ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીત્યો, પક્ષમાં 47 અને વિરોધમાં 29 મત પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-05 15:20:06

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આજે સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ ચંપાઈ સોરેને ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 82 સભ્યોની વિધાનસભામાં ગાંડેયા વિધાનસભા બેઠક JMMના ધારાસભ્ય સરફરાઝ અહેમદના રાજીનામાને કારણે ખાલી છે. જ્યારે JMMના રામદાસ સોરેન અને ભાજપના ઈન્દ્રજીત મહતો વિધાનસભામાં પહોંચ્યા ન હતા. ઘાટસિલાના JMM ધારાસભ્ય રામદાસ સોરેન કિડનીની સમસ્યાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. ભાજપના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોની લાંબા સમયથી હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 47 વોટ મળ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 29 વોટ મળ્યા.


કોઈ ખાતાવહી નથી, કાવતરૂ રચી હેમંતને ફસાવ્યા


વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરતી વખતે સીએમ ચંપાઈ સોરેને કહ્યું કે હેમંત સોરેનને ફસાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે EDએ હેમંત સોરેનની એક એવા કેસમાં ધરપકડ કરી છે જેમાં એકાઉન્ટ બુક નથી. જ્યારે EDએ ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.


મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે-હેમંત સોરેન


મુખ્યમંત્રી ચંપાઈ સોરેન બાદ પૂર્વ સીએમ હેમંત સોરેને ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 31 જાન્યુઆરીની રાતને કાળી રાત ગણાવતા તેમણે કહ્યું કે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં આ એક કાળો અધ્યાય બની ગયો છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે દેશમાં પહેલીવાર કોઈ સીએમ કે પૂર્વ સીએમ અથવા કોઈ વ્યક્તિની રાજભવનમાં ધરપકડ કરવામાં આવી હતી.હેમંત સોરેને આરોપ લગાવ્યો કે તેમની ધરપકડમાં રાજભવન પણ સામેલ હતું.


આરોપ સાબિત થશે તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ


હેમંત સોરેને EDના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે જો તેમના નામની 8.5 એકર જમીનના દસ્તાવેજો આગળ મૂકવામાં આવશે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. એટલું જ નહીં તેઓ ઝારખંડ છોડી દેશે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.