Chaitar Vasavaએ લીધી ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની મુલાકાત, સોશિયલ મીડિયા પર લખ્યું - પહેલા કાયમી શિક્ષકો ની ભરતી કરો.


  • Published By :
  • Published Date : 2024-06-27 11:39:28

બાળકોને ભણવામાં રૂચિ વધે, ભણવા માટે બાળકો શાળામાં જાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. અનેક યોજનાઓ સરકાર લાવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરમાં પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ.. ગઈકાલે અલગ અલગ શાળાઓમાં સરકારના મંત્રીઓ ગયા હતા અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ શાળાઓની મુલાકાત લીધી ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેમના મત વિસ્તારમાં આવેલી 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. 

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ..!

ગુજરાતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ.. શાળાઓમાં શિક્ષકોની કમી છે જેને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ તો આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ  શિક્ષકના આધારે શાળાઓ ચાલતી હોય.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે..કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવે છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. 

ચૈતર વસાવાએ લીધી સરકારી શાળાની મુલાકાત 

પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ આવે છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે પાંચ સરકારી શાળાની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જેમાં તેમણે લખ્યું કે મારા મતવિસ્તારની ડેડીપાયાડા તાલુકાની 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી. આ પાંચેય શાળામાં માત્ર એક જ કાયમી શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. બાળકો ભયના ઓથારે અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત તેમણે શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. ઉપરાંત લખ્યું છે કે ગુજરાત માંગે કાયમી શિક્ષક..

અનેક શાળાઓ એવી છે જ્યાં સુવિધાઓ છે પરંતુ..

મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ નથી પહોંચતો સરકાર સુધી તેવું લાગી રહ્યું છે.. ઉલ્લેખનિય છે કે અનેક સરકારી શાળાઓ એવી પણ છે જ્યાં સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હશે. સુવિધાઓ હશે, શિક્ષકો પણ હશે.. પરંતુ બીજી તરફ આવી અનેક સરકારી શાળાઓ એવી પણ છે જે જર્જરિત છે.. દેશના ભાવિનું ભવિષ્ય સુધરે તેવી અપેક્ષા..  



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?