Chaitar Vasava ધરણા પર બેઠા! વિકાસશીલ તાલુકા માટે ફાળવવામાં આવતું બજેટ નથી વપરાતું નિર્ધારિત કાર્યોમાં? સાંભળો શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-20 18:30:11

ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા જે હમણાંથી ખૂબ ચર્ચામાં રહે છે એ પછી જનતા રેડ કરવા જાય કે પછી અધિકારીઓને ખખડાવે.. સ્કૂલે જઈ શિક્ષકોને ગુજરાતી વાંચવાનું કહે છે.. કોઈ વખત અનેક વીડિયો રિલીઝ કરી દારૂબંધી કાયદાના ધજાગરા ઉડતા હોય તેવી વાત કરે છે.  ફરી એક વાર ચૈતર વસાવા ચર્ચામાં આવ્યા છે.  કલેકટરની સામે તેમણે મોરચો ખોલ્યો હોય તેવું લાગે છે. કલેક્ટર ઓફિસની બહાર ચૈતર વસાવા ધરણા પર બેઠા હતા. 


ગુજરાતના 41 જેટલા તાલુકા આવે છે વિકાસશીલ તાલુકા હેઠળ!

ડેડીયાપાડાના ધારાસભ્ય કલેકટર કચેરીએ પહોંચી ગયા અને કલેકટરની ચેમ્બર સામે ધરણા પર બેઠા. કારણ શું તો વિકાસશીલ તાલુકાના પૈસા બિન ઉપયોગી પ્રોજેક્ટમાં મંજૂર કરે છે અધિકારીઓ એ આક્ષેપ ધારાસભ્યએ કર્યો છે ચૈતર વસાવાએ મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે ગુજરાતભરમાં 41 જેટલા તાલુકાઓનો વિકાસશીલ તાલુકામાં સમાવેશ થયો છે, જેમાંથી ડેડીયાપાડા અને સાગબારા તાલુકા પણ મારા વિસ્તારમાંથી આવે છે. જેમાં ચાર કરોડ રૂપિયાનું બજેટ આવ્યું હતું, ત્યારબાદ અમારી મીટીંગો થઈ અને પ્રભારી સચિવના અધ્યક્ષ સ્થાને ડેડીયાપાડાના 100 ખેડુતો અને સાગબારાના 100 ખેડૂતો માટે સિંચાઇના બોરમોટરો મંજૂર કર્યા. 


ચૈતર વસાવા અધિકારીઓની પોલ તો ખોલે છે પરંતુ! 

પરંતુ બાદમાં જિલ્લા આયોજન અધિકારીએ એજન્સીના ઇશારેએ કામો બદલી કાઢીને 20-20 લાખના તળાવો, બાયોગેસો મંજૂર કરી દીધા છે. તો તેમણે લોકોને બિન ઉપયોગી હોય તેવા પ્રોજેક્ટને મંજૂર કરીને ગેરરીતિ આચરી છે. તો અધિકારીઓ પર આક્ષેપ લગાવ્યા છે. હવે ચૈતર વસાવા પોતાના વિસ્તારમાં ચાલતા કૌભાંડોનો ખુલાસો તો કરે છે પણ એ અધિકારીઓ સામે એક્શન લેવાય છે કે કેમ એ જોવાનું રહ્યું!



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .