Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર! હજી સુધી નોંધાયા આટલા કેસ અને આટલા બાળકો બન્યા આ વાયરસનો ભોગ!


  • Published By :
  • Published Date : 2024-07-17 16:31:30

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા હવે ૧૪ પર પહોંચી ચુકી છે. જેમાંથી ૮ જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે.  અને હવે આ વાયરસનો એક કેસ ગાંધીનગરમાં નોંધાયો છે. એવી માહિતી પણ સામે આવી છે કે અમદાવાદમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે.  



ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. સમાચાર આવી રહ્યા છે કે મહેસાણામાં વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મોત થયું છે . આ મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા હતા. વરેઠા અને ડાભલામાં નોંધાયા હતા. જેમાંથી 1 બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.



આ જગ્યાઓ પર થયા બાળકોના મોત

આરોગ્ય વિભાગની ટીમએ આ બાળકોના ઘરની આસપાસ તપાસ કરી રહી છે . અને હવે સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. હજી સુધી જે પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર લુણાવાડા અને હિંમતનગરમાં 1-1 બાળકોના મોત થયા હતા. અને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ કેસ નોંધાયા હતા , હવે આજે ગાંધીનગરમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. આ મામલે ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.  



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 


શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 


મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.. 

અહીં એક વસ્તુ ખુબ મહત્વની છે કે , જોકે આ વાઇરસનું સંક્રમણ ખુબ દુર્લભ છે , તેની સારવાર માટે કોઈ પણ એન્ટી વાયરસ દવા નથી બની . બીમારીના લક્ષણ મુજબ ડૉક્ટર દવા આપે છે. જો આ વાયરસનું સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય તો , કોમા અને મૃત્યુનું જોખમ રહે છે . એમાં મૃત્યુદર ૭૫ ટકા હોય છે . જોકે આપણા ગુજરાત રાજ્યની આરોગ્યટિમો પણ ચાંદીપુરા વાઇરસને લયીને ખુબ સક્રિય થઈ ગયી છે. 



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .