13 જુલાઈએ લોન્ચ થશે ચંદ્રયાન-3, એન્જિનમાં કરાયો મોટો ફેરફાર...ભૂલનું પુનરાવર્તન નહીં થાય


  • Published By :
  • Published Date : 2023-06-28 20:19:08

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) ફરી એક વખત ચંદ્રયાન મિશનની જાહેરાત કરી છે. ઈસરોએ ચંદ્રયાન-3ના લોન્ચિંગને લઇને મોટી જાહેરાત કરી છે. ઈસરોના ચેરમેન એસ સોમનાથે જાહેર કર્યું કે 13 જુલાઈએ ચંદ્રયાન-3ને લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથે કહ્યું કે અંતરિક્ષના ક્ષેત્રમાં ભારતની આ વધુ એક મોટી સફળતા હશે. ચંદ્રયાન-3 લઈ જતાં રોકેટને 13 જુલાઈએ બપોરે 2.30 વાગ્યે લોન્ચ કરવામાં આવશે. એસ સોમનાથના જણાવ્યા પ્રમાણે તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. આ વખતે ચંદ્રયાન-3 મિશનને જુલાઇમાં શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરથી ચંદ્રના ડાર્ક સાઈડ તરફ લોન્ચ કરવામાં આવશે કારણ કે આ ભાગ પૃથ્વીની સામે દેખાતો નથી.


ભૂલનું પુનરાવર્તન નહીં થાય


ચંદ્રયાન-3ને લોન્ચ કરવા અંગે ઈસરો ચીફે જણાવ્યું કે ગત વખતે વિક્રમ લેન્ડર સાથે જે થયું હતું તે ભૂલનું પુનરાવર્તન નહીં થાય. આ વખતે એવું નહીં થાય. કારણ કે આ વખતે ચંદ્રયાન-3ના લેન્ડરની લેન્ડિંગ ટેક્નિકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મતલબ કે આ વખતે ચંદ્રયાન-2ની ભૂલો નહીં થાય. ચંદ્રયાન-3ની લેન્ડિંગ ટેક્નિક નવી રીતે બનાવવામાં આવી છે. ચંદ્રયાન-3નું ધ્યાન ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ પર છે. આ મિશનને શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. લોન્ચિંગની તૈયારીઓમાં લાગેલી ટીમ ભારતના સૌથી વજનદાર રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક-3 પર જુલાઈના મધ્ય સુધીમાં લોન્ચ કરવાના લક્ષ્યને પહોંચી વળવા માટે સખત મહેનત કરી રહી છે. 


7 કિમીથી લેડિંગનો પ્રારંભ થશે, 2 કિમી પર સેન્સર થશે એક્ટિવ


ચંદ્રયાન-3 અંતરિક્ષયાનને શ્રીહરિકોટા સ્થિત સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી એલવીએમ3 (લોન્ચ વ્હીકલ માર્ક-2) દ્વારા ચંદ્ર તરફ છોડવામાં આવશે જે ચંદ્રની સપાટી પર ઉતરીને ત્યાંનો અભ્યાસ કરશે તેમાં લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે. ચંદ્રયાન-3 લેન્ડર, રોવર અને પ્રોપલ્શન સિસ્ટમ ફિટ કરેલી છે જેનું કુલ વજન 3,900 કિલોગ્રામ છે. માત્ર પ્રોપલ્શન મોડ્યુલનું વજન 2,148 કિલોગ્રામ છે, જે લેન્ડર અને રોવરને 100 કિમીની ચંદ્રની કક્ષામાં લઈ જશે. રોવરનું વજન 26 કિલો છે. આ રોવર ચંદ્રયાન-2ના વિક્રમ રોવર જેવું જ હશે, પરંતુ સુરક્ષિત લેન્ડિંગ સુનિશ્ચિત કરવા માટે તેમાં સુધારા કરવામાં આવ્યા છે. પ્રોપલ્શન મોડ્યુલ 758 વોટ, લેન્ડર મોડ્યુલ 738 વોટ અને રોવર 50 વોટનો પાવર જનરેટ કરશે. આ સેન્સર્સ લેન્ડરને લેન્ડિંગ સમયે ઊંચાઈ, લેન્ડિંગ પ્લેસ, સ્પીડ, પત્થરોથી બચાવવામાં મદદ કરશે. ચંદ્રયાન-3 સાત કિલોમીટરની ઊંચાઈથી ચંદ્રની સપાટી પર ઉતરવાનું શરૂ કરશે. 2 KMની ઊંચાઈએ પહોંચતાની સાથે જ સેન્સર સક્રિય થઈ જશે. આ મુજબ, લેન્ડર તેની દિશા, ગતિ અને ઉતરાણ સ્થળ નક્કી કરશે.


ચંદ્રયાન-3 શા માટે?


ઈસરોના જણાવ્યા અનુસાર ચંદ્રયાન-3નો હેતુ ચંદ્રની સપાટી પર સુરક્ષિત અને સોફ્ટ લેન્ડિંગ અને રોવિંગ ક્ષમતા દર્શાવવાનો છે. તદુપરાંત, તે આંતરિક વૈજ્ઞાનિક પ્રયોગો હાથ ધરવા અને આંતરગ્રહીય મિશન માટે જરૂરી નવી તકનીકો વિકસાવવા અને પ્રદર્શિત કરવા માટેના મહત્વપૂર્ણ ઉદ્દેશો પણ ધરાવે છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.