Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 0-14 વર્ષના બાળકો બની રહ્યા છે ચાંદીપુરા વાયરસનો શિકાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-08-06 18:23:14

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 157 પર પહોંચી ચુકી છે. જેમાંથી 68 જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી કેસો નોંધાઈ રહ્યા છે. સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, ખેડામાં 7, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5 કેસ નોંધાયા છે. તે સિવાય અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ગાંધીનગરમાં 08, પંચમહાલમાં 16, જામનગરમાં 7, મોરબીમાં 6 કેસ નોંધાયા છે.



આટલા દર્દીઓ પામ્યા મૃત્યુ

તે સિવાય ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 1, પાટણમાં એક, ગીર સોમનાથમાં 1 તેમજ અમરેલીમાં એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. તે સિવાય કુલ 68 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.   





ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા છે અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. 



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 




શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .