Chaitar Vasavaએ Mumtaz Patelના નિવેદન પર આપી પ્રતિક્રિયા, ચૂંટણી પ્રચારને લઈ મુમતાઝ પટેલે કરી હતી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-05 14:56:18

ભરૂચ લોકસભા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાય છે... ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ચૈતર વસાવાને  ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠક ભરૂચ પરથી સમાચાર આવી રહ્યા છે કે , હવે ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના  નિવેદન પર પ્રતિક્રિયા આપી છે . અને કહ્યું હતું કે , હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ . 

પ્રચારને લઈ મુમતાઝ પટેલે આપી હતી પ્રતિક્રિયા અને કહ્યું હતું... 

ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.. ભરૂચમાં આપના ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસના નેતાઓ અનેક વખત સાથે દેખાયા હતા. ત્યારે થોડા દિવસ પહેલા મુમતાઝ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ તેમનો સંપર્ક નથી કર્યો પ્રચાર માટે..


ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા

આ બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે , થોડા દિવસ પહેલા જ મુમતાઝ બેન સાથે વાત થઈ હતી , મુમતાઝબેન દિલ્હી હતા અને તેઓ પોતે પણ ઇન્ડિયા ગઠબંધનના સ્ટારપ્રચારક છે એટલે તેમનો આખો પ્રચાર માટેનો schedule બનેલો હોય છે . અમે સાથે રહીને મેહનત કરીશું . હું ચોક્કસ મુમતાઝ પટેલને સંપર્ક કરીશ. મહત્વનું છે કે આ બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે.. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે.. મહત્વનું છે કે ચૂંટણી પ્રચારના પડઘમને શાંત થવામાં માત્ર ગણતરીના કલાકો બાકી છે..  




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે