ચંદ્રયાન-3ની લોન્ચિંગની તારીખ જાહેર, 14 જુલાઈએ રચાશે ઈતિહાસ, ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગની તૈયારી શરૂ


  • Published By :
  • Published Date : 2023-07-07 13:20:34

જેની બહુ આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે મિશન ચંદ્રયાન-3 ની પ્રક્ષેપણ તારીખ જાહેર થઈ ગઈ છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)એ મિશન ચંદ્રયાન-3 ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3ને ઈસરો દ્વારા 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. અગાઉ, ચંદ્રયાન 3 ને ચંદ્રની સપાટી પર મોકલવા માટે 12 થી 19 જુલાઈની વચ્ચે તારીખ નક્કી કરવામાં આવી હતી. ઈસરોના વૈજ્ઞાનિકોનું સમગ્ર ધ્યાન ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3ના સુરક્ષિત લેન્ડિંગ પર છે. ઈસરોના વડા સોમનાથે કહ્યું કે ચંદ્રયાન-3 મિશન હેઠળ ઈસરો 23 કે 24 ઓગસ્ટે ચંદ્ર પર 'સોફ્ટ લેન્ડિંગ' કરવાનો પ્રયાસ કરશે.


મિશન ચંદ્રયાન-2 નિષ્ફળ રહ્યું હતું 


નોંધપાત્ર બાબત એ છે કે આ પહેલા ISRO ચંદ્રયાન-2 લોન્ચ કરી ચૂક્યું છે. ચંદ્રયાન-2 મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું. તેનું લેન્ડર એક આંચકા સાથે ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું, ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ચંદ્રયાન-3 એ જ અધૂરા મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે. આ અંગે ઈસરોએ 14 જુલાઈની તારીખ નક્કી કરી છે. અવકાશ વૈજ્ઞાનિકોએ અવકાશમાં સુરક્ષિત લેન્ડિંગ અંગે વ્યાપક સંશોધન બાદ આ તારીખ પસંદ કરી છે.


અદ્યતન ચંદ્રયાન 3 તૈયાર કરાયું


ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને ત્યાં સપાટીનું પરીક્ષણ કરશે. તે ચંદ્રયાન-2 જેવું જ દેખાશે, જેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવર હશે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. છેલ્લી ક્ષણે ચંદ્રયાન 2 ની નિષ્ફળતાના કારણો પર ધ્યાન કેન્દ્રિત કરીને, ચંદ્રયાન 3 તૈયાર કરવામાં આવ્યું હતું અને ચંદ્ર પર તેના સુરક્ષિત ઉતરાણ માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.


ભારત ચોથો દેશ બનશે


આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ સોમનાથે કહ્યું હતું કે અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે. આ મિશન ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનાર અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત વિશ્વનો ચોથો દેશ બની જશે.



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટ વહેંચણીને લઇને કાર્યકરોમાં અસંતોષ જોવા મળ્યો છે. શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટીમાં ટિકિટ માટે જૂથબંધી અને રોષ ભાજપમાં સપાટી પર આવી ગયો છે. હવે , ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ડેમેજ કંટ્રોલ કરવા લાગી જવું પડ્યું છે. આ માટે તેમણે રાજકોટની મુલાકાત લીધી છે.

મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.