ચંદીગઢ મેયર ચૂંટણી: રિટર્નિગ ઓફિસર અનિલ મસિહે કબુલ્યું, 'હા બેલેટ પેપર પર કર્યું હતું ક્રોસનું નિશાન'


  • Published By :
  • Published Date : 2024-02-19 17:25:53

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દાખલ કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પાર્ટીઓએ મેયરની ચૂંટણીમાં ગેરરિતીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો. ચૂંટણી અધિકારીનો આ વીડિયો પણ પુરાવા તરીકે સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ ચૂંટણી અધિકારી પર ભડક્યા હતા અને ચૂંટણી અધિકારીને ફટકાર લગાવી હતી. આજે આ ચૂંટણી અધિકારીએ કોર્ટમાં કબૂલ્યું છે કે તેમણે બેલેટ પેપર પર ક્રોસનું માર્ક કર્યું હતું. 


શું કહ્યું અનિલ મસીહે?


સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિગ ઓફિસર અનિલ મસિહને બેંચે પૂછ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું કે નહીં. આ બાબતને રિટર્નિગ ઓફિસરે સ્વિકારી લીધી હતી, તેમણે કહ્યું હતું કે હા,  તેમણે આવું કર્યું હતું, કેમ કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારે આવીને બેલેટે પેપર લઈ જઈને ફાડી નાખ્યું અને પછી ભાગી ગયા હતા. ત્યાર બાદ બેન્ચે પૂછ્યું કે પણ તમે ઓફ ક્રોસ કેમ કર્યું હતું?  તો તેનો જવાબ આપતા મસિહે કહ્યું કે તે પેપર પર નિશાન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 


કાલે બેલેટ પેપર સુપ્રીમમાં રજુ કરાશે


સુપ્રીમ કોર્ટમાં રજુ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ સ્વિકાર્યું હતું કે  તેમણે માર્ક લગાવ્યું છે, આ સ્થિતીમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમે ડેપ્યુટી કમિશનરને કહીંશું કે નવા રિટર્નિગ ઓફિસરની નિમણૂંક કરે. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રારને પણ કહીંશું કે તે ચૂંટણીનું મોનિટરિંગ કરે. તે ઉપરાંત રજીસ્ટ્રાર જનરલને પણ ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ રજુ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જે બેલેટ પેપર રજીસ્ટાર જનરલ પાસે છે તે એક જ્યુડિશિયલ ઓફિસરને સવારે 10.30 વાગ્યે અમારી સમક્ષ લાવવામાં આવે.  


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢના મેયર માટેની ચૂંટણી 30 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. તે સમયે બિજેપીના 14 કાઉન્સિલર હતા, જો કે આપ અને કોંગ્રેસ ગઠબંધનના  સયુક્ત કાઉન્સિલરની વાત કરીએ તો સંખ્યા બળમાં આપનો મેયર બનવાનો હતો. કારણ કે આપના 13 અને કોંગ્રેસના 7 કાઉન્સિલર હતા. આ ચૂંટણીમાં ચંદીગઢના સાંસદ પણ મત આપે છે.  જો કે ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસિહે આપ અને કોંગ્રેસના 8 વોટોને રદ્દ કરી દીધા હતા. જેથી 16 મત મેળવનારી બિજેપીની જીત થતા તેનો મેયર બન્યો હતો. આ સમગ્ર મામલે આપ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  મેયરની ચૂંટણીમાં ગેરરીતિ આચરનારા અનિલ મસિહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. 



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .