Bharuch Loksabha બેઠક માટે Chaitar Vasavaએ શરૂ કર્યો પ્રચાર, કરશે ડોર ટુ ડોર કેમ્પેઈન! સાંભળો શું કહ્યું ચૈતર વસાવાએ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-14 15:02:26

ચૂંટણીને લઈ તો લોકસભા બેઠકો અંગે ચર્ચા થવાની શરૂઆત હવે થઈ. ઉમેદવારો એક બીજા પર ટીકા ટિપ્પણી કરશે, એકબીજાને લઈ નિવેદનો આપશે વગેરે વગેરે.. પરંતુ એક સીટ તો એવી છે જેની ચર્ચાઓ એમનેમ પણ અવારનવાર થતી હોય છે. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા હોય છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અહીંયા ભરૂચ લોકસભા બેઠકને લઈ ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈ ગઠબંધન થયું હતું અને ચૈતર વસાવાના નામ અંગે જાહેરાત કરવામાં આવી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજથી ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમની શરૂઆત કરી છે.

ચૈતર વસાવાએ કરી હતી સ્વાભિમાન યાત્રા!

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમો કરી ઉમેદવારો મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાએ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધો છે. આપના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા 'તમારો દીકરો, તમારા દ્વાર' કાર્યક્રમ શરૂ કરી દીધો છે આજથી. આ કાર્યક્રમ અંતર્ગત ચૈતર વસાવા ગામડામાં તેમજ શહેરોમાં ડોર ટુ ડોર જઈને લોકોને મળશે. મહત્વનું છે કે આની પહેલા પણ ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન અનેક ગામોની મુલાકાત ચૈતર વસાવાએ લીધી હતી.  



રાજ્યમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આગામી દિવસોમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ભરૂચ લોકસભા બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ઉમેદવાર બનાવાયા છે તો ભાજપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે. જમાવટની ટીમે ચૈતર વસાવા સાથે વાત કરી હતી અને તેમના વિઝનને જાણવાની કોશિશ કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. દિગ્ગજ નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના અમારા ચૂંટેલા અમને નડે છે..

વલસાડમાં ભાજપે ધવલ પટેલને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે અનંત પટેલ ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર છે. મતદાતાઓનો મિજાજ જાણવા જમાવટ ઈલેક્શન યાત્રા ધરમપુર પહોંચી હતી..