Gujaratમાં ચાંદીપુરા વાયરસનો કહેર! હજી સુધી નોંધાયા આટલા કેસ અને આટલા બાળકો બન્યા આ વાયરસનો ભોગ!


  • Published By :
  • Published Date : 2024-07-17 16:31:30

ગુજરાતમાં હાલમાં એક રોગ બાળકોમાં ખુબ હાહાકાર મચાવી રહ્યો છે તે છે ચાંદિપુરા વાઇરસ . આ વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા હવે ૧૪ પર પહોંચી ચુકી છે. જેમાંથી ૮ જેટલા બાળકોના તો મૃત્યુ થઈ ચુક્યા છે.  અને હવે આ વાયરસનો એક કેસ ગાંધીનગરમાં નોંધાયો છે. એવી માહિતી પણ સામે આવી છે કે અમદાવાદમાં પણ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે.  



ચાંદીપુરા વાયરસની ચપેટમાં આવવાથી થયા અનેક બાળકોના મોત

હાલ ચોમાસાની સિઝન છે.. જેને કારણે માખી તેમજ મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે. આ સમય દરમિયાન તાવ આવવું સામાન્ય હોય છે. પરંતુ સામાન્ય લાગતો તાવ ચાંદીપુરા વાયરસના લક્ષણો પણ હોઈ શકે છે.. બાળકોમાં પ્રસરી રહેલો વાયરસ ચિંતાનો વિષય બન્યો છે. સમાચાર આવી રહ્યા છે કે મહેસાણામાં વધુ એક બાળકનું ચાંદીપુરા વાયરસથી શંકાસ્પદ મોત થયું છે . આ મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે કેસ નોંધાયા હતા. વરેઠા અને ડાભલામાં નોંધાયા હતા. જેમાંથી 1 બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે.



આ જગ્યાઓ પર થયા બાળકોના મોત

આરોગ્ય વિભાગની ટીમએ આ બાળકોના ઘરની આસપાસ તપાસ કરી રહી છે . અને હવે સેમ્પલ તપાસ માટે પુના મોકલવામાં આવ્યા છે. હજી સુધી જે પ્રમાણે માહિતી સામે આવી છે તે અનુસાર લુણાવાડા અને હિંમતનગરમાં 1-1 બાળકોના મોત થયા હતા. અને પંચમહાલ અને મહીસાગર જિલ્લામાં પણ કેસ નોંધાયા હતા , હવે આજે ગાંધીનગરમાં પણ ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાયો છે. આ મામલે ઋષિકેશ પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી.  



શું છે ચાંદીપુરા વાયરસનો ઈતિહાસ? 

વાત કરીએ ચાંદીપુરા વાયરસની તો, આ કોઈ નવો વાયરસ નથી. 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરમાં આનો પહેલો કેસ સામે આવ્યો હતો . મહારાષ્ટ્ર , ગુજરાત અને આંધ્ર પ્રદેશના કેટલાક વિસ્તારો હાલમાં આ વાયરસથી પ્રભાવિત છે . આ RNA વાઇરસ છે . તેના સંક્રમણથી દર્દી મગજના તાવનો એટલે કે એન્સેફેલાઇટીસનો શિકાર થાય છે . આ રોગ એ મચ્છરો અને માખી જેવા રોગવાહકોના કરડવાથી થાય છે . 


શું છે આ રોગના લક્ષણો?

હવે જાણીએ આ વાઇરસના લક્ષણો શું છે? સંક્રમિત થનારા દર્દીને જોરદાર તાવ આવે છે , તેમાં ફલૂ જેવા જ લક્ષણ હોય છે. અને એનસેફલાઇટિસની ફરિયાદ રહે છે .આ વાઇરસથી સંક્રમિત દર્દીઓમાં ઉલ્ટી,ગરદનમાં ખેંચાણ અને માથાનો દુખાવો એ સામાન્ય લક્ષણ છે . બાળકોને આ વાઇરસથી સંક્રમિત થતા બચાવવા માટે તેમને પ્રભાવિત વિસ્તારો કે જંગલોમાં જવાથી રોકવા જોઈએ . મચ્છરો અને માખીઓનો ઉપદ્રવ અટકાવવા માટે સમયાંતરે છટકાવ કરતા રેહવું જોઈએ . સંક્રમણના લક્ષણો વિશે ખબર પડતા જ તાત્કાલિક ડોક્ટર્સની સલાહ લેવી જોઈએ . 


મૃત્યુનું જોખમ પણ વધી શકે છે.. 

અહીં એક વસ્તુ ખુબ મહત્વની છે કે , જોકે આ વાઇરસનું સંક્રમણ ખુબ દુર્લભ છે , તેની સારવાર માટે કોઈ પણ એન્ટી વાયરસ દવા નથી બની . બીમારીના લક્ષણ મુજબ ડૉક્ટર દવા આપે છે. જો આ વાયરસનું સંક્રમણ એડવાન્સ સ્ટેજમાં પહોંચી જાય તો , કોમા અને મૃત્યુનું જોખમ રહે છે . એમાં મૃત્યુદર ૭૫ ટકા હોય છે . જોકે આપણા ગુજરાત રાજ્યની આરોગ્યટિમો પણ ચાંદીપુરા વાઇરસને લયીને ખુબ સક્રિય થઈ ગયી છે. 



પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.