Chaitar Vasava ધરણા પર બેઠા! વિકાસશીલ તાલુકા માટે ફાળવવામાં આવતું બજેટ નથી વપરાતું નિર્ધારિત કાર્યોમાં? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-20 18:30:11

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હમણાંથી ખૂબ ચર્ચામાં રહે છે એ પછી જનતા રેડ કરવા જાય કે પછી અધિકારીઓને ખખડાવે.. સ્કૂલે જઈ શિક્ષકોને ગુજરાતી વાંચવાનું કહે છે.. કોઈ વખત અનેક વીડિયો રિલીઝ કરી દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવી વાત કરે છે.  ફરી એક વાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.  કલેકટરની સામે તેમણે મોરચો ખોલ્યો હોય તેવું લાગે છે. કલેક્ટર ઓફિસની બહાર ચૈતર વસાવા ધરણા પર બેઠા હતા. 


ગુજરાતના 41 જેટલા તાલુકા આવે છે વિકાસશીલ તાલુકા હેઠળ!

ડેડીયાપાડાના ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચી ગયા અને કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા. કારણ શું તો વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરે છે અધિકારીઓ એ આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા. 


ચૈતર વસાવા અધિકારીઓની પોલ તો ખોલે છે પરંતુ! 

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. તો અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે. હવે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં ચાલતા કૌભાંડોનો ખુલાસો તો કરે છે પણ એ અધિકારીઓ સામે એક્શન લેવાય છે કે કેમ એ જોવાનું રહ્યું!



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.