Google Doodle: ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી કરી રહ્યું છે ગૂગલ, બનાવ્યું આ અદ્ભુત Doodle


  • Published By :
  • Published Date : 2023-08-24 16:16:15

આજનું ગૂગલ ડૂડલ ચંદ્રયાન-3ની સફળતાની ઉજવણી માટે બનાવવામાં આવ્યું છે. ભારત પ્રથમ વખત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ અને એકમાત્ર દેશ બન્યો છે. આ ખુશીની ઉજવણી કરતા ગૂગલે તેનું નવું ડૂડલ બનાવ્યું છે. ચંદ્રયાન-3 અવકાશયાન 14 જુલાઈ, 2023 ના રોજ ભારતના આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા રેન્જમાં સતીશ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું અને 23 ઓગસ્ટ, 2023ના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક સફળતાપૂર્વક સોફ્ટ-લેન્ડ થયું હતું.


દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ ભારત


ઉલ્લેખનિય છે કે આ પહેલા માત્ર અમેરિકા, ચીન અને પૂર્વ સોવિયત યુનિયન ચંદ્ર પર સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડ કરી ચૂક્યા છે, પરંતુ આ પહેલા કોઈ દેશ દક્ષિણ ધ્રુવ ક્ષેત્રમાં નથી પહોંચ્યો. આવી સ્થિતિમાં ભારત ન માત્ર ચંદ્ર પર પહોંચનારો ચોથો દેશ બન્યો છે પરંતુ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરનાર પ્રથમ દેશ પણ બની ગયો છે.


ડૂડલની શું છે વિશેષતા?


આમાં ગૂગલના O ને ચંદ્ર તરીકે દર્શાવવામાં આવ્યો છે. ચંદ્રયાન-3 તેની આસપાસ ફરતું બતાવવામાં આવ્યું છે. ત્યારબાદ ચંદ્રયાન ચંદ્ર પર ઉતરશે. ત્યાર બાદ પૃથ્વીનું પણ ચિત્રણ કરવામાં આવ્યું છે. ગૂગલે આ ડૂડલ ખૂબ જ સ્પષ્ટ અને સુંદર બનાવ્યું છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી ચંદ્રયાન-3 સંબંધિત ઘણી માહિતી સામે આવે છે.


ગૂગલ દરેક ખાસ પ્રસંગે ડૂડલ બનાવે છે. આમાં, તમે દરેક દિવસ કેમ ખાસ છે તેની માહિતી મેળવી શકો છો. ગૂગલનું નવું ડૂડલ લગભગ દરરોજ આવે છે. ગૂગલે ચંદ્રયાન-3ની સફળતા પર એક અદ્ભુત ડૂડલ પણ રજૂ કર્યું છે.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.