SMCના PSIના મોત મુદ્દે Chaitar Vasavaએ કર્યા Harsh Sanghvi પર પ્રહાર, CM માટે શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-11-07 13:11:25

પોલીસની છબી આપણા માનસમાં મુખ્યત્વે નેગેટિવ હોય છે.. જ્યારે પોલીસ વિશે વાત કરીએ ત્યારે તેમની બુરાઈઓ મુખ્યત્વે કરતા હોઈએ છીએ પરંતુ અનેક પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે નિષ્ઠાથી પોતાનું કર્મ કરતા હોય છે... અનેક પોલીસકર્મીઓ એવા છે જે નિષ્ઠાથી કામ કરતા હોય છે તેમને બદલાવામાં મોત મળતું હોય છે.. થોડા દિવસ પહેલા એસએમસીના PSIનું મોત બુટલેગરની ગાડીથી થયું તેવું માનવામાં આવી રહ્યું છે... આ બાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આ મામલે પ્રતિક્રિયા સામે  આવી છે.. 

હર્ષ સંઘવી અને સરકાર પર કર્યા પ્રહાર

ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા છે... છોટા ઉદેપુરના કવાંટમાં સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન તેમણે હર્ષ સંઘવી તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે... તેમણે કહ્યું કે આ પીએસઆઈનું મોત નથી ગુજરાતના કાયદા વ્યવસ્થાનું મોત છે.. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કર્યો છે કે બુલડોઝર ક્યાં છે? મહત્વનું છે કે ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.