Jharkhandના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેન લેશે શપથ, સરકાર રચવા રાજ્યપાલે આપ્યું આમંત્રણ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-02 09:17:07

31 જાન્યુઆરીએ હેમંત સોરેનની ધરપકડ ઈડી દ્વારા કરવામાં આવી. કથિત જમીન કૌભાંડને લઈ ઈડીએ અનેક કલાકો સુધી તેમની પૂછપરછ કરી અને તે બાદ તેમની ધરપકડ કરવામાં આવી. ઝારખંડના મુખ્યમંત્રી પદ ઉપરથી હેમંત સોરેને રાજીનામું આપી દીધું હતું. એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે ચંપઈ સોરેનની પસંદગી કરવામાં આવી, વિધાયક દળે ચંપઈ સોરેને પોતાના નેતા તરીકે પસંદ કરી લીધા હતા. વિધાયક દળે તો નેતાને પસંદ કરી લીધા પરંતુ સરકાર રચવા માટે રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. ત્યારે એવા સમાચાર સામે આવ્યા છે કે આજે ચંપઈ સોરેન મુખ્યમંત્રી તરીકેના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ માટે તેમને રાજ્યપાલે આમંત્રણ આપ્યું છે.

સરકાર રચવા રાજ્યપાલે ચંપઈ સોરેનને આપ્યું આમંત્રણ!

હેમંત સોરેનની ધરપકડ થોડા સમય પહેલા થઈ ગઈ હતી. ઝારખંડમાં હમણાં કોઈ સરકાર નથી જે વહીવટ કરી શકે. ચંપઈ સોરેનની પસંદગી વિધાયક દળ દ્વારા કરવામાં આવી હતી. ચંપઈ સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તેવી માહિતી સામે આવી હતી પરંતુ રાજ્યપાલ દ્વારા તેમને સમય આપવામાં ન આવતો હતો. રાજ્યપાલ દ્વારા ચંપઈ સોરેનને સરકાર રચવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. 2 ફ્રેબુ્આરી એટલે કે આજે તે મુખ્યમંત્રી તરીકેના શપથ લઈ શકે છે. શપથ લેવા માટે રાજ્યપાલ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે. ચંપઈ સોરેને આની પહેલા 43 ધારાસભ્યના સમર્થન વાળી ચિઠ્ઠી લઈને રાજ્યપાલ પાસે પહોંચ્યા હતા.  


સુપ્રીમ કોર્ટ પહોંચ્યો ધરપકડનો મામલો!

1 ફેબ્રુઆરીએ રાંચીની વિશેષ અદાલતે હેમંત સોરેનને એક દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય આપ્યો હતો. તે જ સમયે, વિધાયક પક્ષે ચંપાઈ સોરેનને તેના નેતા તરીકે ચૂંટ્યા હતા. એવી માહિતી સામે છે કે હેમંત સોરેનનો કેસ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. સિનિયર એડવોકેટ કપિલ સિબ્બલ હેમંત સોરેનની ધરપકડનો મામલો સુપ્રીમ કોર્ટમાં લઈ ગયા છે. મળતી માહિતી અનુસાર ઝારખંડમાં પીએમએલએ કોર્ટ આજે હેમંત સોરેનના રિમાન્ડ પર ફેંસલો સંભળાવશે. 

 



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.