Chandigarh Mayor Election: સુપ્રીમ કોર્ટે સંભળાવ્યો ચુકાદો, ફરી થશે વોટિંગ, 8 અમાન્ય વોટ પણ માન્ય ગણાશે


  • Published By :
  • Published Date : 2024-02-20 16:41:58

ચંદીગઢના મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો સંભળાવી દીધો છે. મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાએ કહ્યું છે કે ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મતોની ગણતરી ફરીથી કરવામાં આવે, અમાન્ય ગણાયેલા મત હવે માન્ય રહેશે. તે સાથે જ તે પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આપ-કોંગ્રેસ ગઠબંધનનો ઉમેદવાર હવે મેયર બની શકશે. 


સુપ્રીમ કોર્ટે પુરાવાઓ જોયા


સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂંટણીનો વીડિયો જોયો અને બેલેટ પેપરની તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટ રદ્દ કરવાના રિટર્નિગ અધિકારીના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.  


રિટર્નિગ અધિકારીએ કબૂલી હતી ગેરરીતી


સુપ્રીમ કોર્ટમાં 30 જાન્યુઆરીના રોજ ચંદીગઢ મેયરની ચૂંટણીના કેસમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિગ અધિકારી અનિલ મસીહે બેલેટ પેપર પર ક્રોસનું નિશાન કર્યું હોવાનું કબૂલ્યુ હતું. રિટર્નિગ અધિકારીની ગેરરીતીના કારણે જ આપ અને કોંગ્રેસ ગઠબંધનની હાર થઈ હતી. 


AAP-કોંગ્રેસ પાસે બહુમતી હતી


આ બદલાયેલા સમીકરણની બીજી બાજુ પણ છે. બે દિવસ પહેલા સુધી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલર હતા. AAPના ત્રણ કાઉન્સિલરો પૂનમ દેવી, નેહા મુસાવત, ગુરચરણ કાલા ભાજપમાં જોડાયા બાદ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો છે. તેમને શિરોમણી અકાલી દળના કાઉન્સિલરનું સમર્થન પણ છે. આ સિવાય ભાજપ પાસે સાંસદ કિરણ ખેરના વોટ પણ છે. આ રીતે ભાજપ 35 સભ્યોના ગૃહમાં 19 સભ્યોના મત મેળવી શકે છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતનો આંકડો 19 છે. 2016થી ચંદીગઢમાં મેયરનું પદ ભાજપ પાસે છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .