Bharuch Loksabha બેઠક માટે Chaitar Vasavaએ શરૂ કર્યો પ્રચાર, કરશે ડોર ટુ ડોર કેમ્પેઈન! સાંભળો શું કહ્યું ચૈતર વસાવાએ?


  • Published By :
  • Published Date : 2024-03-14 15:02:26

ચૂંટણીને લઈ તો લોકસભા બેઠકો અંગે ચર્ચા થવાની શરૂઆત હવે થઈ. ઉમેદવારો એક બીજા પર ટીકા ટિપ્પણી કરશે, એકબીજાને લઈ નિવેદનો આપશે વગેરે વગેરે.. પરંતુ એક સીટ તો એવી છે જેની ચર્ચાઓ એમનેમ પણ અવારનવાર થતી હોય છે. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા હોય છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અહીંયા ભરૂચ લોકસભા બેઠકને લઈ ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈ ગઠબંધન થયું હતું અને ચૈતર વસાવાના નામ અંગે જાહેરાત કરવામાં આવી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજથી ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમની શરૂઆત કરી છે.

ચૈતર વસાવાએ કરી હતી સ્વાભિમાન યાત્રા!

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમો કરી ઉમેદવારો મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાએ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધો છે. આપના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા 'તમારો દીકરો, તમારા દ્વાર' કાર્યક્રમ શરૂ કરી દીધો છે આજથી. આ કાર્યક્રમ અંતર્ગત ચૈતર વસાવા ગામડામાં તેમજ શહેરોમાં ડોર ટુ ડોર જઈને લોકોને મળશે. મહત્વનું છે કે આની પહેલા પણ ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન અનેક ગામોની મુલાકાત ચૈતર વસાવાએ લીધી હતી.  



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે