13 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, એન્જિનમાં કરાયો મોટો ફેરફાર...ભૂલનું પુનરાવર્તન નહીં થાય


  • Published By :
  • Published Date : 2023-06-28 20:19:08

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) ફરી એક વખત ચંદ્રયાન મિશનની જાહેરાત કરી છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરોના ચેરમેન એસ સોમનાથે જાહેર કર્યું કે 13 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની આ વધુ એક મોટી સફળતા હશે. ચંદ્રયાન-3 લઈ જતાં રોકેટને 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથના જણાવ્યા પ્રમાણે તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આ વખતે ચંદ્રયાન-3 મિશનને જુલાઇમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રના ડાર્ક સાઈડ તરફ લોન્ચ કરવામાં આવશે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે દેખાતો નથી.


ભૂલનું પુનરાવર્તન નહીં થાય


ચંદ્રયાન-3ને લોન્ચ કરવા અંગે ઈસરો ચીફે જણાવ્યું કે ગત વખતે વિક્રમ લેન્ડર સાથે જે થયું હતું તે ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ વખતે એવું નહીં થાય. કારણ કે આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડરની લેન્ડિંગ ટેક્નિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મતલબ કે આ વખતે ચંદ્રયાન-2ની ભૂલો નહીં થાય. ચંદ્રયાન-3ની લેન્ડિંગ ટેક્નિક નવી રીતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ પર છે. આ મિશનને શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગની તૈયારીઓમાં લાગેલી ટીમ ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 પર જુલાઈના મધ્ય સુધીમાં લોન્ચ કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે સખત મહેનત કરી રહી છે. 


7 કિમીથી લેડિંગનો પ્રારંભ થશે, 2 કિમી પર સેન્સર થશે એક્ટિવ


ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ3 (લોન્ચ વ્હીકલ માર્ક-2) દ્વારા ચંદ્ર તરફ છોડવામાં આવશે જે ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંનો અભ્યાસ કરશે તેમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન સિસ્ટમ ફિટ કરેલી છે જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. માત્ર પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિલોગ્રામ છે, જે લેન્ડર અને રોવરને 100 કિમીની ચંદ્રની કક્ષામાં લઈ જશે. રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ 758 વોટ, લેન્ડર મોડ્યુલ 738 વોટ અને રોવર 50 વોટનો પાવર જનરેટ કરશે. આ સેન્સર્સ લેન્ડરને લેન્ડિંગ સમયે ઊંચાઈ, લેન્ડિંગ પ્લેસ, સ્પીડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન-3 સાત કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. 2 KMની ઊંચાઈએ પહોંચતાની સાથે જ સેન્સર સક્રિય થઈ જશે. આ મુજબ, લેન્ડર તેની દિશા, ગતિ અને ઉતરાણ સ્થળ નક્કી કરશે.


ચંદ્રયાન-3 શા માટે?


ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ અને રોવિંગ ક્ષમતા દર્શાવવાનો છે. તદુપરાંત, તે આંતરિક વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા અને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી તકનીકો વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેના મહત્વપૂર્ણ ઉદ્દેશો પણ ધરાવે છે.



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.