસ હાઇવે માટે ખેડૂતોની ખેતીલાયક જમીનનું સંપાદન થવાનું છે. તેને લઈને અહીંના ગરીબ અને લાચાર આદિવાસી ખેડૂતોમાં રોષ ફેલાયો છે.

પોતાની જમીન આપવા તૈયાર નથી ખેડૂતો! 

ખેડૂતોનું કહેવું છે કે અમે વાંધો ઉઠાવ્યો હતો જેના પર સરકારે કોઈ વિચાર નથી કર્યો. ખેડૂતોનું કહેવું છે કે સરકાર હાઈવે 56 પર કંઈ પણ કરી શકે છે કારણ કે તેના પર સરકારે સંપાદન કર્યું છે પણ તેના નવો બાયપાસ કાઢવા માટે જમીન આપવા કોઈ આદિવાસી લોકો તૈયાર નથી. નેશનલ હાઈવે છપ્પન સિવાયના ગામડાઓમાં કોઈ જમીન સંપાદન નહીં કરવા દઈએ તેવી આદિવાસી અગ્રણીઓએ માગ રાખી હતી. આ આંદોલનમાં આદિવાસી નેતા ચૈતર વસાવા પણ દેખાયા હતા અને અનંત પટેલ પણ દેખાયા હતા. બંને નેતાએ સાથે મળીને ખેડૂતોનો અવાજ ઉઠાવ્યો હતો. 

 તેમજ હાઇવે માટે એક ઈંચ જમીન પણ હવે ખેડૂતો આપવા તૈયાર નથી અને જૂના હાઇવેને પહોળો કરવામાં આવે તેવી તંત્રને આદિવાસી આગેવાનોએ હાંકલ કરી છે.

જમીન માપણીની કામગીરી સ્થગિત કરાય તેવી ખેડૂતોની માગ! 

અગાઉ પણ જમીન સંપાદન મામલે ખેડૂતોએ વિરોધ કર્યો હતો. પણ તેમની વાત ન સંભળાતા તેઓ સરકારી કચેરી સુધી પહોંચી ગયા હતા અને વિરોધ કર્યો હતો. આદિવાસી લોકો અને ખેડૂતો ભેગા થઈને વિરોધ કર્યો તો કે જ્યાં સુધી કોર્ટનો કોઈ નિર્ણય ના આવે ત્યાં સુધી સરકાર જમીન માપણીની કામગીરી ના કરે. નર્મદાનો વિવાદ અહીં એમ છે કે દિલ્લી મુંબઈ ફોર લેન રોડ માટે કામગીરી ચાલુ છે. 

 તાપીના વ્યારા તેમજ ડોલવણ તાલુકાના નેશનલ હાઈવે 56ના અસરગ્રસ્ત ખેડૂતો તેમજ ગામના લોકોમાં ઘણા સમયથી ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે સ્થાનિક તંત્રએ જે-તે ગામના હોદ્દેદારો સાથે અસરગ્રસ્ત ગામમાં જમીન સંપાદનને લઈને ગેરકાયદેસર રીતે ઠરાવ કર્યા હોવાના આદિવાસી આગેવાનોએ આક્ષેપ કર્યા છે.

અધિકારીઓ સાથે આ મામલે કરી બેઠક!

શામળાજીથી હાલોલનો ફોર લેન રોડ તૈયાર છે પણ તેને આગળ વધારવા માટે નર્મદાના તિકવાડા, ગરુડેશ્વર અને નાંદોદના ગામડાઓમાંથી રોડ પસાર કરવો પડે... તો આ વિસ્તારના ગામડાઓમાં જમીન સંપાદન માટે ખેડૂતોના ખેતરોની માપણી શરૂ કરવાની છે. ખેડૂતો જમીન આપે તેના માટે નાંદોદમાં પ્રાંત અધિકારીએ બેઠક કરી હતી... જેમાં ખેડૂતો હાજર તો રહ્યા હતા પણ જમીન માપણી અને સંપાદનનો વિરોધ કર્યો હતો


કયા હાઈવેનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ!

જે નેશનલ હાઈવે છપ્પનની વાત થઈ રહી છે તેની પણ વાત કરીએ. કેન્દ્ર સરકારે રાજસ્થાનના ચિતૌડગઢથી ગુજરાત પહોંચતો નેશનલ હાઈવે બનાવ્યો. કુલ 310 કિલોમીટરનો આ હાઈવે રાજસ્થાન મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં પહોંચે છે. તે જ હાઈવેમાં બાયપાસની કામગીરીનો આદિવાસી વિરોધ કરી રહ્યા છે.  



થોડાક સમયથી , આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં છે. વિસાવદરની બેઠક પર જીત મળ્યા બાદ આમ આદમી પાર્ટીમાં ઉત્સાહનું વાતાવરણ છવાયું છે. સાથેજ પાર્ટીએ આગામી સમયમાં કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને ૨૦૨૭ની વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારીઓ શરુ કરી દીધી છે . આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ સદસ્યતા અભિયાનનો પ્રારંભ પણ કરી દીધો છે. પરંતુ આ તમામ કાર્યક્રમ વચ્ચે એક જણની ગેરહાજરી ખુબ જ સૂચક જણાતી હતી તે છે , ગારિયાધારના MLA સુધીર વાઘાણીની . કેમ તો , કાર્યક્રમ તો ઠીક , આમ આદમી પાર્ટીએ જે હોર્ડિંગ્સ તૈયાર કર્યા હતા , તેમાંથી પણ સુધીર વાઘાણીની બાદબાકી જોવા મળી હતી .

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?