આવતી કાલથી ચૈત્રી નવરાત્રીનો થઈ રહ્યો છે પ્રારંભ, આ વર્ષે સર્જાઈ રહ્યો છે અદ્ભૂત સંયોગ


  • Published By :
  • Published Date : 2023-03-21 16:28:30

નવરાત્રી એટલે માં આદ્યશક્તિની આરાધના કરવાનો પર્વ. નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવામાં આવે છે. 22 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થવાનો છે. આ વર્ષે જે દિવસથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેમાં અદ્ભૂત સંયોગ બનવા જઈ રહ્યા છે. ચૈત્રી નવરાત્રીના પ્રારંભની સાથે જ રવિયોગ, રાજયોગ, અમૃતસિદ્ધિયોગનો સંયોગ બની રહ્યો છે. આ વખતે એક પણ તિથીનો ક્ષય નથી થઈ રહ્યો. માટે નવરાત્રીનું સમાપન 30 માર્ચે થવાનું છે. 


હિંદુ નવા વર્ષનો ચૈત્ર મહિનાથી થાય છે પ્રારંભ  

હિંદુ ધર્મમાં તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવતી હોય છે. જેમ શ્રાવણ મહિનો ભગવાન શંકરને સમર્પિત હોય છે તેવી જ રીતે નવરાત્રીનો પર્વ આદ્યશક્તિ માં અંબાને સમર્પિત હોય છે. સમગ્ર વર્ષ દરમિયાન ચાર નવરાત્રી આવતી હોય છે. બે નવરાત્રીને ગુપ્ત માનવામાં આવે છે જ્યારે બે નવરાત્રી એકદમ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આસો અને ચૈત્ર નવરાત્રી ભારે ધામધૂમથી ઉજવાય છે જ્યારે પોષ અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રીને ગુપ્ત નવરાત્રી માનવામાં આવે છે. નવરાત્રી દરમિયાન માતાજીની ઉપાસના કરવાથી માતાજી રાજી થાય છે. આ દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવાથી માતાજીની વિશેષ કૃપા મળે છે. ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી હિંદુઓનું નવું વર્ષ શરૂ થાય છે.  

 

આ વખતની નવરાત્રીમાં સર્જાઈ રહ્યો છે અદ્ભૂત સંયોગ 

આ વખતની ચૈત્રી નવરાત્રીમાં અનેક શુભ સંયોગો સર્જાઈ રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે 110 વર્ષ બાદ આવા શુભ સંયોગો બની રહ્યા છે! ત્યારે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર ગુરૂ તેમજ શનિ તેમની સ્વરાશિમાં રહેશે. શનિ કુંભમાં રહેશે જ્યારે ગુરૂ મીનમાં ગોચર કરશે. એવું માનવામાં આવે છે કે નવરાત્રીના નવ દિવસ પૂર્ણ થતાં હોય તે નવરાત્રીને અત્યંત ફળદાયી માનવામાં આવે છે. ત્યારે આ વખતે કોઈ પણ તીથિ વધતી કે ઘટતી નથી. આ વખતે નવરાત્રીના નવ દિવસો પૂર્ણ થઈ રહ્યા છે.    


કેવી રીતે કરવી જોઈએ પૂજા  

નવરાત્રી દરમિયાન માતાજીની પૂજા કરવા અનેક લોકો ઘરમાં ઘટસ્થાપન કરતા હોય છે. ઈશાન ખૂણામાં એક બાજોટ રાખવો જોઈએ. તેની પર લાલ રંગના વસ્ત્ર પર માતાજીનો ફોટો અથવા તો પ્રતિમા પધરાવી જોઈએ. બાજોટ પર ચોખાથી અષ્ટદળનું નિર્માણ કરવું જોઈએ. કળશને પણ બાજોટ પર પધરાવી દો. કળશ પર સ્વસ્તિક બનાવી કળશની ફરતે ચાંદલા કરવા જોઈએ. તે બાદ નાડાછડી અર્પણ કરવામાં આવશે. કળશમાં આખી સોપારી, સિક્કા અને અક્ષત અર્પણ કરવા જોઈએ અને તેના પર આસોપાલવના પાંચ પાન મૂકવા. આસોપાલવના પાન પર શ્રીફળ પધરાવવું જોઈએ. કળશ પર શ્રીફળ રાખીને માતાજીનું આહ્વાહન કરવું જોઈએ. નવરાત્રીના નવ દિવસ દરમિયાન આ કળશની પૂજા કરવી જોઈએ. એવું માનવામાં આવે છે કે દેવીની ઉપાસના કરવાથી સાધકોના સઘળા મનોરથ સિદ્ધ થાય છે.       

     

નવરાત્રી દરમિયાન કરવામાં આવે છે નવદુર્ગાની પૂજા  

નવરાત્રીના નવ દિવસો દરમિયાન નવ દુર્ગાની ઉપાસના કરવામાં આવે છે. પ્રથમ દિવસે માતા શૈલપૂત્રીની આરાધના કરવામાં આવે છે. બીજા દિવસે માતા બ્રહ્મચારીણીની ઉપાસના કરવામાં આવે છે. ચંદ્રઘંટાની આરાધના નવરાત્રીના ત્રીજા દિવસે કરાય છે જ્યારે કુષ્માંડા માતાની ચોથા દિવસે આરાધના કરવામાં આવે છે. સ્કંદમાતાની આરાધના નવરાત્રીના પાંચમા દિવસે કરાય છે. કાત્યાયની માતાની આરાધના નવરાત્રીના છઠ્ઠા દિવસે કરવામાં આવે છે. નવરાત્રીના સાતમાં નોરતે કાલરાત્રિની આરાધના કરવામાં આવે છે જ્યારે આઠમા દિવસે મહાગૌરીની ઉપાસના કરવામાં આવે છે. નવમા દિવસે સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના કરવામાં આવે છે. જો નવરાત્રી દરમિયાન માતાજીની વિશેષ પૂજા કરવાનું શક્ય ન હોય તો નવાર્ણ મંત્રના જાપને પણ ફળદાયી માનવામાં આવે છે.    




પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.