ઝારખંડ વિધાનસભામાં ચંપાઈ સોરેને વિશ્વાસ મત જીત્યો, પક્ષમાં 47 અને વિરોધમાં 29 મત પડ્યા


  • Published By :
  • Published Date : 2024-02-05 15:20:06

ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેને આજે સોમવારે વિધાનસભામાં બહુમતી મેળવી છે. વિધાનસભાના વિશેષ સત્રમાં સીએમ ચંપાઈ સોરેને ગૃહમાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. 82 સભ્યોની વિધાનસભામાં ગાંડેયા વિધાનસભા બેઠક JMMના ધારાસભ્ય સરફરાઝ અહેમદના રાજીનામાને કારણે ખાલી છે. જ્યારે JMMના રામદાસ સોરેન અને ભાજપના ઈન્દ્રજીત મહતો વિધાનસભામાં પહોંચ્યા ન હતા. ઘાટસિલાના JMM ધારાસભ્ય રામદાસ સોરેન કિડનીની સમસ્યાને કારણે દિલ્હીની હોસ્પિટલમાં દાખલ છે. ભાજપના ધારાસભ્ય ઈન્દ્રજીત મહતોની લાંબા સમયથી હૈદરાબાદની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિશ્વાસ મત પ્રસ્તાવની તરફેણમાં 47 વોટ મળ્યા, જ્યારે તેની વિરુદ્ધમાં 29 વોટ મળ્યા.


કોઈ ખાતાવહી નથી, કાવતરૂ રચી હેમંતને ફસાવ્યા


વિધાનસભામાં વિશ્વાસ મત રજૂ કરતી વખતે સીએમ ચંપાઈ સોરેને કહ્યું કે હેમંત સોરેનને ફસાવવા માટે કેન્દ્રીય તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે EDએ હેમંત સોરેનની એક એવા કેસમાં ધરપકડ કરી છે જેમાં એકાઉન્ટ બુક નથી. જ્યારે EDએ ભાજપના ધારાસભ્ય ભાનુ પ્રતાપ શાહીની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે, પરંતુ તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી.


મારી ધરપકડમાં રાજભવન પણ સામેલ છે-હેમંત સોરેન


મુખ્યમંત્રી ચંપાઈ સોરેન બાદ પૂર્વ સીએમ હેમંત સોરેને ગૃહમાં પોતાના વિચારો રજૂ કરતા ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. 31 જાન્યુઆરીની રાતને કાળી રાત ગણાવતા તેમણે કહ્યું કે દેશના લોકતાંત્રિક ઈતિહાસમાં આ એક કાળો અધ્યાય બની ગયો છે. તેમણે કહ્યું કે 31 જાન્યુઆરીની રાત્રે દેશમાં પહેલીવાર કોઈ સીએમ કે પૂર્વ સીએમ અથવા કોઈ વ્યક્તિની રાજભવનમાં ધરપકડ કરવામાં આવી હતી.હેમંત સોરેને આરોપ લગાવ્યો કે તેમની ધરપકડમાં રાજભવન પણ સામેલ હતું.


આરોપ સાબિત થશે તો રાજકારણમાંથી નિવૃત્તિ લઈશ


હેમંત સોરેને EDના તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે જો તેમના નામની 8.5 એકર જમીનના દસ્તાવેજો આગળ મૂકવામાં આવશે તો તેઓ રાજકારણમાંથી સંન્યાસ લઈ લેશે. એટલું જ નહીં તેઓ ઝારખંડ છોડી દેશે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .