Chandigarh Mayor Election:સુપ્રીમ કોર્ટે ચુકાદો બદલ્યો, AAPના કુલદીપ કુમાર બનશે ચંદીગઢના મેયર


  • Published By :
  • Published Date : 2024-02-20 17:18:45

ચંદીગઢના મેયરની ચૂંટણી અંગે સુપ્રીમ કોર્ટ તેનો ચુકાદો સંભળાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે બિજેપીને જોરદાર ઝટકો આપ્યો છે.  મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટીસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. હવે ચંદીગઢના નવા મેયર આમ આદમી પાર્ટી  (AAP)ના કુલદીપ કુમાર હશે. તે સાથે જ અગાઉના રિટર્નિગ ઓફિસર અનિલ મસીહને કોર્ટની અવગણનાની નોટિસ આપવામાં આવી છે. આપ-કોંગ્રેસ ગઠબંધનનો ઉમેદવાર હવે કુલદીપ કુમાર હવે  મેયર બનશે. 


પુરાવાઓ સુપ્રીમ કોર્ટમાં રજુ કરાયા


સુપ્રીમ કોર્ટની બેન્ચે ચૂંટણીનો વીડિયો જોયો અને બેલેટ પેપરની તપાસ કરી હતી. ઉલ્લેખનિય છે કે આમ આદમી પાર્ટીના કાઉન્સિલરે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીમાં 8 વોટ રદ્દ કરવાના રિટર્નિગ અધિકારીના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.  


રિટર્નિગ અધિકારીએ કબૂલી હતી ગેરરીતી


સુપ્રીમ કોર્ટમાં 30 જાન્યુઆરીના રોજ ચંદીગઢ મેયરની ચૂંટણીના કેસમાં સોમવારે થયેલી સુનાવણીમાં રિટર્નિગ અધિકારી અનિલ મસીહે બેલેટ પેપર પર ક્રોસનું નિશાન કર્યું હોવાનું કબૂલ્યુ હતું. રિટર્નિગ અધિકારીની ગેરરીતીના કારણે જ આપ અને કોંગ્રેસ ગઠબંધનની હાર થઈ હતી. 


AAP-કોંગ્રેસ પાસે બહુમતી હતી


આ બદલાયેલા સમીકરણની બીજી બાજુ પણ છે. બે દિવસ પહેલા સુધી ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન પાસે બહુમતી હતી. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના 14 કાઉન્સિલર હતા. AAPના ત્રણ કાઉન્સિલરો પૂનમ દેવી, નેહા મુસાવત, ગુરચરણ કાલા ભાજપમાં જોડાયા બાદ, ભાજપ પાસે 17 કાઉન્સિલરો છે. તેમને શિરોમણી અકાલી દળના કાઉન્સિલરનું સમર્થન પણ છે. આ સિવાય ભાજપ પાસે સાંસદ કિરણ ખેરના વોટ પણ છે. આ રીતે ભાજપ 35 સભ્યોના ગૃહમાં 19 સભ્યોના મત મેળવી શકે છે. ચંદીગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતનો આંકડો 19 છે. 2016થી ચંદીગઢમાં મેયરનું પદ ભાજપ પાસે છે.



ભારતે ઓપરેશન સિંદૂર અંતર્ગત પાકિસ્તાનમાં ૯ આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને સમગ્ર વિશ્વને એક સંદેશ ખુબ સ્પષ્ટ રીતે આપી દીધો છે કે , આતંકવાદ માટે ઝીરો ટોલરન્સ . આતંકવાદની વિચારધારા સાથે કોઈ જ સમાધાન નઈ થાય. ભારતના ઓપરેશન સિંદૂર પર વૈશ્વિક નેતાઓની પણ પ્રતિક્રિયા આવી ગઈ છે. તો આપણે જાણીશું કે વિશ્વના નેતાઓએ શું પ્રતિક્રિયા આપી છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો યુરોપ પ્રવાસ કેન્સલ થયો છે .

ભારતીય ઉપમહાદ્વીપમાં યુદ્ધના માહોલ વચ્ચે થોડાક સમય પેહલા ભારત સરકારના ગૃહ મંત્રાલયે આવતીકાલે મોકડ્રિલ માટે ગાઇડલાઇન બહાર પાડી છે. તો આપણે જાણીશું કે આ મોકડ્રીલ અંતર્ગત શું કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતમાં ક્યા સ્થળોએ મોકડ્રીલ હાથ ધરવામાં આવશે .

રાજકોટ જિલ્લાનું ગોંડલ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે . કેસ દુષ્કર્મનો છે. રાજકોટની એક યુવતીએ રીબડાનાં યુવકની વિરુદ્ધમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી . જે યુવકની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવામાં આવી છે તેણે હવે પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. આ ઘટનામાં ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા યુવકે જ્યાં જીવ ગુમાવ્યો ત્યાં પહોંચ્યા છે સાથે જ રીબડાના અગ્રણી ગોવિંદ સકપરીયાએ અનિરુદ્ધ સિંહ જાડેજા પર આક્ષેપ કર્યા છે .

પહલગામના આતંકી હુમલા પછી સમગ્ર વિશ્વની ભારત પર છે કે ભારત નજીકના ભવિષ્યમાં કેવી રીતે પાકિસ્તાનને વળતો જવાબ આપશે. આ ઉપરાંત આપણી ત્રણેય સેનાઓને ભારત સરકાર તરફથી છૂટ આપી દેવામાં આવી છે. તો હવે આ તરફ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સની પ્રતિક્રિયા સામે આવી છે. જયારે જમ્મુ કાશ્મીરના પહલગામમાં આતંકી હુમલો થયો તે દરમ્યાન ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ભારતની મુલાકાતે જ હતા . તો આવો જાણીએ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સએ શું કહ્યું છે?