Bharuch Loksabha બેઠક માટે Chaitar Vasavaએ શરૂ કર્યો પ્રચાર, કરશે ડોર ટુ ડોર કેમ્પેઈન! સાંભળો શું કહ્યું ચૈતર વસાવાએ?


  • Published By :
  • Published Date : 2024-03-14 15:02:26

ચૂંટણીને લઈ તો લોકસભા બેઠકો અંગે ચર્ચા થવાની શરૂઆત હવે થઈ. ઉમેદવારો એક બીજા પર ટીકા ટિપ્પણી કરશે, એકબીજાને લઈ નિવેદનો આપશે વગેરે વગેરે.. પરંતુ એક સીટ તો એવી છે જેની ચર્ચાઓ એમનેમ પણ અવારનવાર થતી હોય છે. ધારાસભ્ય અને સાંસદ વચ્ચે શાબ્દિક પ્રહાર થતા હોય છે. તમને ખ્યાલ તો આવી ગયો હશે કે અહીંયા ભરૂચ લોકસભા બેઠકને લઈ ચર્ચા થઈ રહી છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ભરૂચ બેઠકને લઈ ગઠબંધન થયું હતું અને ચૈતર વસાવાના નામ અંગે જાહેરાત કરવામાં આવી. ઉમેદવાર તરીકે નામ જાહેર થયા બાદ ચૈતર વસાવાએ પ્રચાર શરૂ કરી દીધો છે. આજથી ચૈતર વસાવાએ 'તમારો દીકરો તમારા દ્વાર' કાર્યક્રમની શરૂઆત કરી છે.

ચૈતર વસાવાએ કરી હતી સ્વાભિમાન યાત્રા!

લોકસભા ચૂંટણીની તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. ચૂંટણીને લઈ ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. અલગ અલગ કાર્યક્રમો કરી ઉમેદવારો મતદાતાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરતા હોય છે. ત્યારે ભરૂચ લોકસભા બેઠક માટે ચૈતર વસાવાએ જનસંપર્ક અભિયાન શરૂ કરી દીધો છે. આપના ભરૂચ લોકસભા ઉમેદવાર ચૈતર વસાવા 'તમારો દીકરો, તમારા દ્વાર' કાર્યક્રમ શરૂ કરી દીધો છે આજથી. આ કાર્યક્રમ અંતર્ગત ચૈતર વસાવા ગામડામાં તેમજ શહેરોમાં ડોર ટુ ડોર જઈને લોકોને મળશે. મહત્વનું છે કે આની પહેલા પણ ચૈતર વસાવા દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દરમિયાન અનેક ગામોની મુલાકાત ચૈતર વસાવાએ લીધી હતી.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.