Bharuch Loksabha બેઠક માટે Chaitar Vasavaએ શરૂ કર્યો પ્રચાર, કરશે ડોર ટુ ડોર કેમ્પેઈન! સાંભળો શું કહ્યું ચૈતર વસાવાએ?


  • Published By :
  • Published Date : 2024-03-14 15:02:26

ચૂંટણીને લઈ તો લોકસભા બેઠકો અંગે ચર્ચા થવાની શરૂઆત હવે થઈ. ઉમેદવારો એક બીજા પર ટીકા ટિપ્પણી કરશે, એકબીજાને લઈ નિવેદનો આપશે વગેરે વગેરે.. પરંતુ એક સીટ તો એવી છે જેની ચર્ચાઓ એમનેમ પણ અવારનવાર થતી હોય છે. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા હોય છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અહીંયા ભરૂચ લોકસભા બેઠકને લઈ ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈ ગઠબંધન થયું હતું અને ચૈતર વસાવાના નામ અંગે જાહેરાત કરવામાં આવી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજથી ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમની શરૂઆત કરી છે.

ચૈતર વસાવાએ કરી હતી સ્વાભિમાન યાત્રા!

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમો કરી ઉમેદવારો મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાએ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધો છે. આપના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા 'તમારો દીકરો, તમારા દ્વાર' કાર્યક્રમ શરૂ કરી દીધો છે આજથી. આ કાર્યક્રમ અંતર્ગત ચૈતર વસાવા ગામડામાં તેમજ શહેરોમાં ડોર ટુ ડોર જઈને લોકોને મળશે. મહત્વનું છે કે આની પહેલા પણ ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન અનેક ગામોની મુલાકાત ચૈતર વસાવાએ લીધી હતી.  



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.