Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર, 0-14 વર્ષના બાળકો બની રહ્યા છે ચાંદીપુરા વાયરસનો શિકાર, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-08-06 18:23:14

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા 157 પર પહોંચી ચુકી છે. જેમાંથી 68 જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે. રાજ્યના અલગ અલગ જગ્યાઓથી કેસો નોંધાઈ રહ્યા છે. સાબરકાંઠામાં 16, અરવલ્લીમાં 7, મહીસાગરમાં 4, ખેડામાં 7, રાજકોટમાં 7, સુરેન્દ્રનગરમાં 5 કેસ નોંધાયા છે. તે સિવાય અમદાવાદ કોર્પોરેશનમાં 12 કેસ, ગાંધીનગરમાં 08, પંચમહાલમાં 16, જામનગરમાં 7, મોરબીમાં 6 કેસ નોંધાયા છે.



આટલા દર્દીઓ પામ્યા મૃત્યુ

તે સિવાય ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટા ઉદેપુરમાં 2, દાહોદમાં 4, વડોદરામાં 7, નર્મદામાં 2, બનાસકાંઠામાં 7, વડોદરા કોર્પોરેશનમાં 2, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 5, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 4, અમદાવાદમાં 2, જામનગર કોર્પોરેશનમાં 1, પોરબંદરમાં 1, પાટણમાં એક, ગીર સોમનાથમાં 1 તેમજ અમરેલીમાં એક શંકાસ્પદ કેસ મળી આવ્યો છે. તે સિવાય કુલ 68 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.   





ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા છે અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. 



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 




શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.