SMCના PSIના મોત મુદ્દે Chaitar Vasavaએ કર્યા Harsh Sanghvi પર પ્રહાર, CM માટે શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-11-07 13:11:25

પોલીસની છબી આપણા માનસમાં મુખ્યત્વે નેગેટિવ હોય છે.. જ્યારે પોલીસ વિશે વાત કરીએ ત્યારે તેમની બુરાઈઓ મુખ્યત્વે કરતા હોઈએ છીએ પરંતુ અનેક પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે નિષ્ઠાથી પોતાનું કર્મ કરતા હોય છે... અનેક પોલીસકર્મીઓ એવા છે જે નિષ્ઠાથી કામ કરતા હોય છે તેમને બદલાવામાં મોત મળતું હોય છે.. થોડા દિવસ પહેલા એસએમસીના PSIનું મોત બુટલેગરની ગાડીથી થયું તેવું માનવામાં આવી રહ્યું છે... આ બાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આ મામલે પ્રતિક્રિયા સામે  આવી છે.. 

હર્ષ સંઘવી અને સરકાર પર કર્યા પ્રહાર

ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા છે... છોટા ઉદેપુરના કવાંટમાં સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન તેમણે હર્ષ સંઘવી તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે... તેમણે કહ્યું કે આ પીએસઆઈનું મોત નથી ગુજરાતના કાયદા વ્યવસ્થાનું મોત છે.. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કર્યો છે કે બુલડોઝર ક્યાં છે? મહત્વનું છે કે ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."