SMCના PSIના મોત મુદ્દે Chaitar Vasavaએ કર્યા Harsh Sanghvi પર પ્રહાર, CM માટે શું કહ્યું સાંભળો?


  • Published By :
  • Published Date : 2024-11-07 13:11:25

પોલીસની છબી આપણા માનસમાં મુખ્યત્વે નેગેટિવ હોય છે.. જ્યારે પોલીસ વિશે વાત કરીએ ત્યારે તેમની બુરાઈઓ મુખ્યત્વે કરતા હોઈએ છીએ પરંતુ અનેક પોલીસકર્મીઓ એવા પણ હોય છે જે નિષ્ઠાથી પોતાનું કર્મ કરતા હોય છે... અનેક પોલીસકર્મીઓ એવા છે જે નિષ્ઠાથી કામ કરતા હોય છે તેમને બદલાવામાં મોત મળતું હોય છે.. થોડા દિવસ પહેલા એસએમસીના PSIનું મોત બુટલેગરની ગાડીથી થયું તેવું માનવામાં આવી રહ્યું છે... આ બાદ અનેક લોકોની પ્રતિક્રિયા આવી ત્યારે આ મામલે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની આ મામલે પ્રતિક્રિયા સામે  આવી છે.. 

હર્ષ સંઘવી અને સરકાર પર કર્યા પ્રહાર

ચૈતર વસાવાએ પોતાના નિવેદનમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પર પ્રહાર કર્યા છે ઉપરાંત ગુજરાત સરકારના કાયદા વ્યવસ્થા પર પણ પ્રહાર કર્યા છે... છોટા ઉદેપુરના કવાંટમાં સ્નેહમિલનના કાર્યક્રમ દરમિયાન તેમણે હર્ષ સંઘવી તેમજ સરકાર પર પ્રહાર કર્યા છે... તેમણે કહ્યું કે આ પીએસઆઈનું મોત નથી ગુજરાતના કાયદા વ્યવસ્થાનું મોત છે.. તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સવાલ કર્યો છે કે બુલડોઝર ક્યાં છે? મહત્વનું છે કે ચૈતર વસાવા અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે... ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.... 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી