13 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, એન્જિનમાં કરાયો મોટો ફેરફાર...ભૂલનું પુનરાવર્તન નહીં થાય


  • Published By :
  • Published Date : 2023-06-28 20:19:08

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) ફરી એક વખત ચંદ્રયાન મિશનની જાહેરાત કરી છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરોના ચેરમેન એસ સોમનાથે જાહેર કર્યું કે 13 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની આ વધુ એક મોટી સફળતા હશે. ચંદ્રયાન-3 લઈ જતાં રોકેટને 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથના જણાવ્યા પ્રમાણે તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આ વખતે ચંદ્રયાન-3 મિશનને જુલાઇમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રના ડાર્ક સાઈડ તરફ લોન્ચ કરવામાં આવશે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે દેખાતો નથી.


ભૂલનું પુનરાવર્તન નહીં થાય


ચંદ્રયાન-3ને લોન્ચ કરવા અંગે ઈસરો ચીફે જણાવ્યું કે ગત વખતે વિક્રમ લેન્ડર સાથે જે થયું હતું તે ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ વખતે એવું નહીં થાય. કારણ કે આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડરની લેન્ડિંગ ટેક્નિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મતલબ કે આ વખતે ચંદ્રયાન-2ની ભૂલો નહીં થાય. ચંદ્રયાન-3ની લેન્ડિંગ ટેક્નિક નવી રીતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ પર છે. આ મિશનને શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગની તૈયારીઓમાં લાગેલી ટીમ ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 પર જુલાઈના મધ્ય સુધીમાં લોન્ચ કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે સખત મહેનત કરી રહી છે. 


7 કિમીથી લેડિંગનો પ્રારંભ થશે, 2 કિમી પર સેન્સર થશે એક્ટિવ


ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ3 (લોન્ચ વ્હીકલ માર્ક-2) દ્વારા ચંદ્ર તરફ છોડવામાં આવશે જે ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંનો અભ્યાસ કરશે તેમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન સિસ્ટમ ફિટ કરેલી છે જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. માત્ર પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિલોગ્રામ છે, જે લેન્ડર અને રોવરને 100 કિમીની ચંદ્રની કક્ષામાં લઈ જશે. રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ 758 વોટ, લેન્ડર મોડ્યુલ 738 વોટ અને રોવર 50 વોટનો પાવર જનરેટ કરશે. આ સેન્સર્સ લેન્ડરને લેન્ડિંગ સમયે ઊંચાઈ, લેન્ડિંગ પ્લેસ, સ્પીડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન-3 સાત કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. 2 KMની ઊંચાઈએ પહોંચતાની સાથે જ સેન્સર સક્રિય થઈ જશે. આ મુજબ, લેન્ડર તેની દિશા, ગતિ અને ઉતરાણ સ્થળ નક્કી કરશે.


ચંદ્રયાન-3 શા માટે?


ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ અને રોવિંગ ક્ષમતા દર્શાવવાનો છે. તદુપરાંત, તે આંતરિક વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા અને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી તકનીકો વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેના મહત્વપૂર્ણ ઉદ્દેશો પણ ધરાવે છે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.