Andhra Pradeshના CM તરીકે ચંદ્રબાબુ નાયડુએ લીધી શપથ, ડેપ્યુટી સીએમ પવન કલ્યાણ બન્યા, જાણો શું છે પવન કલ્યાણની રાજકીય સફર?


  • Published By :
  • Published Date : 2024-06-12 16:37:03

દેશમાં જ્યારથી એનડીએની સરકાર બની છે ત્યારથી ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમાર ચર્ચામાં છે... આજે ચર્ચા ચંદ્રબાબુ નાયડુ તેમજ આંધ્રપ્રદેશની કરવી છે. ચોથી વખત ચંદ્રબાબુ નાયડુએ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે. ચંદ્રબાબુએ સીએમ તરીકેના શપથ લીધા છે જ્યારે એક સમયના સાઉથના સુપર સ્ટાર પવન કલ્યાણે ઉપ મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે . 

આંધ્રપ્રદેશમાં બનશે એનડીએની સરકાર 

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચંદ્રબાબુ નાયડુએ શપથ લીધા છે. શપથ વિધી સમારોહમાં પીએમ મોદી પણ સામેલ થયા હતા.. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર હતા. જ્યારે ડેપ્યુટી સીએમ તરીકે પવન કલ્યાણે શપથ લીધા ત્યારે ત્યાં હાજર લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. વાત આંધ્રપ્રદેશની કરીએ તો વિધાનસભાની ચૂંટણીઓમાં કુલ 175 બેઠકોમાંથી તેલુગુ દેશમ પાર્ટીને ૧૩૫ સીટો, પવન કલ્યાણની જનસેના પાર્ટીને 21 સીટો જ્યારે BJPને 8 સીટો મળી છે . એટલે કે રાજ્યમાં હવે NDAની ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે.


કેવી છે પવન કલ્યાણની રાજકીય સફર?

ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેનાર પવન કલ્યાણની વાત કરીએ તો તે તેલુગુ સિનેમાના ખુબ લોકપ્રિય અભિનેતા છે. સાથે જ ખુબ લોકપ્રિય અભિનેતા ચિરંનજીવીના નાના ભાઈ છે.  તેમણે 1996થી ફિલ્મોમાં અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. પવન કલ્યાણે 2008માં રાજનીતિમાં પ્રવેશ કર્યો . તે વખતે તેઓ ચિરંજીવીની પ્રજા રાજ્યમ પાર્ટીમાં યુથ વિન્ગના પ્રમુખ બન્યા હતા . જોકે આ પછી પ્રજા રાજ્યમ પાર્ટીનું કોંગ્રેસમાં વિલીનીકરણ થતા પવન કલ્યાણે માર્ચ 2014માં જન સેના પાર્ટી બનાવી હતી. તેઓ આ વિધાનસભાની ચૂંટણીઓમાં પીઠાપુરમ વિધાનસભા બેઠક પરથી 70,000ના માર્જીનથી જીત્યા છે. અને હવે ચંદ્રાબાબુ નાયડુની ટીમમાં ડેપ્યુટી સીએમના પદે શપથ લીધા છે .  


આ દિગ્ગજ નેતાઓ રહ્યા શપથવિધિમાં હાજર 

આંધ્રપ્રદેશ કે જ્યાં હવે નવી સરકારના શપથવીધીમા NDAના સાથીપક્ષોનાં નેતાઓ પણ હાજર રહ્યા હતા .અપના દળના અનુપ્રિયા પટેલ, લોક જન શક્તિ પાર્ટી રામવિલાસના ચિરાગ પાસવાન સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા . આ સાથેજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહીત ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતાઓ જેવા કે ગૃહ મંત્રી અમિત શાહ , માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરી, રાજ્યસભાના પૂર્વ ચેરમેન વેંકયા નાયડુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આંધ્રપ્રદેશની નવી સરકારના ચાર મોટા લક્ષ્યાંકો છે .પહેલું કેન્દ્ર સરકાર પાસેથી મદદ લઈને આંધ્રપ્રદેશને ફરી વાર બેઠું કરવું , અમરાવતીને આંધ્ર પ્રદેશની રાજધાની બનાવી , ગોદાવરી નદી પરનો પોલાવરમ પ્રોજેક્ટ પૂરો કરવો સાથે જ વિશાખાપટનમને વિકસિત કરવું . 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.