આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે પ્રારંભ, આ વર્ષે સર્જાઈ રહ્યો છે અદ્ભૂત સંયોગ


  • Published By :
  • Published Date : 2023-03-21 16:28:30

નવરાત્રી એટલે માં આદ્યશક્તિની આરાધના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ વર્ષે જે દિવસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં અદ્ભૂત સંયોગ બનવા જઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભની સાથે જ રવિયોગ, રાજયોગ, અમૃતસિદ્ધિયોગનો સંયોગ બની રહ્યો છે. આ વખતે એક પણ તિથીનો ક્ષય નથી થઈ રહ્યો. માટે નવરાત્રીનું સમાપન 30 માર્ચે થવાનું છે. 


હિંદુ નવા વર્ષનો ચૈત્ર મહિનાથી થાય છે પ્રારંભ  

હિંદુ ધર્મમાં તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. જેમ શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત હોય છે તેવી જ રીતે નવરાત્રીનો પર્વ આદ્યશક્તિ માં અંબાને સમર્પિત હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે. બે નવરાત્રીને ગુપ્ત માનવામાં આવે છે જ્યારે બે નવરાત્રી એકદમ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આસો અને ચૈત્ર નવરાત્રી ભારે ધામધૂમથી ઉજવાય છે જ્યારે પોષ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના કરવાથી માતાજી રાજી થાય છે. આ દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે. ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી હિંદુઓનું નવું વર્ષ શરૂ થાય છે.  

 

આ વખતની નવરાત્રીમાં સર્જાઈ રહ્યો છે અદ્ભૂત સંયોગ 

આ વખતની ચૈત્રી નવરાત્રીમાં અનેક શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 110 વર્ષ બાદ આવા શુભ સંયોગો બની રહ્યા છે! ત્યારે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ગુરૂ તેમજ શનિ તેમની સ્વરાશિમાં રહેશે. શનિ કુંભમાં રહેશે જ્યારે ગુરૂ મીનમાં ગોચર કરશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતાં હોય તે નવરાત્રીને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ત્યારે આ વખતે કોઈ પણ તીથિ વધતી કે ઘટતી નથી. આ વખતે નવરાત્રીના નવ દિવસો પૂર્ણ થઈ રહ્યા છે.    


કેવી રીતે કરવી જોઈએ પૂજા  

નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવા અનેક લોકો ઘરમાં ઘટસ્થાપન કરતા હોય છે. ઈશાન ખૂણામાં એક બાજોટ રાખવો જોઈએ. તેની પર લાલ રંગના વસ્ત્ર પર માતાજીનો ફોટો અથવા તો પ્રતિમા પધરાવી જોઈએ. બાજોટ પર ચોખાથી અષ્ટદળનું નિર્માણ કરવું જોઈએ. કળશને પણ બાજોટ પર પધરાવી દો. કળશ પર સ્વસ્તિક બનાવી કળશની ફરતે ચાંદલા કરવા જોઈએ. તે બાદ નાડાછડી અર્પણ કરવામાં આવશે. કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત અર્પણ કરવા જોઈએ અને તેના પર આસોપાલવના પાંચ પાન મૂકવા. આસોપાલવના પાન પર શ્રીફળ પધરાવવું જોઈએ. કળશ પર શ્રીફળ રાખીને માતાજીનું આહ્વાહન કરવું જોઈએ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આ કળશની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવીની ઉપાસના કરવાથી સાધકોના સઘળા મનોરથ સિદ્ધ થાય છે.       

     

નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે નવદુર્ગાની પૂજા  

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માતા શૈલપૂત્રીની આરાધના કરવામાં આવે છે. બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની ઉપાસના કરવામાં આવે છે. ચંદ્રઘંટાની આરાધના નવરાત્રીના ત્રીજા દિવસે કરાય છે જ્યારે કુષ્માંડા માતાની ચોથા દિવસે આરાધના કરવામાં આવે છે. સ્કંદમાતાની આરાધના નવરાત્રીના પાંચમા દિવસે કરાય છે. કાત્યાયની માતાની આરાધના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં નોરતે કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે જ્યારે આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે. જો નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવાનું શક્ય ન હોય તો નવાર્ણ મંત્રના જાપને પણ ફળદાયી માનવામાં આવે છે.    




સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી પર્વતમાળાને લઇને સુનાવણી હાથ ધરાઈ છે . જેમાં , સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળાની પરિભાષાને લઇને આજે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આજે સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચ જેમાં , CJI સૂર્યકાન્ત , જસ્ટિસ જે કે મહેશ્વરી અને જસ્ટિસ એજી મસીહ છે તેમના દ્વારા સુનાવણી હાથ ધરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે , સુઓમોટો સંજ્ઞાન લીધું હતું.

લોકસાહિત્યકાર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણ વચ્ચે સમાધાન થઇ ગયું છે. બંનેએ એકબીજાને મીઠાઈ ખવડાવી વિવાદનો અંત લાવવામાં આવ્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ પર ૧૨મી ઓગસ્ટના રોજ હુમલો થયો હતો. ડાયરાના કાર્યક્રમમાં દેવાયત ખવડ હાજર ન રહેતા બંને વચ્ચે તકરાર થઈ હતી. હવે સોશ્યિલ મીડિયા પર દેવાયત ખવડ અને ધ્રુવરાજસિંહ ચૌહાણની આ તસ્વીર ખુબ જ વાઇરલ થઇ રહી છે.

Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.