Jharkhandના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન લેશે શપથ, સરકાર રચવા રાજ્યપાલે આપ્યું આમંત્રણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 09:17:07

31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. કથિત જમીન કૌભાંડને લઈ ઈડીએ અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઝારખંડના મુખ્યમંત્રી પદ ઉપરથી હેમંત સોરેને રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનની પસંદગી કરવામાં આવી, વિધાયક દળે ચંપઈ સોરેને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. વિધાયક દળે તો નેતાને પસંદ કરી લીધા પરંતુ સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ માટે તેમને રાજ્યપાલે આમંત્રણ આપ્યું છે.

સરકાર રચવા રાજ્યપાલે ચંપઈ સોરેનને આપ્યું આમંત્રણ!

હેમંત સોરેનની ધરપકડ થોડા સમય પહેલા થઈ ગઈ હતી. ઝારખંડમાં હમણાં કોઈ સરકાર નથી જે વહીવટ કરી શકે. ચંપઈ સોરેનની પસંદગી વિધાયક દળ દ્વારા કરવામાં આવી હતી. ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી માહિતી સામે આવી હતી પરંતુ રાજ્યપાલ દ્વારા તેમને સમય આપવામાં ન આવતો હતો. રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. 2 ફ્રેબુ્આરી એટલે કે આજે તે મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ શકે છે. શપથ લેવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ચંપઈ સોરેને આની પહેલા 43 ધારાસભ્યના સમર્થન વાળી ચિઠ્ઠી લઈને રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા.  


સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ધરપકડનો મામલો!

1 ફેબ્રુઆરીએ રાંચીની વિશેષ અદાલતે હેમંત સોરેનને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યો હતો. તે જ સમયે, વિધાયક પક્ષે ચંપાઈ સોરેનને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા. એવી માહિતી સામે છે કે હેમંત સોરેનનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે. મળતી માહિતી અનુસાર ઝારખંડમાં પીએમએલએ કોર્ટ આજે હેમંત સોરેનના રિમાન્ડ પર ફેંસલો સંભળાવશે. 

 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે