Chaitar Vasavaએ લીધી ડેડીયાપાડા વિસ્તારમાં આવેલી સરકારી શાળાઓની મુલાકાત, સોશિયલ મીડિયા પર લખ્યું - પહેલા કાયમી શિક્ષકો ની ભરતી કરો.


  • Published By :
  • Published Date : 2024-06-27 11:39:28

બાળકોને ભણવામાં રૂચિ વધે, ભણવા માટે બાળકો શાળામાં જાય તે માટે સરકાર પ્રયાસો કરી રહી છે. અનેક યોજનાઓ સરકાર લાવી છે. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. રાજ્યભરમાં પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ.. ગઈકાલે અલગ અલગ શાળાઓમાં સરકારના મંત્રીઓ ગયા હતા અને વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું હતું.. મુખ્યમંત્રી સહિતના મંત્રીઓએ શાળાઓની મુલાકાત લીધી ત્યારે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ તેમના મત વિસ્તારમાં આવેલી 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી હતી. 

ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ..!

ગુજરાતમાં શિક્ષણની શું પરિસ્થિતિ છે તે આપણે જાણીએ છીએ.. શાળાઓમાં શિક્ષકોની કમી છે જેને કારણે શાળાઓમાં વિદ્યાર્થીઓ તો આવે છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી હોતા. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરવામાં આવે છે. ટેટ ટાટ પાસ ઉમેદવારો છેલ્લા ઘણા સમયથી કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. અનેક શાળાઓ એવી છે જ્યાં એક જ  શિક્ષકના આધારે શાળાઓ ચાલતી હોય.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે..કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટી દ્વારા માગ કરવામાં આવે છે કે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. 

ચૈતર વસાવાએ લીધી સરકારી શાળાની મુલાકાત 

પ્રવેશોત્સવની શરૂઆત થઈ ગઈ છે.. શાળાઓમાં વિદ્યાર્થીઓ પણ આવે છે. આ બધા વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શાળા પ્રવેશોત્સવના પહેલા દિવસે પાંચ સરકારી શાળાની મુલાકાત લીધી હતી. સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી જેમાં તેમણે લખ્યું કે મારા મતવિસ્તારની ડેડીપાયાડા તાલુકાની 5 સરકારી શાળાઓની મુલાકાત લીધી. આ પાંચેય શાળામાં માત્ર એક જ કાયમી શિક્ષક છે. ઓરડાઓ જર્જરીત હાલતમાં છે. બાળકો ભયના ઓથારે અભ્યાસ કરી રહ્યા છે. તે ઉપરાંત તેમણે શિક્ષણ મુદ્દે સરકાર પર પ્રહારો કર્યા છે. ઉપરાંત લખ્યું છે કે ગુજરાત માંગે કાયમી શિક્ષક..

અનેક શાળાઓ એવી છે જ્યાં સુવિધાઓ છે પરંતુ..

મહત્વનું છે કે ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત મુખ્યમંત્રીને, શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ નથી પહોંચતો સરકાર સુધી તેવું લાગી રહ્યું છે.. ઉલ્લેખનિય છે કે અનેક સરકારી શાળાઓ એવી પણ છે જ્યાં સારી રીતે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હશે. સુવિધાઓ હશે, શિક્ષકો પણ હશે.. પરંતુ બીજી તરફ આવી અનેક સરકારી શાળાઓ એવી પણ છે જે જર્જરિત છે.. દેશના ભાવિનું ભવિષ્ય સુધરે તેવી અપેક્ષા..  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.