Chaitar Vasavaએ Mumtaz Patelના નિવેદન પર આપી પ્રતિક્રિયા, ચૂંટણી પ્રચારને લઈ મુમતાઝ પટેલે કરી હતી વાત.. સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-05-05 14:56:18

ભરૂચ લોકસભા બેઠક એવી છે જેની ચર્ચા અવાર નવાર થતી હોય છે.. નિવેદનોને કારણે આ બેઠક ચર્ચાય છે... ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે અને જે અંતર્ગત ચૈતર વસાવાને  ગુજરાતની સૌથી ચર્ચિત લોકસભા બેઠક ભરૂચ પરથી સમાચાર આવી રહ્યા છે કે , હવે ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના  નિવેદન પર પ્રતિક્રિયા આપી છે . અને કહ્યું હતું કે , હું પ્રચાર માટે મુમતાઝ પટેલનો સંપર્ક કરીશ . 

પ્રચારને લઈ મુમતાઝ પટેલે આપી હતી પ્રતિક્રિયા અને કહ્યું હતું... 

ગુજરાતમાં સાતમી મેના રોજ મતદાન થવાનું છે.. ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થવાને માત્ર ગણતરીના કલાકો બાકી છે.. પ્રચાર કરવા માટે રાજકીય પાર્ટી દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી હતી. કોંગ્રેસના સ્ટાર પ્રચારકની યાદીમાં અહમદ પટેલની દીકરી મુમતાઝ પટેલનો સમાવેશ કરવામાં આવ્યો હતો.. ભરૂચમાં આપના ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી છે... ગઠબંધન અંતર્ગત આપ અને કોંગ્રેસના નેતાઓ અનેક વખત સાથે દેખાયા હતા. ત્યારે થોડા દિવસ પહેલા મુમતાઝ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે કહ્યું કે ચૈતર વસાવાએ તેમનો સંપર્ક નથી કર્યો પ્રચાર માટે..


ચૈતર વસાવાએ મુમતાઝ પટેલના નિવેદન પર આપી પ્રતિક્રિયા

આ બાદ ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે. ચૈતર વસાવાએ કહ્યું હતું કે , થોડા દિવસ પહેલા જ મુમતાઝ બેન સાથે વાત થઈ હતી , મુમતાઝબેન દિલ્હી હતા અને તેઓ પોતે પણ ઇન્ડિયા ગઠબંધનના સ્ટારપ્રચારક છે એટલે તેમનો આખો પ્રચાર માટેનો schedule બનેલો હોય છે . અમે સાથે રહીને મેહનત કરીશું . હું ચોક્કસ મુમતાઝ પટેલને સંપર્ક કરીશ. મહત્વનું છે કે આ બેઠક પર વસાવા Vs વસાવાનો જંગ જોવા મળવાનો છે.. ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે.. મહત્વનું છે કે ચૂંટણી પ્રચારના પડઘમને શાંત થવામાં માત્ર ગણતરીના કલાકો બાકી છે..  




ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.