Google Doodle: ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે ગૂગલ, બનાવ્યું આ અદ્ભુત Doodle


  • Published By :
  • Published Date : 2023-08-24 16:16:15

આજનું ગૂગલ ડૂડલ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી માટે બનાવવામાં આવ્યું છે. ભારત પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો છે. આ ખુશીની ઉજવણી કરતા ગૂગલે તેનું નવું ડૂડલ બનાવ્યું છે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈ, 2023 ના રોજ ભારતના આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા રેન્જમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું.


દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ ભારત


ઉલ્લેખનિય છે કે આ પહેલા માત્ર અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત યુનિયન ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરી ચૂક્યા છે, પરંતુ આ પહેલા કોઈ દેશ દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં નથી પહોંચ્યો. આવી સ્થિતિમાં ભારત ન માત્ર ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો છે પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ પણ બની ગયો છે.


ડૂડલની શું છે વિશેષતા?


આમાં ગૂગલના O ને ચંદ્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 તેની આસપાસ ફરતું બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે. ત્યાર બાદ પૃથ્વીનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. ગૂગલે આ ડૂડલ ખૂબ જ સ્પષ્ટ અને સુંદર બનાવ્યું છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી ચંદ્રયાન-3 સંબંધિત ઘણી માહિતી સામે આવે છે.


ગૂગલ દરેક ખાસ પ્રસંગે ડૂડલ બનાવે છે. આમાં, તમે દરેક દિવસ કેમ ખાસ છે તેની માહિતી મેળવી શકો છો. ગૂગલનું નવું ડૂડલ લગભગ દરરોજ આવે છે. ગૂગલે ચંદ્રયાન-3ની સફળતા પર એક અદ્ભુત ડૂડલ પણ રજૂ કર્યું છે.



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .