ચંદીગઢ મેયર ચૂંટણી: રિટર્નિગ ઓફિસર અનિલ મસિહે કબુલ્યું, 'હા બેલેટ પેપર પર કર્યું હતું ક્રોસનું નિશાન'


  • Published By :
  • Published Date : 2024-02-19 17:25:53

ચંદીગઢ મેયરની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે દાખલ કરેલી અરજી મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. બંને પાર્ટીઓએ મેયરની ચૂંટણીમાં ગેરરિતીનો આરોપ લગાવ્યો હતો અને ચૂંટણી અધિકારીનો વિડીયો વાયરલ થયો હતો. ચૂંટણી અધિકારીનો આ વીડિયો પણ પુરાવા તરીકે સુપ્રીમ કોર્ટમાં રજુ કરવામાં આવ્યો હતો. આ વીડિયો જોઈને મુખ્ય ન્યાયમૂર્તિ ડીવાય ચંદ્રચૂડ ચૂંટણી અધિકારી પર ભડક્યા હતા અને ચૂંટણી અધિકારીને ફટકાર લગાવી હતી. આજે આ ચૂંટણી અધિકારીએ કોર્ટમાં કબૂલ્યું છે કે તેમણે બેલેટ પેપર પર ક્રોસનું માર્ક કર્યું હતું. 


શું કહ્યું અનિલ મસીહે?


સુપ્રીમ કોર્ટમાં હાજર થયેલા રિટર્નિગ ઓફિસર અનિલ મસિહને બેંચે પૂછ્યું કે તેમણે બેલેટ પેપર પર ક્રોસ માર્ક કર્યું હતું કે નહીં. આ બાબતને રિટર્નિગ ઓફિસરે સ્વિકારી લીધી હતી, તેમણે કહ્યું હતું કે હા,  તેમણે આવું કર્યું હતું, કેમ કે આમ આદમી પાર્ટીના મેયર ઉમેદવારે આવીને બેલેટે પેપર લઈ જઈને ફાડી નાખ્યું અને પછી ભાગી ગયા હતા. ત્યાર બાદ બેન્ચે પૂછ્યું કે પણ તમે ઓફ ક્રોસ કેમ કર્યું હતું?  તો તેનો જવાબ આપતા મસિહે કહ્યું કે તે પેપર પર નિશાન આપવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 


કાલે બેલેટ પેપર સુપ્રીમમાં રજુ કરાશે


સુપ્રીમ કોર્ટમાં રજુ થયેલા સોલિસિટર જનરલ તુષાર મેહતાએ પણ સ્વિકાર્યું હતું કે  તેમણે માર્ક લગાવ્યું છે, આ સ્થિતીમાં તેમની સામે કાર્યવાહી થવી જોઈએ. કોર્ટે કહ્યું કે અમે ડેપ્યુટી કમિશનરને કહીંશું કે નવા રિટર્નિગ ઓફિસરની નિમણૂંક કરે. અમે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના રજીસ્ટ્રારને પણ કહીંશું કે તે ચૂંટણીનું મોનિટરિંગ કરે. તે ઉપરાંત રજીસ્ટ્રાર જનરલને પણ ચૂંટણી સંબંધિત તમામ રેકોર્ડ રજુ કરવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે કહ્યું કે જે બેલેટ પેપર રજીસ્ટાર જનરલ પાસે છે તે એક જ્યુડિશિયલ ઓફિસરને સવારે 10.30 વાગ્યે અમારી સમક્ષ લાવવામાં આવે.  


સમગ્ર મામલો શું છે?


ચંદીગઢના મેયર માટેની ચૂંટણી 30 જાન્યુઆરીના રોજ યોજાઈ હતી. તે સમયે બિજેપીના 14 કાઉન્સિલર હતા, જો કે આપ અને કોંગ્રેસ ગઠબંધનના  સયુક્ત કાઉન્સિલરની વાત કરીએ તો સંખ્યા બળમાં આપનો મેયર બનવાનો હતો. કારણ કે આપના 13 અને કોંગ્રેસના 7 કાઉન્સિલર હતા. આ ચૂંટણીમાં ચંદીગઢના સાંસદ પણ મત આપે છે.  જો કે ચૂંટણી દરમિયાન પ્રિસાઈડિંગ ઓફિસર અનિલ મસિહે આપ અને કોંગ્રેસના 8 વોટોને રદ્દ કરી દીધા હતા. જેથી 16 મત મેળવનારી બિજેપીની જીત થતા તેનો મેયર બન્યો હતો. આ સમગ્ર મામલે આપ અને કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.  મેયરની ચૂંટણીમાં ગેરરીતિ આચરનારા અનિલ મસિહનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .